________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૯૫
નમસ્કાર મંત્રનું અસ્તિત્વ સ્વીકારવામાં પણ મતભેદ છે? (૬) દશાશ્રુત સ્કંધના આઠમા અધ્યયનના નામથી ઉપલબ્ધ પર્યપણા કલ્પસૂત્રમાં તે સૂત્ર તથા તેના અધ્યયનના નામનો મુખ્ય વિષય સૌથી છેલ્લે છે, પ્રારંભમાં લગભગ ૧૦૦૦ શ્લોક પ્રમાણ વર્ણન અન્ય વિષયોનું છે. જ્યારે નિર્યુક્તિઓમાં પ્રારંભથી જ મુખ્ય વિષયોની વ્યાખ્યા છે અને ૧૦૦૦ શ્લોક જેટલા મૂળપાઠ માટે ફક્ત એક રમી ગાથામાં સંકેત માત્ર આપેલ છે આવું કેમ? શું આમાં પણ કોઈ ખાસ રહસ્ય છે? (૭) ભગવાને સભામાં કથન કર્યું, ૧૪ પૂર્વી ભદ્રબાહુસ્વામીએ ગુંથન નિસ્પૃહણ કર્યું, તેટલું જ આઠમા અધ્યયનના ભાગરૂપ સ્વતંત્ર કલ્પ સૂત્ર માત્ર છે? કે પછી તે પ્રક્ષિપ્ત થયેલું વધારેલું રૂપ છે? (૮) દશાશ્રુત સ્કંધના રચયિતા ભદ્રબાહુ સ્વામી વીર નિર્વાણ બીજી શતાબ્દીમાં થઈ ગયા. હવે પેલા સૂત્રના આઠમા અધ્યયનની વાત કરનારા સ્વતંત્ર અસ્તિત્ત્વ ધારી સૂત્રમાં વીર નિર્વાણ ૯૮૦ તથા ૯૯૩ નો વિવાદ કોણે, ક્યારે પ્રક્ષિપ્ત કર્યો, એવી આવશ્યકતા કેમ પડી? કે જેથી એક પ્રામાણિક પુરુષકૃત સૂત્રને વિકૃત કર્યું? તોપણ તેને જ આજ સુધી ભદ્રબાહુના સૂત્ર તથા તેના જ શબ્દોના નામથી સ્વીકાર કરવામાં અચકાસિત અનુકરણ માત્ર નથી?....! (૯) ભદ્રબાહુ પછીના આચાર્યો આદિની સ્તુતિ અને વંદન નમસ્કાર પણ ભદ્રબાહુ કૃત નિર્યુક્તિમાં પોતે જ કરેલ છે તેમ માનવું અસત્ય કે પાપ યુક્ત નથી લાગતું? તેને ૧૨૦૦ શ્લોકથી અલગ કેમ નથી રખાયું? પ્રક્ષેપોને જાણવા અને માનવા છતાં પણ ૧૨૦૦ શ્લોક પ્રમાણ ભદ્રબાહુનું બનાવેલ છે તેમ કહેવું ઉચિત છે ખરું? અને વળી તેને ભગવાને સભામાં કહ્યું (કથિત કર્યું) એવો પાઠ પણ સાથે જોડી દેવો શું યોગ્ય છે? (૧૦) શું ભગવાને આવું ૧૨૦૦ શ્લોકવાળું આઠમું અધ્યયન પરિષદમાં ફરમાવ્યું એ વાત ગળે ઉતરે છે ખરી? અને જો વારંવાર પરિષદમાં એ ફરમાવ્યું હતું તો એક જ દિવસે કે અનેક દિવસોમાં? (૧૧) દશાશ્રુત સ્કંધનું આઠમું અધ્યયન ગૃહસ્થની સામે વાંચવાની વાત પણ નિશીથ સૂત્ર તથા તેની નિયુક્તિ, ચૂર્ણિ વગેરેથી ગુરુ ચોમાસીનું પ્રાયશ્ચિત્ત કાર્ય હોય તેમ સિદ્ધ થાય છે અને એ આઠમા અધ્યયનમાં તીર્થકરોનું વર્ણન હોય તો તેને ગૃહસ્થને સંભળાવવામાં સૂત્રકાર તથા વ્યાખ્યાકાર પ્રાયશ્ચિત્ત કથન અને વિવેચન કરે એ કઈ રીતે સંભવ હોઈ શકે? (૧૨) જે સૂત્ર તથા અધ્યયનને માટે આગમકાર ગૃહસ્થોને સંભળાવવાનું પ્રાયશ્ચિત્ત કહે અને જેને કાલિક સૂત્ર કહે તેજ અધ્યયનને સ્વતંત્ર સૂત્રનું અસ્તિત્વ દઈ કોઈ ઉત્કાલિક કરી દે અને છતાંય તેને ભદ્રબાહુનું ગણાવીને ત્રીજા પ્રહરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org