SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત. ચૂર્ણિના અંતે જોડાવી દીધી. તેના ૨૦મા ઉદેશાની ચૂર્ણિની પછીની પ્રશસ્તિ રૂપે જોડેલી તે ગાથાઓ આજે પણ મળે છે. (૮) ચૂર્ણિકાર જણાવે છે કે સોય વગેરે ચારે ય ઔપગ્રહિક ઉપકરણો છે. તેમાંના દરેક ઉપકરણ આચાર્ય પાસે હોવા જોઈએ. બાકીના સાધુઓ પણ તેનાથી પોતાનું કામ કરી શકે છે. જો બાકીના સાધુને જરૂર પડે તો વાંસ કે સિંગના ઉપકરણો રાખી શકે, લોઢાના નહીં. (૯) પુરિ ચરિમાળ વગો, મને વર્તમાન તિસ્થMિ . રૂ૪ પરિહિયા નિન, નગારા શેરાવતી વરિત -દશા ૮/ગા૨ ચૂર્ણિ:- વિ વીમા નિત્ય નિ જાથરીતિ સબૅરિ નિવામાં સમોસાળ પરિહિતિ સમવાયાંગ સૂત્રનો ભલામણ પાઠ પણ ઉપયોગી છે, જોઈ લેવો. દશાશ્રુત સ્કંધ સૂત્ર, દશા, ૮, નિયુક્તિ ગાથા-દર. (૭૦) મુનિશ્રી પુણ્યવિજયજીએ બૃહત્કલ્પ ભાષ્ય ભાગ ૬ પ્રસ્તાવનામાં લખ્યું છે તે ધ્યાનમાં લેવા જેવું છે અહીં પ્રસંગવશાત્ એક વાત સ્પષ્ટ કરી લઈએ કે ચૌદપૂર્વી ભગવાન ભદ્રબાહુના જમાનાના નિયુક્તિ ગ્રંથોને આર્યરક્ષિતના જમાનામાં વ્યવસ્થિત કરાયા અને તે ફરીથી પછીના જમાનામાં વ્યવસ્થિત કરવામાં આવે, એટલું જ નહીં પણ એ નિર્યુક્તિ ગ્રંથોમાં ઉત્તરોત્તર ગાડા ભરીને વધારો ઘટાડો કરવામાં આવે; આ જાતની કલ્પના કરવી જરાય યુક્તિ સંગત નથી. કોઈપણ મૌલિક ગ્રંથમાં આવા ફેરફાર કર્યા પછી એ ગ્રંથને મૂળ પુરુષના નામથી પ્રસિદ્ધ કરવામાં ખરે જ એના પ્રણેતા મૂળ પુરુષની તેમજ પછીના સ્થવિરોની પ્રમાણિકતા દૂષિત જ થાય છે. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો કોઈ પણ સ્થવિર મહર્ષિ પ્રાચીન આચાર્યના ગ્રંથમાં અનિવાર્ય રીતે વ્યવસ્થિત કરવાની આવશ્યકતા ઉભી થતાં, તેમાં સંબંધ જોડવા પૂરતો ઘટાડો ઉમેરો કે સહેજ ફેરફાર કરે એ સહ્ય હોઈ શકે. પણ તેને બદલે તે મૂળ ગ્રંથકારના જમાના પછી બનેલી ઘટનાઓને કે તેવી બીજી અયુક્ત બાબતોને મૂળ ગ્રંથમાં નવેસરથી પેસાડી દે, એથી એ ગ્રંથનું મૌલિકપણું, ગૌરવ કે પ્રમાણિકતા ઉજ્વલ થશે ખરી? આપણે નિર્વિવાદપણે કબૂલ કરવું જોઈએ કે મૂળ ગ્રંથમાં એવો નવો ઉમેરો ક્યારેય પણ વાસ્તવિક કે માન્ય કરી શકાય નહીં. કોઈપણ મહર્ષિ એવો ઉમેરો કરે પણ નહીં અને તે જમાનાના બીજા સ્થવિરો પણ તેને સ્વીકારે નહી.' ટિપ્પણ:- એટલે નિર્યુક્તિઓમાં અનુચિત ફેરફાર કરવાનું માનવા કરતાં પછીથી થયેલ દ્વિતીય ભદ્રબાહુની જ સંપૂર્ણ રચના માનવી સુસંગત છે, એવું જ કલ્પસૂત્ર બાબતમાં સમજી લેવું જોઈએ. પરંતુ એમ ન કહેવાય કે પૂરું અક્ષરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy