SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત : ભાષ્ય, નંદી સૂત્ર, સિદ્ધસેન (ગંધહસ્તિ) અને ગોવિંદ વાચક વગેરેના નામનો ઉલ્લેખ આવેલ છે. (૫૨) સાર એટલો જ છે કે બધા ભાષ્યકાર લગભગ દેવર્કિંગણ પછીના કાળ માં થયા છે, એટલે ચૂર્ણિઓ પણ એ પહેલાની હોય તેવી શક્યતા જણાતી નથી, ભલેને પછી તે અગસ્ત્યસિંહની ચૂર્ણિ કેમ ન હોય. તેમાં પણ ભાષ્યોનો ઉલ્લેખ આવે છે. એટલે(ચૂર્ણિ અંગે) વિક્રમની ત્રીજી શતાબ્દીના સમયની કલ્પના ઉતાવળ ભરી લાગે છે. અગસ્ત્યસિંહ સૂરિના ગુરુનું નામ ઋષિગુપ્ત પણ કહેલ છે. ‘પ્રબંધ પારિજાત’ પૃ. ૪૯૦. (૫૩) વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન ક્ષમાશ્રમણના શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ ક્ષપક, સત્ય શ્રી પ્રમુખ શ્રુતધરો દ્વારા મહાનિશીથ સૂત્રનું સમર્થન કરાયેલ છે, તે સંદેહજનક લાગે છે. તે બધા શ્રુતધરો સમકાલીન નહોતા. વૃદ્ધવાદી અને સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ કરતાં ૩૦૦ વર્ષ પૂર્વે થયેલાં છે. કેટલાક નામો અપ્રસિદ્ધ છે. નેમિચંદ્રનો સમય ૧૧મી સદીના પૂર્વાર્ધનો છે તો જિનદાસ ગણિ નિશીથ ચૂર્ણિકર્તા વિક્રમની આઠમી સદીના ઉત્તરાર્ધમાં થયા હતા. (૫૪) મહાનિશીથનો હરિભદ્રસૂરિ દ્વારા ઉદ્ધાર કરવાનું પ્રમાણિત થઈ શકતું નથી કેમ કે આ સૂત્રની વચ્ચે હરિભદ્રનું નામ જે શ્રદ્ધા સાથે લીધું છે તેથી પણ સ્પષ્ટ થાય છે કે તેના કર્તા હરિભદ્ર સિવાયના કોઈ હતાં. હરિભદ્રસૂરિના લગભગ ૬૦ ગ્રંથ વાંચ્યા છે પરંતુ તેમાં મહાનિશીથના ઉદ્ધારની વાત તો દૂર પણ તેના નામનો અછડતો નિર્દેશ પણ ક્યાંય જણાતો નથી. – મુનિ કલ્યાણવિજયજી, - તેથી મહાનિશીથ સૂત્ર ઉધઈથી ખંડિત કરાયું અને આચાર્ય હરિભદ્રસૂરિએ પાછળથી તેને અન્યાન્ય શાસ્ત્રોના પાઠો વડે વ્યવસ્થિત કર્યું. પછી સિદ્ધસેન વગેરે આઠ શ્રુતધર યુગપ્રધાન આચાર્યોએ તેને પ્રમાણિક ગણાવ્યું, વગેરે કિંવદંતીઓ સત્ય નથી. પ્રબંધ પારિજાત પૃષ્ઠ. ૭૧-૭૨. (૫૫)નંદીસૂત્રમાં કાલિકશ્રુતની સૂચિમાં વ્વ શબ્દ બૃહત્કલ્પ સૂત્ર માટે વપરાયો છે અને ઉત્કાલિક સૂત્રમાં ચૂલ્લ કલ્પસૂત્ર અને મહાકલ્પસૂત્ર એ બે કલ્પસૂત્રના એ નામ આવે છે, જેથી મુનિશ્રી કલ્યાણ વિજયજીનું માનવું એમ છે કે મહાકલ્પનો વિચ્છેદ થયાને ૧૦૦૦ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે અને ચુલ્લ કલ્પ શ્રુતને જ આજે ‘પર્યુષણા કલ્પ સૂત્ર ગણવામાં આવે છે’. – પ્રબંધ પારિજાત પૂ. ૧૩૪. (૫૬) આચાર્ય હરિભદ્રસૂરિનું ટીકાકારોમાં સર્વ પ્રથમ નામ આવે છે. તેમનો સત્તા સમય વિ. સં. ૭૫૭ થી ૮૨૭ સુધીનો છે. ગુરુ જિન ભટ્ટ(જિનદત્ત) સૂરિ હતા. આજે હરિભદ્રના ૭૫ ગ્રંથ ઉપલબ્ધ છે. તેમણે ૧૪૪૪ ગ્રંથની રચના કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy