SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ | અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ | T | ૧૮૯ પરિશિષ્ટ પર્વ વગેરે પ્રાચીન ગ્રંથોમાં ભદ્રબાહુનું જીવન ચરિત્ર વર્ણિત છે. તેમાં ૧૨ વર્ષીયદુકાળ, નેપાળ દેશમાં રહેવાનું, મહાપ્રાણ ધ્યાનની આરાધના, સ્થૂલભદ્ર વગેરેને વાચના દેવાનું, છેદસૂત્રોની રચનાનું વર્ણન વગેરે હકીકતો આવે છે. પણ વરાહમિહિરના ભાઈ હોવાનો નિર્યુક્તિઓ રચવાનો, ઉપસર્ગહર સ્તોત્ર, ભદ્રબાહુ સંહિતા વગેરે રચવાનો આદિ અંગે કશોય ઉલ્લેખ નથી. અર્થાત્ ઉક્ત પરિશિષ્ટ પર્વઆદિની રચનાના સમય સુધી નિયુક્તિકાર તરીકે દ્વિતીય ભદ્રબાહુ-સ્વામીની માન્યતા હતી પરંતુ પ્રથમ ભદ્રબાહુના માટે તેઓ નિર્યુક્તિકાર હતા કે વરાહમિહિરના ભાઈ હતા એવી કોઈ સ્પષ્ટ માન્યતા ન હતી- "પ્રબંધ પારિજાત (૪૫) કેટલાક વિદ્વાનો ચૌદપૂર્વી ભદ્રબાહુને જ વરાહમિહિરના ભાઈ, સહોદર હતા, તેમ માને છેસાથે જ છેદ સૂત્ર, નિર્યુક્તિ, સ્તોત્ર અને સંહિતાના પ્રણેતા પણ માને છે. પરંતુ આ કથન કોઈ રીતે સંગત નથી– પુણ્યવિજયજી મ.સા (૪૬) સ્થવિર અગત્યસિંહની ચૂર્ણિમાં તત્ત્વાર્થ સૂત્ર, આવશ્યક નિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ, વ્યવહાર ભાષ્ય, કલ્પ(બૃહત્કલ્પ) વગેરે ગ્રંથોનો પણ ઉલ્લેખ છે. આ ચૂર્ણિમાં ભાષ્યની ગાથાઓ પણ ઉદ્ભૂત કરેલી છે. (૪૭) ચૂર્ણિ સાહિત્યમાં જિનદાસ ગણિ મહત્તરનું મૂર્ધન્ય સ્થાન છે. તેમના વિદ્યાગુરુ હતા પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ. જિનદાસ ગણિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની પછી અને હરિભદ્રસુરિની પહેલાં થયા હતા, સંભવતઃ વિ. સં. ૫૦ થી ૭૫૦ની વચ્ચે થયા હોઈ શકે. નંદીસૂત્ર ચૂર્ણિના ઉપસંહારમાં શકસંવત – ૫૯૮ આપેલ છે, જેના રચયિતા પણ જિનદાસ ગણિ જ હતા. તેમણે કેટલી ચૂર્ણિ રચી તે જ્ઞાત નથી પરંતુ હાલ ૭ ચૂર્ણિ મળે છે– ૧. નિશીથ ૨. નંદી ૩. અનુયોગ દ્વાર ૪. આવશ્યક ૫. દશવૈકાલિક ૬, ઉત્તરાધ્યયન ૭. સૂયગડાંગ. (૪૮) જીવકલ્પ ચૂર્ણિ કરનારા સિદ્ધસેન સૂરિ અને બ્રહક્ષેત્ર સમાસની ટીકા કરનારા ગંધહસ્તિ એક જ વ્યક્તિ છે એ તેનું અપરનામ હોય શકે છે. (૪૯) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો કાળ વિક્રમ સંવત ૫૦થી ૬૦ની આસપાસનો છે. તેમની કુલ ૯(નવ) રચનાઓ મળે છે– (૧) વિશેષાવશ્યક ભાષ્ય (ર) તેની ટીકા (૩) બૃહત્સંગ્રહણી (૪) બૃહત્વોત્ર સમાસ (૫) વિશેષણવતી (૬) જીતકલ્પ (૭) જીતકલ્પ ભાષ્ય (૮) અનુયોગ દ્વારા ચૂર્ણિ (૯) ધ્યાન શતક. (૫૦)જીત કલ્પ ભાષ્યમાં–બુ ભાષ્ય, પંચ કલ્પ ભાષ્ય, પિંડનિયુક્તિ વગેરેની ગાથાઓ ઉદ્ભૂત કરેલી છે. (૫૧) સંઘદાસગણિ-ભાષ્યકર્તા અને વસુહિંડીના કર્તા, એમ બે થઈ ગયા. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે (ભાષ્ય કર્તા), પોતાના વિશેષણવતી ગ્રંથમાં વસુદેવહિંડીની ગાથાઓનો ઉપયોગ કરેલ છે. તેમના નિશીથ ભાષ્યમાં બૃહત્કલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy