SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ સ્કંધની નિર્યુક્તિપરક ચૂર્ણિ મૌલિક છે અને તેમાં સ્વતંત્ર પદ વ્યાખ્યા ચૂર્ણિ અન્ય કર્તૃક પ્રક્ષિપ્ત થઈ છે. જેનો ભેદ પણ ચૂર્ણિમાં સ્પષ્ટ જણાય છે. (૩૦) ધ્રુવસેન નામે ત્રણ રાજા થઈ ગયા, તેવું વર્ણન મળે છે– પ્રથમ ઃ (૧) ગુપ્ત સંવત ૨૦૦ થી ૨૩૦ માં, વીર નિર્વાણ સંવત ૧૦૪૬ થી ૧૦૭૬માં, વિક્રમ સંવત ૫૭૬ થી ૬૦માં. દ્વિતીય : (૨) વિક્રમ સંવત ૬૪૮ થી ૬૯૯ માં, વીર નિર્વાણ ૧૧૫૪થી ૧૧૫૯માં. તૃતીય : (૩) વિક્રમ સંવત ૭૦૭ થી ૭૧૧ માં, વીર નિર્વાણ ૧૧૭૭ થી ૧૧૮૧માં. ૧૮૭ ધ્રુવસેન રાજાના પુત્રનું મૃત્યુ વિક્રમ સંવત ૫૮૪માં, શાસ્ત્રલેખન વિક્રમ સંવત ૫૧૦ થી પર૩ ની વચ્ચેના સમયમાં. (૩૧) ગુપ્ત સંવત, વલભી સંવત, મૈત્રક સંવત આ ત્રણેય એક જ પર્યાય છે. (૩૨) આજ કાલનું પર્યુષણાકલ્પ સૂત્ર બારસો શ્લોકો કરતાં પણ વધારે પરિમાણવાળું છે પરંતુ આ પરિમાણ મૌલિક નથી. વર્તમાનમાં જે અંતિમ અધિકાર સમાચારી રૂપ છે, તેટલો પર્યુષણા કલ્પ હતો, જેનો સ્વાધ્યાય શ્રમણ વર્ગ કાલ ગ્રહણ પૂર્વક રાત્રિના સમયે કરતાં હતાં. તેની એ સમયે નવ વાચનાઓ (વ્યાખ્યાનો) હતી તેમજ એ ચતુર્વિધ સંધની સભાઓમાં ખુલ્લેઆમ વંચાતું ન હતું !' આમ મૂર્તિપૂજક શ્રી કલ્યાણજીવિજયજી મ.સા. લખે છે. (૩૩) ‘પ્રબંધ પારિજાત’ પૃષ્ટ- ૧૫૨–સંદેહ વિષૌષધિ નામનું કલ્પ પંજિકા (કલ્પસૂત્ર ટીકા) છે, જેમાં પોતાનું મંગલાચરણ કર્યા પછી ટીકાકારે લખ્યું છે કે— ‘પર્યુષણા કલ્પની કોઈક બે પ્રતોમાં મંગલાર્થ પંચ નમસ્કાર કરેલ દષ્ટિગોચર થાય છે જેવુત્તિવાવશેષુ આ શબ્દોથી એટલું પ્રતીત થાય છે કે પંચ નમસ્કાર પ્રારંભમાં નહોતાં પરંતુ પાછળથી પ્રક્ષિપ્ત કરીને ઉમેરાયેલ છે. (૩૪) અયાસી ગ્રહોમાં ભસ્મરાશિ નામનો ત્રીસમો ગ્રહ છે, જે ભગવાનના જન્મ નક્ષત્ર પર હતો. તેની સ્થિતિ બે હજાર વર્ષની હોય છે. આવું વર્ણન કલ્પસૂત્રના મૂળ પાઠમાં છે. આ ગ્રહ દશાના કારણે મૂર્તિપૂજા અને યતિઓમાં શિથિલાચાર પ્રસર્યો અને એ ગ્રહદશા સમાપ્ત થયા પછી જ સ્થાનકવાસી ધર્મ પ્રગટ્યો. (૩૫)તિત્થોલીય પફળા અમે સુપેરે વાંચ્યું છે. તેમાં આ ગાથાનું નામોનિશાન પણ નથી. વાસ્તવમાં પૂર્ણમિક આંચલિક આદિ નૂતન (મૂર્તિપૂજક) ગચ્છ પ્રવર્તકોએ આ પ્રકારની અનેક નવીન ગાથાઓ બનાવીને તિત્ત્વોનાલીય પળા મહાનિશીથ વગેરે ગ્રંથોમાં પ્રક્ષિપ્ત કરેલી છે. એવા જ કોઈ પ્રકારનું પુસ્તક જિનપ્રભસૂરિના હાથમાં આવ્યું અને તેને પ્રમાણિક માની લેવાયું, જે તેમણે ઠીક નહોતું કર્યું. એ ગાથાઓમાં સાંવત્સરિક, ચાતુર્માસિક તિથિના સંબંધનો વિષય છે. જિનપ્રભસૂરિ તપાગચ્છી વિદ્વાન હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy