________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
લેવા, અંધશ્રદ્ધાથી જ થઈ શકે (૩) સમાચારીની રચના શૈલી તથા વિષય વર્ણન ચૌદપૂર્વી ભદ્રબાહુસ્વામી દ્વારા રચાયેલાં પાઠો તથા અન્ય આગમોથી વિરુદ્ધ અને અસંગત જણાય છે (૪) ઉપસંહાર વાક્યની રચના અને ભાવાર્થ પણ ભક્તિ કે સ્વાર્થના અતિરેકથી યુક્ત છે અને હાસ્યાસ્પદ જણાય છે.
૧૮૨
(૧૬) કલ્પસૂત્ર માટે શ્રદ્ધા કે પ્રચાર ગમે તેટલો હોય પરંતુ ૭ર-૪૫-૩૨ કે ૮૪ આગમોની પ્રચલિત સંખ્યામાં ક્યાંય પણ તેનું સ્વતંત્ર નામ નથી. નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિઓ, ટીકા વગેરે મલયગિરિ આચાર્ય સુધીના કોઈ પણ વ્યાખ્યાગ્રંથમાં આ સૂત્રનું નામોનિશાન નથી.
(૧૭) આચાર્ય રામચંદ્રસૂરિના વિદ્વાન સંતો પણ એને પૂર્ણ શુદ્ધ તથા ૧૨૦૦ શ્લોક પ્રમાણ ભદ્રબાહુનું રચેલું નથી, એવું સ્વીકારે છે અને અન્ય કૃત ચૂલિકાઓ પરિશિષ્ટ અને હસ્તપ્રતની બાજુની ટિપ્પણીઓ ભળવાથી અશુદ્ધ અને વિકૃત થયાનું પણ સ્વીકારે છે.
કોઈપણ દેરાવાસી વિદ્વાન સંત ૧૩મી શતાબ્દીની પૂર્વનું એવું કોઈ પ્રમાણ ગોતીને બતાવવાનો પ્રયત્ન કરે કે જેમાં આ પર્યુષણા કલ્પસૂત્રના ૧૨૦૦ શ્લોક જેટલાનું નામ સહિત સ્વતંત્ર અસ્તિત્ત્વ સિદ્ધ થાય !
(૧૮) આ નવીન નામધારી કલ્પસૂત્રને વ્યવસ્થિત કરનારા આચાર્યે દશાશ્રુતસ્કંધ સૂત્ર આઠમા અધ્યયનના નામે પ્રસિદ્ધ કરવા તેની મૌલિક રચના નહોતી કરી, પરંતુ પાછળથી તેને સ્વતંત્ર સૂત્ર રૂપે છદ્મસ્થિક દોષથી આઠમી દશાના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જ કારણે આઠમી દશાના મૂળ પાઠમાં હસ્તક્ષેપ કરવામાં આવેલ છે, એટલું સુનિશ્ચિત છે.
આનું કારણ એ છે કે આ સૂત્રના સંકલનમાં શરૂઆતમાં તીર્થંકર વર્ણન છે જ્યારે આઠમી દશામાં અને તેની નિયુક્તિ ચૂર્ણિમા પ્રારંભથી ‘પર્યુષણા’ની
વ્યાખ્યા છે.
(૧૯) આજે દશાશ્રુતસ્કંધ સૂત્રની આઠમી દશામાં જે સંક્ષિપ્ત પાઠ પ્રાયઃ પ્રતિઓમાં ઉપલબ્ધ છે, દશાશ્રુત સ્કંધ ચૂર્ણિ (શ્રી ચંપક સાગર દ્વારા સંપાદિત)માં પણ તે જ સંક્ષિપ્ત પાઠ ઉપલબ્ધ છે. પરંતુ આ સંક્ષિપ્ત પાઠ દશાશ્રુતસ્કંધની નિયુક્તિ ચૂર્ણનું અનુકરણ કરનારો નથી પણ સ્વતંત્ર બન્યા પછીના પ્રસિદ્ધ કલ્પસૂત્રનું અનુકરણ કરનારો પાઠ છે. આ દોષ સૂત્રકાર કે લિપિ પ્રારંભ કાળનો નથી પરંતુ વચ્ચેના કાળમાં જે અશુદ્ધ આગમ હસ્તક્ષેપ થયેલ, તેના ફળ સ્વરૂપ છે.
આઠમી દશામાં ઉપલબ્ધ તે સંક્ષિપ્ત મૂળ પાઠમાં તેખ જાતેળ તેમ સમĪ (પાંચ હસ્તુત્તર કહીને) નાવ મુગ્ગો વસેફ એવો સંક્ષિપ્ત પાઠ છે જેની નિયુક્તિ તથા ચૂર્ણિથી જ તેની અપ્રમાણિકતા સ્પષ્ટ થાય છે. નિર્યુક્તિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org