________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૮૧
૦
(૧૦) વિ. સં. ૯૦૦ પછી બે અંગોના ટીકાકાર શીલાંકાચાર્ય થયા. (૧૧) વિ. સં. ૯૫૦-૧૦૦૦ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ થયાં. (૧૨) વિ. સં. ૧૦૫૦ થી ૧૧૩૦ આચાર્ય માલધારી હેમચંદ્ર તથા દેવેન્દ્ર સૂરિ અને મલયગિરિ આચાર્ય ટીકાકાર થયા. (૧૩) વિ. સં. ૧૨૦૦-૧૩૦૦માં કલ્પસૂત્રની રચના થઈ. (૧૪) વિ. સં. ૧૩૦૦-૧૪૦૦માં કલ્પાંતર વાચ્યોની રચના(કલ્પસૂત્રની ટીકાઓ) થઈ. (૧૫) વિ. સં. ૧૨00-૧૪00 પટ્ટાવલીઓ વગેરે ઇતિહાસોની રચના થઈ.
શક સંવત તથા વિક્રમ સંવતમાં ૧૩પ વર્ષનું અંતર હોય છે. વીર સંવત અને વિક્રમ સંવતમાં ૪૭૦ વર્ષનું અંતર હોય છે. વિ.સં. અને ઈ.સ.માં ૫૭(ગુજરાતી પ૬) વર્ષનું અંતર હોય છે.
સિદ્ધસેન ગણિએ અકલંક દેવની તત્વાર્થ વાર્તિકનો ખૂબ ઉપયોગ કર્યો છે અને અકલંક દેવે પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક ધર્મકિર્તીનું ખંડન કરેલ છે. સિદ્ધસેન ગણિના દાદાગુરુ સિંહસૂરિએ નયચક્ર ટીકામાં ધર્મકીર્તિનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. પરંતુ વિશેષાવશ્યક ભાષ્યમાંથી ગાથાઓ ઉદ્ભૂત કરી. ભાષ્યકાર દિન ભદ્રગણિનો તથા ધર્મકીર્તિનો સમય નિશ્ચિત્ત છે અર્થાત્
ભાષ્યકારનો સમય વિ. સં. ૫૦ નિશ્ચિત સિંહસૂરિનો
વિ. સં. ૭૫ અનુમાનિત ધર્મકિર્તીનો વિ. સં. ૮ર-૭૦૭ નિશ્ચિત અકલંક દેવનો વિ. સં. ૭૫૦ અનુમાનિત હરિભદ્રસૂરિનો વિ. સં. ૭૫૭ થી ૮૨૭ નિશ્ચિત સિદ્ધસેન ગણિનો વિ. સં. ૭૭૫ થી ૮૬) અનુમાનિત
હરિભદ્રસૂરિએ તત્ત્વાર્થ ભાષ્યની ટીકામાં સિદ્ધસેનની ટીકાનું અનુસરણ કર્યું છે. નોંધ – આ બધા વર્ણનોની વિગત જાણવા માટે બૃહત્કલ્પ ભાષ્ય ભાગ–ની પ્રસ્તાવના અને જૈન સાહિત્યનો ઈતિહાસ (લે. પંડિત કૈલાશચંદ્રજી શાસ્ત્રી) જોઈ લેવું જોઈએ. (૧૫) સંપૂર્ણ કલ્પસૂત્રના રૂપમાં દશાશ્રુતસ્કંધ સૂત્રનું આઠમું અધ્યયન હોવાના પ્રચારમાં નિમ્ન સ્થળ, સંદેહ ઉત્પન્ન કરનારા છે તથા તેને અસત્ય સિદ્ધ કરે છે– (૧) કોઈ પણ આગમમાં સંવત માન્યતા ભેદ અનાવશ્યક તથા અનુપયુક્ત હોય છે. આ ચર્ચાનો છેદ સૂત્ર સાથે કોઈ સંબંધ હોવાનું જણાતું નથી (૨) વિરાવલીગત વંદન સ્તુતિ વગેરે વર્ણનોને આંખો મીચીને ભદ્રબાહુના માની
૦
જ
ટે
૧
9)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org