SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીતા નિશીથની રચના થઈ એટલે અમાંત માન્યતાનો પ્રભાવ સૂત્રની રચનામાં પણ વર્તાય છે. ટિપ્પણ – શું આર્યરક્ષિત વગેરે પૂર્વધારી પ્રતિષ્ઠિત આચાર્યો અનેક આગમોથી વિરુદ્ધ ક્ષેત્રિક માન્યાતાઓથી પ્રભાવિત થઈ શકે ખરાં? અને તેને સૂત્રમાં સંબંધ કરી શકે? આવી ક્લિષ્ટ કલ્પના કરવાના બદલે યોગ્ય રીતે સૂત્રનો સંગત અર્થ કરવો જ યોગ્ય છે. જેથી પૂર્વાચાર્યોને કલંકિત પણ ન કરવા પડે અને આગમથી વિપરીત પ્રરૂપણા પણ ન થાય. (૧૨) અગત્સ્યસિંહ સૂરિની દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિમાં અનેક ભાષ્ય ગાથાઓ હોવાનું મુનિશ્રી પુણ્યવિજયજીએ સ્વીકાર્યું છે. ભાષ્યકાર જિનભદ્ર ગણિનો વિ. સં. ૧૦માં જન્મ હોવાનો સંભવ છે. ઈ. સ. ૦૯માં તેઓ હયાત હતા.–અગત્ય ચૂર્ણિની પ્રસ્તાવના પૃષ્ટ–૭માંથી (૧૩) આ પ્રમાણે ૭ર સૂત્રોનું લેખન દેવર્ધ્વિગણિ દ્વારા થયા પછી કાળાંતરે વ્યાખ્યાઓ પણ સમય સમય પર ક્રમથી લખવામાં આવી અર્થાત્ પહેલાં નિર્યુક્તિઓ, પછી ભાષ્ય, પછી ચૂર્ણિઓની રચના થઈ જે અનેક રચનાકારોના સંવતથી સ્પષ્ટ જણાય છે. (૧૪) વરાહમિહિર દ્વારા પંચસિદ્ધાંતિકા વિ. સં. પદરમાં રચેલી છે. આજ વરાહમિહિરના ભાઈ દ્વિતીય ભદ્રબાહુ સ્વામી હતા, તેમને ૧૪ પૂર્વી ભદ્રબાહુના ભાઈ ગણી લેવા ભ્રામક છે. – બૃહત્કલ્પ ભાષ્ય, ભાગ- પ્રસ્તાવના, પૃ. ૧૭ના આધારે. (૧) વિ. સં. પ૧૦માં દેવદ્ધિગણિ, કાલકાચાર્ય, શાંતિસૂરિ વગેરે દ્વારા આગમ લેખન થયું. (૨) વિ. સં. ૫૦-૬૦૦ માં વરાહમિહિરના ભાઈ દ્વિતીય ભદ્રબાહુ સ્વામી નિર્યુક્તિકાર બન્યા. (૩) વિ. સં. 00-૨૦ સંઘદાસગણિ, ભાષ્ય તથા વસુદેવહિડિના રચનાકાર થયા. (૪) વિ. સં. ૫૦% જિનભદ્રગણિ ભાષ્યકારનો ઉત્તરકાળ છે, તેમનો જન્મ વિ. સં. ૬૧૦માં છે. (૫) વિ. સં. ૮૦ થી ૭૫૦ જિનદાસગણિ ચૂર્ણિકાર થયા. તેઓની નંદી સૂત્રની ચૂણિમાં ૭૩રમી વિ. સં. લખેલ છે. (૬) વિ. સં. ૭૦૦ પછી અગત્સ્યસિંહ સૂરિ. (૭) વિ. સં. ૭૨૦-૭૦ સુધી કોટ્યાચાર્ય, વિશેષાવશ્યક ભાષ્યના ટીકાકાર (અપૂર્ણ હતી તે પૂર્ણ કરી) (૮) વિ. સં. ૭૫૦-૨૫૦ ગંધહતિ અપનામ સિદ્ધ સેનાચાર્ય-તત્ત્વાર્થ ભાષ્યની ટીકા પૂર્ણ કરી તથા આચારાંગ ટીકા પ્રારંભ કરી. (૯) વિ. સં. ૭૫૭-૮૨૭ હરિભદ્રસૂરિ અનેક ગ્રંથકર્તા તથા ટીકાકાર થયાં. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy