________________
અનુભવ અર્ક ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
:
ન
૧૦૦૦-૧૧૦૦ શ્લોક પ્રમાણ સૂત્ર પાઠને છોડીને આગળના પાઠથી નિર્યુક્તિ કરે અને તેની ચૂર્ણિ કરનારા આચાર્ય પણ તેની જ પ્રારંભિક રૂપથી વ્યાખ્યા કરે અને કોઈ સ્પષ્ટીકરણ ન કરે કે અમે અમુક સૂત્ર છોડીને આગળથી નિર્યુક્તિ ચૂર્ણિ એ કારણોથી કરીએ છીએ વગેરે. ટૂંકમાં આઠમી દશામાં ઉપલબ્ધ સંક્ષિપ્ત પ્રારંભ અને અંત બંને જ અશુદ્ધ માનસથી ચલાવેલ પાઠ છે, મૌલિક નથી. (૨૦) ગણધર તથા ભદ્રબાહુસ્વામીના અન્ય સૂત્રો પણ ઉપલબ્ધ છે, તેમાં કોઈ પણ વચ્ચેના અધ્યયનોમાં નવકારમંત્રનો પ્રયોગ નથી. તે એટલે સુધી કે ત્રણ છેદ સૂત્રોમાં તો કોઈ મંગલપાઠનું નામ પણ નથી. તો આ નવકારમંત્ર યુક્ત નવીન પ્રસિદ્ધ સૂત્રને શ્રી ભદ્રબાહુસ્વામીના નામે અક્ષરશઃ ૧૨૦૦ શ્લોક પ્રમાણ પ્રસિદ્ધ કરવું શું ઉચિત કહી શકાય ? અને આ પૂર્ણતઃ મિશ્રિત સૂત્રનું ભગવાન દ્વારા પરિષદમાં અનેકો વખત અર્થસહિત, વિસ્તારપૂર્વક વાંચન કરવાનું કથન, ઉપસંહાર વાક્યથી સમજવું એ હાસ્યાસ્પદ અને મૂર્ખતા ભરેલું છે.
૧૮૩
(૨૧) નિર્યુક્તિ ગાથા રમાં જે સંકેત કરવામાં આવ્યો છે, તે સંદિગ્ધ પણ છે, વિચારણીય પણ છે. તે ગાથામાં મંગલ નિમિત્ત પણ કહ્યું છે. વિચારવાની બાબત એ છે કે પ્રારંભની ૬૧ ગાથામાં તથા તેના આધારભૂત મૂળપાઠમાં કોઈપણ મંગલ કહ્યા વગર જ વર્ણન કર્યું છે. મંગલની પ્રથાવાળા આદિ મંગલ તો અવશ્ય કરે છે, મધ્ય કે અંત મંગલમાં ભજના કે નાસ્તિ હોય છે. પરંતુ આ અધ્યયન માટે નિર્યુક્તિમાં આદિ મંગલ વિના મધ્ય મંગલ કેમ ?
વાસ્તવમાં આ દશાના મૌલિક વિષયની વ્યાખ્યા ૬૧ ગાથા સુધી પ્રાયઃ પૂર્ણ થઈ જાય છે અને પછીની બાસઠમી ગાથાની ચૂર્ણિમાં 'સ્થવિર ગણધર' એવો વિકલ્પ પાઠ સ્વીકાર કરવામાં આવ્યો છે. (જુઓ પુણ્યવિજયજી કૃત કલ્પસૂત્ર ચૂર્ણિ) મૂળપાઠના સંક્ષિપ્ત પાઠમાં પણ જ્યારે નિયુક્તિ વ્યાખ્યાથી વિપરીત ઘડીને રાખવામાં આવી છે તો તેની સામે ર થી ૬૭ સુધીની પાંચ નિર્યુક્તિ ગાથાને ઘડીને રાખવી એ કોઈ અસંભવ વાત નથી.
(૨૨) ભગવાનના મુખથી વારંવાર કહેવામાં આવેલ અધ્યયનમાં, તેમના હજાર વર્ષ પછીના સાધુઓના વંદનના પાઠને જોડી, તે ભગવાને કે ભદ્રબાહુએ રચેલું અધ્યયન છે, તેવી અસત્ય પ્રરૂપણાના નગારા વગાડી, તેનો પ્રચાર કરી દૈનિક સમાચારોમાં છપાવી, લોકોને ભ્રમિત કરવા; તે ઘણું જઘન્ય કૃત્ય છે. જો અજાણતાં આવું બન્યું હોય તો તે ક્ષમ્ય છે.
બાકી કોઈ પણ મૌલિક સૂત્રમાં તીર્થંકર, ગણધર આદિનું વર્ણન હશે અને ત્યાંથી તે કલ્પસૂત્રમાં સમાવીને વિશેષ વૃદ્ધિ પામેલું હોય તો પણ મૌલિક તો એટલું જ સમજવું જોઈએ કે... નાવ ગળધરા સવન્ના નિરવન્વી વોøિળા | આટલાને જ આગમિક મૌલિક તીર્થંકર થેરાવલી કે ગણધરાવલી માની શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org