SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત ગુરુ સંલેખના-સંથારાની અવસ્થામાં કહે કે અમુક મુનિને આચાર્ય પદ આપજો, પરંતુ તે યોગ્ય હોય તો આપવું, અયોગ્ય હોય તો તેની જગ્યાએ બીજી લાયક વ્યક્તિને તે પદ સોંપવું એવું સ્પષ્ટ વિધાન છે. ટૂંકમાં ૧૦ પૂર્વથી ઓછા જ્ઞાનવાળા અથવા આજના આચાર્યો કે વચ્ચેના દેવદ્ધિકાળના જ્ઞાનીઓ વગેરે કોઈની પણ આજ્ઞા આગમથી વિપરીત હોય તો તે ઈવરિક જ હોઈ શકે. તેને હંમેશાં માટે પ્રથા સમજીને ચાલવાથી તે મહા અનર્થકારી કર્તવ્ય થઈ જાય છે. દસ પૂર્વી કે તેથી વધારે જ્ઞાનવાળા આગમવિહારી હોય છે, તેમને માટે વ્યક્તિગત આચરણમાં શાસ્ત્રના નિયમો બાધક નથી હોતા પરંતુ ૧૦ પૂર્વથી ઓછા જ્ઞાનવાળાએ આગમ શાસ્ત્રોને મજબૂત પ્રમાણ માનીને ચાલવું જોઈએ, એ જ આગમ પદ્ધતિ છે. આમ ન થાય તો મનફાવે તેમ બહુમતવાળાઓ કંઈપણ ચલાવી દે, નિયમરૂપે !! અતઃ શ્રુતકેવળીઓની રચનામાં અધૂરપની કલ્પના કરવી અનુચિત છે અને તે પુનઃ વિચારણીય છે. છેદસૂત્રો પૂર્વમાંથી ઉદ્ધત કરેલા છે, એટલે તેને ગણધર રચિતજ માનવા જોઈએ. ઉદ્ધરણ કર્તા કોઈ પણ હોય, પૂર્વોની મૌલિક રચના તો ગણધરોની જ છે. સમયની આચાર શિથિલતાને કારણે આર્યરક્ષિતે કે સ્કંદિલાચાર્યે પોતાના વખતમાં, આગમોમાં પરિવર્તન કરવાની કોશિશ કરી હતી, તેવી કલ્પના કરવી યોગ્ય નથી. ઉપલબ્ધ વ્યવહાર સૂત્ર, બહત્કલ્પ સૂત્ર કે નિશીથસત્રને સમય પ્રભાવી રચના માનવાને બદલે, ગણધરોની રચના માનવામાં કોઈ વિરોધ નથી. શ્રુત કેવલી દ્વારા આચાર શાસ્ત્રની રચના પૂરા શાસનકાળને લક્ષ્યમાં રાખીને જ કરવામાં આવી હોય છે. તેમના સંબંધમાં અન્ય કલ્પના કરવી, તે પ્રમાણિક પુરુષોની આશાતનાનું કૃત્ય થાય છે, જે સર્વથા અનુચિત છે, અક્ષમ્ય દોષ છે. માટે આવા કાલ્પનિક વિધાનો, શંકાઓથી સાવધ રહીને, શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને વિવેકની સાથે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરવી જોઈએ. Cછે અક્ષયતૃતીયાઃ ભગવાન મહષભદેવનું પારણું ) (૧) ત્રિષષ્ટિશલાકા ચારિત્ર અધિકાર ૧, ૩અને ગાથા ૩૦૧-૩૦રમાં અક્ષય તૃતીયાનું પારણું કહ્યું છે, અર્થાત્ એકવર્ષ, એક માસ, આઠ દિવસ પછી ભગવાનનું પારણું થયું તેમ કહ્યું છે. (२) एक्कवरिसेण उसहो, उच्छुरसं कुणइ पारणं, गो-खीरे णिपरुण्णं-अण्णे વિવામિ વિવસમિ-તિeતોય પUMતિ ગાથા-૬૭૮ અર્થ– પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુએ એક વર્ષે ઇશુરસથી પારણું કર્યું, બીજા તીર્થકરોએ દીક્ષાના બીજા જ દિવસે ક્ષીરથી પારણું કર્યું. આ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy