________________
: ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
અર્ક :
અનુભવ
તાત્પર્ય એ થાય કે ચૌદ પૂર્વી ભદ્રબાહુસ્વામીને આચાર-છેદ સૂત્રોના વિધાન કરતી વખતે એટલું પણ જ્ઞાત નહોતું કે આગળ જતાં ૪૦૦ વર્ષ પછી આ વિધાનો ચાલશે નહીં ! જ્યારે આર્યરક્ષિતે કરેલાં વિધાનો ૧૫૦૦ વર્ષ સુધી ચાલ્યાં કરે !! આવું ચિંતન કોઈ પણ બુદ્ધિમાન સ્વીકારે નહીં.
૧૬૧
તેથી એ ખોટી કલ્પના છે કે આર્યરક્ષિતને આચાર શાસ્ત્રના વિધાનોમાં પરિવર્તન કરવાની જરૂર પડી. વાસ્તવમાં મધ્યકાળમાં આ પ્રકારના વાતાવરણનો પ્રવાહ ખૂબ ચાલતો હતો.
યથા- ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામી દ્વારા જ્યારે અસંવત્સરીમાં સંવત્સરી કરવાના ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્તનો શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે, તેમ છતાં પરિસ્થિતિ વશ સંવત્સરીને આગળ-પાછળ ઉજવીને તેનું પ્રાયશ્ચિત્ત લેવાના બદલે એ જ અપવાદને નિયમ બનાવી તેવો પાઠ સૂત્રમાં ઘૂસાડી તેની પરંપરા પણ ચલાવી નાખી. આવી કેટલીય પરંપરાઓ મધ્યકાળથી શરૂ થઈને આ જ સુધી ચાલી આવેલ છે. પરંતુ આ નિયમોનો પ્રવાહ આગમ પ્રમાણિત નથી. આગમના નિયમો જ સર્વોપરી છે. તેના આધારે સત્ય શોધી તે મુજબ વિચારી, ખોટી માન્યતા કે પરંપરાઓથી મુક્તિ મેળવી લેવી જોઈએ.
૧૪પૂર્વી ગણધર વગેરેની જે સ્પષ્ટ આજ્ઞા છે, તેનાથી વિપરીત કોઈપણ વાત વિષે પાછળના ઓછા જ્ઞાની પણ ઇમાનદાર આચાર્ય આજ્ઞા કરવાનું વિચારે નહીં, તેટલું નિશ્ચિત છે. જો કોઈએ અપવાદ રૂપી સંજોગોમાં વિપરીત આજ્ઞા કરી હોય તો તે આજ્ઞાનું મહત્વ અપવાદ જેટલું જ ગણાય. તે આચરણની પરંપરા ન ચલાવાય. તેમ છતાં કોઈ નામધારી આચાર્ય વગેરે આગમ વિપરીત આજ્ઞા મૌખિક કે લેખિત રૂપે શરૂ કરે અને તેની જ પરંપરા શરૂ થઈ જાય તો તેનું મહત્ત્વ આગમ વિધાનની સામે શૂન્ય જ ગણાય. નહીંતર પછીના ઓછા જ્ઞાની લોકો કંઈપણ શાસ્ત્ર વિપરીત વિધાનો કર્યા કરે !
આજના યુગમાં ઘણા આચાર્યો પોતાના અધિકાર, જીતાચારના નામે ભોગવે છે અને અપવાદરૂપ પરિસ્થિતિના આચરણોને પરંપરાના નામે ચલાવે છે જે નિાથ પાવયળ પુરો વાર્ડ વિહરની પ્રતિજ્ઞાથી ચ્યુત થવા જેવું છે. અપવાદને અપવાદ સુધી સીમિત રાખવાની સત્તા બધા ગીતાર્થોને છે જ. પણ તેનો અર્થ એ નથી, કે કોઈપણ આગેવાન શાસ્ત્ર વિપરીત વિધિ માર્ગ શરૂ કરીને તે ચલાવી દે; તેવો અધિકાર તો કોઈને ય હોતો નથી.
ય
શાસ્ત્રમાં નિર્દેશ કરેલ છે કે રત્નાધિકનો વિનય કરવો, પરંતુ સંયમનું સતત પૂરી રીતે ધ્યાન રાખવું; જેથી તેમાં કોઈપણ પ્રકારની આંચ ન આવે. સૂત્રોમાં ત્યાં સુધી નિર્દેશ કરેલો છે, કે ગુરુ પ્રાયશ્ચિત્ત આપે અને તે આગમાનુસાર ન હોય તો તે સ્વીકારે નહીં, સ્પષ્ટ ના કહી દે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org