SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્ક: ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ ૧પ૯ પર જનારા, વિશેષ ત્યાગ, તપ, અભિગ્રહ, પડિમા, જિનકલ્પ વગેરે સાધનાઓ કરનારા પણ એજ આચાર શાસ્ત્રોના આધારે રહેતા હોય છે. આગમોમાં વારંવાર પરિવર્તનની આવશ્યકતા માની લેવાથી શાસ્ત્રોનું મહત્વ કેટલું રહે? કેમ કે આજ રીતે આચાર શાસ્ત્રના કાયદાઓ બદલવાનો અધિકાર દર ૨૦૦-૪૦૦ વર્ષ પછી કોઈ આચાર્યના હાથમાં હોય તો આખી અવ્યવસ્થાનો દોષ લાગી જાય. એકવીસ હજાર વર્ષ સુધીમાં તો કેટલાય નિયમ બદલાઈ જાય! ખરેખર તો આવું કશું વિચારવું યોગ્ય જ ન ગણાય. આગમોમાં જે કાંઈ, જેટલા પણ વિધિ-નિષેધ જણાવ્યાં છે, તે જિનશાસનની દીર્ઘ દષ્ટિથી પરિપૂર્ણ છે. વ્યક્તિગત રીતે કે અમુક સંઘ દ્વારા અથવા અપવાદ રૂપી ક્યારેય કાંઈ કરવાનું આવે, તો તે અપવાદ પરિસ્થિતિ તથા રુચિ કે વાતાવરણ પર નિર્ભર કરે છે. જેનો સંકેત પણ આગમો તથા તેની વ્યાખ્યાઓમાંથી સ્વતઃ પ્રાપ્ત થાય છે. આચાર શાસ્ત્રોમાં ક્યાંક ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કર્તવ્યોની શિક્ષા આપી છે તો ક્યાંક મધ્યમ આચાર વિધાન પણ છે અને ક્યાંક અપવાદ પરિસ્થિતિમાં છૂટછાટ પણ છે અને તેમ છતાંય કોઈનાથી અન્ય વિપરીત આચરણ થઈ જાય તો તે માટે પ્રાયશ્ચિત્ત વર્ણન પણ આગમમાં આપેલાં છે. આગમ ભગવતીમાં કહેલાં કોઈ નિયંઠા મૂળગુણ પડિલેવી પણ છે, તો કોઈ ઉત્તરગુણ પડિલેવી પણ છે અને કોઈ પૂર્ણ શુદ્ધ પણ છે. તેમાંના કેટલાક આરાધનામય તો કેટલાક વિરાધનામય તેમ અનેક પરિસ્થિતિઓનું વર્ણન પણ છે. આ વિવિધ સદોષ નિર્દોષ નિયંઠાવાળાઓને પણ સાધુત્વમાં ગણાવ્યા છે. એકવીસ હજાર વર્ષ સુધીમાં, કોઈના માટે આચાર શાસ્ત્રમાં ફેરફાર કરવો પડે તેવું કશું છે જ નહીં. જો કોઈ એવું વિચારે કે આ આગમો ન ચાલી શકવાના કારણે પાછળથી વ્યવસ્થિત કરવામાં આવ્યા છે કે સુધારવામાં આવ્યા છે, તો તે કલ્પનાકારે એમ પણ વિચારવું રહ્યું કે મારી કલ્પના અનુસાર એક પૂર્વધર દ્વારા વ્યવસ્થિત કરાયેલ શાસ્ત્ર ૨૦,૦૦૦ વર્ષ ચાલે તેવા છે તો ૧૪ પૂર્વી તથા ગણધરોની રચનાના વિધાનો ૧૦૦, ૨00 કે 500, 800 વર્ષમાં વારંવાર બદલવા પડે તે કેટલું ઉચિત છે? અર્થાત્ આ એક ખોટી તથા અનુચિત કલ્પના છે. આવી કલ્પના કરવામાં કંઈ લાભ નથી. વળી આમ કરવાથી પૂર્વધરોની યોગ્યતા અને આગમની મહત્તાને કલંકિત કરવા જેવું થાય. માટે વિવેકીજનોએ આગમ બાબત આવી અર્થહીન કલ્પના કરવી જોઈએ નહીં. પછી તેવી કલ્પના ઇતિહાસ કે ગ્રંથ ગમે તેમાં હોય, તે અઘટિત અને અનુચિત જ છે; તેટલું સમજી લેવું જોઈએ. છવસ્થોની સ્મરણ શક્તિની કમીને કારણે શાસ્ત્રોમાં વિકૃત બનેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy