________________
૧પ૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
સિદ્ધ થતો નથી. ‘ઉપાશ્રય” શબ્દનો પ્રયોગ સ્પષ્ટ છે અને ક્યાંક પૌષધશાળાનો ઉલ્લેખ પણ થયો છે. - ઉપરોક્ત બાબતોને લઈ ક્યારેક કોઈ વિદ્વાનોએ આગમ અધ્યયન કરીને પછી પોતાના ચિંતન પ્રમાણે ભિન્નભિન્ન કલ્પનાઓ દ્વારા ગ્રંથો કેશિલાલેખોમાંથી વિચારણાઓ ફેલાવી હોય અને એ પરંપરા બની ગઈ હોય તેવું ચોક્કસ બન્યું હોવું જોઈએ. એ એકાંત દષ્ટિનો દુરાગ્રહ ગણાય અને જિનશાસનની કુસેવા ગણાય. આજના વિદ્વાનોએ આ બધી બાબતો પર ધ્યાન દઈ, ફક્ત આગમ સાપેક્ષ વાતોને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવો એ જ વિવેક ધર્મ છે. નોધ:- આ આગમ નવનીત પુષ્પમાં પણ કેટલાંક નવા ચિંતનો પ્રસ્તુત કરવામાં આવ્યા છે જે પ્રચલિત પરંપરાઓ તથા ધારણાઓથી તદ્દન જુદાં જ છે, પરંતુ તેના માટે આગમ સાપેક્ષ ચિંતન તથા ભ્રમણાઓનું પુરું ધ્યાન રખાયું છે, તેમ છતાં કોઈ વિદ્વાન વાચકના ધ્યાનમાં કોઈ આગમ નિરપેક્ષ વાત જણાય તો તે પોતાની વાત નિઃસંકોચ સંપર્ક સૂત્રના સરનામા પર લખી જણાવે અને જિનશાસનની સાચી સેવા કર્યાનો આનંદ મેળવે.
છે આગમ રચનામાં વારંવાર પરિવર્તનઃ અનુશીલન છE
ગણધર ભગવંતો તથા ૧૪ પૂર્વધારી વગેરે જિનશાસનમાં જે પણ આચાર શાસ્ત્રની રચના કરે ત્યારે તેઓ પરિપૂર્ણ શાસનકાળના સાધુઓનું ધ્યાન રાખીને જવિધિનિષેધના નિયમો રચે છે. તેમના નિયમો સંબંધી વિધાનો વિશે એવી કલ્પના કરવી અનુચિત છે કે- “તેઓ પોતાના શાસનકાળના આચાર શાસ્ત્રો વિશે કાયદાઓ, નિયમો ઘડે જે ર૦૦ કે ૪૦૦ વર્ષ પછી ચાલે નહીં, તેથી ફરી તેમાં ફેરફાર થાય. ત્યારપછી વળી બીજા ર૦૦ કે ૩૦૦ વર્ષ સમયગાળો જતાં તે નિયમો, શાસ્ત્રોમાં ફરી બીજા કોઈ દ્વારા બદલાય.” – આવી કલ્પના કરવામાં પૂર્વધરો તથા શાસ્ત્ર રચનાકારોની અયોગ્યતા ઘોષિત કરવા જેવું થાય!
એવી કોઈ લેખિત પરંપરા પ્રાપ્ત પ્રતો પણ નથી કે જેથી સાબિત થાય કે ૧૪ પૂર્વ અથવા ગણધરો દ્વારા રચાયેલ આચાર શાસ્ત્રોના કાયદાઓ આગળ જતાં બીજા કાળમાં ચાલી શકે તેમ નહોતા જેથી આર્ય રક્ષિતે અથવા અન્ય કોઈએ તે નિયમો પુનઃ ઘડ્યાં હોય. શ્રુતકેવળીની રચનામાં આવા દૂષણની કલ્પના કરવી તે જરા પણ યોગ્ય નથી.
એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ઇતિહાસ, કલ્પના કે ગ્રંથોને મૂળ આગમો કરતાં વધારે મહત્વ આપવું જોઈએ નહીં. આચાર શાસ્ત્રોમાં જે વિધાનો છે, તેમાં થોડો પણ ફેરફાર કર્યા વિના અનેક સાધકો, વસ્ત્ર, પાત્ર કે ઉપકરણો રાખનારા હોઈ શકે છે અને સવિશેષ સાધના કરનારા અથવા પર્વતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org