SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ ૧પપ (૩) ક્યાંક એવું લખ્યું છે કે પંત તારું પરિબ સfમવું . અર્થાત્ નિર્ધનગરીબ ઘરોમાં ભિક્ષાચારી કરનારા સાચા ભિક્ષુ છે. તો ક્યાંક મોટા-મોટા શ્રીમંતો અને રાજમહેલોમાં પણ ગોચરીએ જવાનું સ્પષ્ટ વર્ણન છે. ક્યાંક ખીરખાંડની ભોજન પ્રાપ્તિનું વર્ણન પણ છે. આ પ્રમાણે આપણા જૈન આગમ તાત્વિક સિદ્ધાંતોની અપેક્ષાએ જેમ સ્યાદવાદથી પરિપૂર્ણ છે તેમજ આચાર વિધાનોના પણ અનેક વિષયોમાં અનેકાંતતા ધારણ કરેલ છે. એટલા માટે જૈન સાધ્વાચાર સંબંધી નિયમો માટે, ઊંડું શાસ્ત્ર-ચિંતન કર્યા વિના ફક્ત ગ્રંથો, ઈતિહાસ અને ઉદાહરણો તથા શિલાલેખોમાંથી અથવા કથાઓમાંથી કોઈ પણ એકાંત કલ્પના કરવી યુક્તિ સંગત નથી. ઓછામાં ઓછું બે અંગ સૂત્ર, ચાર છેદ સૂત્ર અને બે મૂળસૂત્ર એમ કુલ આઠ આચાર સૂત્રોનું ચિંતનયુક્ત અનુભવ જ્ઞાન રાખવું અને તેને સામે રાખી ચિંતન કરવાનું પર્યાપ્ત થઈ જાય છે. અર્થાત્ આટલું ધ્યાન રાખી લેવાથી પણ અર્થ વગરની વર્તમાન સાધુઓની નબળાઈઓ જણાવવાની સ્થિતિ પેદા થાય નહી. વાસ્તવમાં એવી કલ્પિત અવાસ્તવિક નબળાઈઓ દેખાડવાથી ધર્મશ્રદ્ધા અને ઉત્સાહમાં કોઈ પણ પ્રકારે લાભ થવાની શક્યતા નથી. સર્વજ્ઞોની વાણીમાં અને તેમાં પણ આચાર સંબંધી વિધાનોમાં તો બધાય પ્રકારના સાધકોને ધ્યાનમાં રાખીને અનેક દરજ્જાના વિધાનોનો સમાવેશ કરાય છે. જઘન્ય દરજ્જાની પણ પોતાની એક સીમા હોય છે, એટલે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે બકુશ અને પ્રતિસેવના નિયંઠાવાળા પણ વૈમાનિક દેવો સિવાય ક્યાંય પણ જઈ શકતા નથી તેમના જઘન્ય ચારિત્ર પર્જાવા પણ મુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્જવાથી અનંત ગણા વધારે હોય છે ત્યારે તો તે નિયંઠાવાળા ટકી શકે છે અન્યથા નીચે પડતાં વાર શી? અર્થાત્ અસંયમ અવસ્થા પ્રાપ્ત કરી લે. સ્વયં ભગવાન મહાવીર સ્વામીના છઘર્થીકાળનું વર્ણન, આચારાંગ સૂત્રમાં છે. તેને જો ધ્યાનથી વાંચી, સમજી લઈએ તો રહેઠાણ સંબંધી સાચી સ્થિતિનો ખ્યાલ આવી જાય. એટલે વ્યર્થમાં એવી ભ્રમણાઓ કે પહેલાંના વખતના સાધુઓ પહાડોમાં, વનમાં ચોમાસું કરતાં અને વસતિવાસ પાછળથી શરૂ થયો; એ સ્પષ્ટપણે આગમ વિપરીત પ્રરૂપણા છે. આજકાલ ઉત્કૃષ્ટતાની આવી ઘણી બધી ફાલતુ વાતો ઇતિહાસ કે આગમના નામે ઠોકી દેવાય છે. પરંતુ હકીકતો એ છે કે પહેલાંના જમાનામાં પણ આવી ઉત્કૃષ્ટતાવાળા અનેક સાધકો થતા હતા અને સામાન્ય સાધકો પણ થતા હતા. તેમ છતાં તેઓની તે ઉત્કૃષ્ટતાને આગમ પ્રમાણ વગર ફક્ત ઉદાહરણને ખાતર ઇતિહાસમાં અને શિલાલેખોમાં ઘુસાડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy