________________
૧૫૪
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
'સાધુને વનવાસ કે વસતિમાં વાસ-આગમ ચિંતના
) જૈન આચાર વિચારમાં અનેકાંતિકતા) “સાધુ પહેલાં પહાડોમાં રહેતાં હતાં, પછી પાછળથી કમજોરીવશ વસતિવાસ(ગામોમાં રહેવું) શરૂ કર્યું”, આવુંવિદ્વાનો તથા ઈતિહાસકારો દ્વારા કહેવાયું છે પણ, તે કથન આગમાનુસાર નથી.
આર્યભદ્રબાહુસ્વામી કૃત છેદ સૂત્રો તથા આચારાંગ સૂત્ર વગેરે ગણધર કૃત આચાર શાસ્ત્રોથી સર્વજ્ઞ કથિત વીતરાગ માર્ગનું આવું એકાંતિક રૂપ હોય તેવું લાગતું નથી. ભગવાનના સમયમાં પણ નવદીક્ષિત, સ્થવિર, વૃદ્ધ, ગ્લાન, અશક્ત, સ્થવિર વાસ વિરાજિત સાધુ કે સાધ્વીઓ વગેરે અનેક પ્રકારના સાધકો હતાં.
અંગ સૂત્રોમાં અને છેદ સૂત્રોમાં જ્યાં ઉપાશ્રયોનું વર્ણન છે ત્યાં ૧૮પ્રકારના અથવા ર૧ પ્રકારના રહેઠાણો સાધુ-સાધ્વીઓને રહેવા માટે કહ્યાં છે.
બૃહત્કલ્પ સૂત્રમાં કહ્યું છે કે સાધુને પુરુષ સાગરિક ઉપાશ્રયમાં રહેવાનું કલ્પ પણ સ્ત્રી સાગરિક ઉપાશ્રયમાં રહેવાનું કહ્યું નહીં. અનાજ તથા ખાદ્યસામગ્રી યુક્ત મકાનમાં કેવી વ્યવસ્થિત સ્થિતિ સાંપડતા રહેવાનું કહ્યું? (શેષ કાળ માટે) અને ક્યાં, ક્યારે ચાર્તુમાસ રહેવાનું કલ્પ વગેરેનું સ્પષ્ટ વર્ણન છે. દુકાનોમાં, ગલીના નાકે, ત્રણ રસ્તે કે ચાર રસ્તે બનેલા મકાનોમાં સાધ્વીને ઉતરવું કહ્યું નહીં, પરંતુ સાધુને કહ્યું, એવું સ્પષ્ટ વિધાન છે. પરંતુ બંનેને માટે એવું સ્થળ કલ્પ નહીં, એવુંવિધાન નથી. આમ આર્ય ભદ્રબાહુ રચિત, આ છેદ સૂત્રમાં ગામડાઓમાં રહેવાનો નિષેધ નથી અપિતુ વિધિરૂપ રહેવાનું જ સિદ્ધ થાય છે.
બીજી અનેક વૈકલ્પિક અવસ્થાઓ જેવી કે, સ્થવિર કલ્પી તથા જિનકલ્પના, એક વસ્ત્રધારી કે અનેક વસ્ત્રધારી હોવાની; કરપાત્રી કે એક પાત્રી હોવાની અને કારણસર અસમર્થ વગેરેને અધિક પાત્ર ધારણ કરવાનું કે નિષ્કારણ નહીં લેવાનું વગેરે કેટલીય અવસ્થાઓનું અંગસૂત્ર તથા છેદસૂત્રમાં વર્ણન મળે છે. ઘણાં આચાર વિધાનો પણ અનેકાંતિકતાથી ભર્યા છે. જેવા કે(૧) વિગય રહિત સદા નીરસ આહાર લેવો, તો ક્યાંક એવું પણ કહ્યું છે કે વારંવાર વિગયનું સેવન ન કરવું, તો ક્યાંક વિગય સેવન કરીને જે મુનિ તપમાં રત ન રહે તેને પાપી શ્રમણ કહેવામાં આવેલ છે, પરંતુ વિગય યુક્ત આહાર કરીને તપમાં લીન રહેતા શ્રમણને પાપી નથી કહ્યા. (૨) ક્યાંક એવું વિધાન છે કે ગોચરીમાં નવું વાસણ ન ભરાવવું, તો ક્યાંક એવું છે કે પશ્ચાત્કર્મ ન હોય તો લઈ લેવું, તો ક્યાંક થાળીમાં મોદકભરીને વહોરાવે તો પણ તે લઈ લેવાં, તેવું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org