________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧પ૩
ઘર-પરિવાર, જ્ઞાન અધ્યયનનું વર્ણન છે. પરંતુ ગણધરો તથા પૂર્વધરોના શાસ્ત્રોમાં તે કોઈની સાથે ચૈત્ય રચના કે ચૈત્યનો ઉપદેશ કે ચૈત્યના પરિગ્રહનો સંબંધ દર્શાવેલ નથી, તેમ છતાં પછીના ગ્રંથોમાં તે જ શ્રાવક, રાજા વગેરેના જીવન વૃત્તાંતમાં આવા ચેત્યો-મૂર્તિ પ્રતિષ્ઠા વગેરેની વાતો જોડી દેવામાં આવેલ છે. નિશીથસૂત્રમાં હજારથી પણ વધારે પ્રાયશ્ચિત્તોના બોલ છે પણ તેમાં એકેય બોલમાં દેરાસર ન જવા વિશે કે મૂર્તિ પૂજા ન કરવાથી અમુક પ્રાયશ્ચિત્ત લાગે, એવો એકે ય બોલ નથી તેમાં અસંવત્સરીમાં સંવત્સરી કરી હોય તો તેનું પ્રાયશ્ચિત્ત પણ ગણાવ્યું છે. આચારાંગ, દશવૈકાલિક, કોઈ પણ સૂત્રમાં દેરાસર ન જવા અંગે, કે બાવીસ અભક્ષ્ય અંગે, સ્થાપનાચાર્ય ન રાખવા અંગે; વગેરે ઘણી બાબતો અંગે કોઈ સૂત્ર પાઠ નથી અને નિશીથમાં તેનું પ્રાયશ્ચિત્ત પણ નથી. પરંતુ ત્યાર પછીના ગ્રંથોમાં આવી ઘણી બધી પ્રવૃત્તિઓને જોડી દેવામાં આવેલ છે.
ટૂંકમાં દેવદ્ધિગણિના પછીના સમયની નાની મોટી અનેક રચનાઓ તથા ઇતિહાસ અને સંશોધનની ઉપલબ્ધિઓ કોઈ ખાસ વિશ્વસનીય નથી. કારણ કે તે બધાયમાં એ વખતનાં (દેવર્ધ્વિગણિ પછીના) ઘણાંખરાં બુદ્ધિમાનોની કલ્પનાની ઉપજ છે. જે કલ્પનાઓ કલ્યાણવિજયજીએ અન્ય દિગંબરો વગેરે માટે કરેલ છે. તેજ કલ્પનાઓ શ્વેતાંબરો માટે પણ થાય છે. તેમને પણ તેમના વિચારો ફેલાવવાનો મોહાગ્રહ હોય જ ને? એટલે શિલાલેખ અને ખોદકામ દ્વારા પ્રાપ્ય ઇતિહાસ સંપૂર્ણ સત્ય જ છે, એવું ન વિચારવું. બલ્બ જેવી જેની બુદ્ધિ-રુચિ હોય, તેમ તે સિદ્ધ કરી શકે છે.
વિશિષ્ટ પૂર્વધારીઓ દ્વારા રચાયેલ આગમો જ વધારે વિશ્વસનીય સમજવા જોઈએ તથા ઈતિહાસકારોની રચનાઓ પૂર્ણતઃ સત્ય સમજવી જોઈએ નહી. ફક્ત આગમ પાઠોને સમજવા માટે જ એ રચનાઓનું આલંબન લઈ શકાય, એટલાં પૂરતાં જ તે ગ્રંથો અગત્યના છે, તેનાથી વધારે મહત્વ તે રચનાઓ કે ગ્રંથોને આપવું જોઈએ નહીં.
જેમણે આત્મ સાધનામાં આચાર સાધના કરવી છે, તેમણે તે આગમોમાં આવતાં શ્રાવક અને સાધુના જીવનમાંથી ત્યાગ તપ જ્ઞાન વગેરેનું અનુસરણ કરવું અને આચારાંગ, સૂયગડાંગ, છેદસૂત્ર, ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સૂત્ર કથિત આચારોનું યથાશક્તિ ઇમાનદારીથી પાલન કરવું જોઈએ તો જ પોતાની બોલચાલ, રીતભાત, ખાન-પાન વગેરે પ્રવૃત્તિ, સમિતિ, ગુપ્તિ, સ્વાધ્યાય-ધ્યાન પ્રમાણે યોગ્ય આરાધનામય બને.
ઉક્ત વિષયોની જાણકારી માટે મૂર્તિપૂજક વિદ્વાન મુનિ શ્રી કલ્યાણ વિજયજી મ.સા. દ્વારા સંપાદિત "પ્રબંધ પારિજાત' ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org