________________
૧પ૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત'
રાખી દીધું છે. તે સિવાય ૯૮૦ અને ૯૯૩ સંવતને દેવર્ધ્વિગણિ આદિની ગૂંચવણ માનવી અને વ્યર્થમાં તેઓ દ્વારા તે ગૂંચવણને સૂત્રમાં પ્રક્ષિપ્ત કરવાની કલ્પના કરવી, તે તો મહાન આચાર્યોની અવહેલના આશાતના કરવા રૂપ જ થાય છે. કારણ કે તે મોટા-મોટા મહાન આચાર્યોએ પોત-પોતાના વ્યક્તિગત હઠાગ્રહમાં વિવિધ પ્રસંગો સૂત્રમાં આલેખ્યાં હોય, એતો અપરાધ કરવા જેવું છે. આવી કલ્પના કરનારા દયાને પાત્ર ગણાય, મહાપુરુષો સંબંધી આશાતના કે અપરાધ થાય. એટલે જ ઉપર્યુક્ત ચિંતન મનન કરીને વાચકે યોગ્ય નિર્ણય લેવો ઘટે.
જો યુગપ્રધાનાવલી ચાલતી હોય તો આજે ય એ પરંપરામાં જળવાઈ કેમ નહીં? વળી વીર નિર્વાણ સંવતમાં જો ૯૮૦ અને ૯૯૩નો મત-મતાંતર હતો તો તે આજે કેમ નથી રહ્યો? એ ભેદ ક્યારે ભૂંસાઈ ગયો? જેને દેવદ્ધિગણિ વગેરે પણ ટાળી નહોતા શક્યા !!
વાસ્તવમાં આ બંને નકામી, જડ અને ક્લિષ્ટ માન્યતાઓ છે. જેનું પરિણામ કંઈ જ નથી. વિવેકી વ્યક્તિએ એ દુરાગ્રહથી દૂર જ રહેવું જોઈએ. CT @ ત્રણ આગમોમાં નમોલ્યુર્ણ પાઠની વિચારણા ID
મૂર્તિપૂજક સમાજના એક પ્રતિષ્ઠિત વિદ્વાન પોતાના જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ નામના પુસ્તકમાં લખે છે– મૂર્તિપૂજા આગમ વિરુદ્ધ છે, તેના માટે તીર્થકરોએ શાસ્ત્રમાં કોઈ વિધાન કર્યું નથી, આ કલ્પિત પદ્ધતિ છે. આમ મૂર્તિપૂજક વિદ્વાન પણ મૂર્તિપૂજાને આગમિક માનતા નથી. ત્યારે તે મૂર્તિને તીર્થકર ભગવાન સમજીને તેમને “ણમોત્થણે દેવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી અર્થાત્ તેમની માન્યતાઓમાં પણ ણમોત્થણના પાઠને પ્રક્ષિપ્ત માનેલ છે. આગમોમાં જ્યાં ક્યાંય પણ પ્રતિમા સંબંધી વર્ણન છે પ્રાયઃ ત્યાં પાઠ એકસરખા જ છે. દ્રૌપદીના પ્રતિમાર્ચનના સંબંધમાં સ્વયં ટીકાકારે ણમોત્થર્ણ વિનાના પાઠને વધુ મહત્વ આપ્યું છે. આમ પ્રતિમાર્ચનનો પાઠ બધે સરખો હોવાથી સૂર્યાભદેવ(રાજપ્રશ્નનીય સૂત્રમાં)તથા વિજયદેવના વર્ણનમાં(જીવાભિગમ સૂત્રમાં) પણ ણમોત્થણના પાઠને પ્રક્ષિપ્ત કરેલો સમજવો જોઈએ.
વિક્રમની આઠમી-નવમી શતાબ્દિઓમાં જ્યારે ચૈત્યવાસિઓનું જોર ચારે તરફ ખૂબ હતું ત્યારે તેઓ મઠાધિશ યતિઓ બની ગયાં હતાં. તેઓ મંદિરોના પૈસાની ઉઘરાણી કરતાં હતાં અને બધો વહીવટ પોતાના હાથમાં રાખતા હતાં. જેનું ખંડન સંબોધ પ્રકરણમાં તથા મહાનિશીથમાં થયેલું છે. મોટેભાગે તેજ યુગમાં (સમયમાં) ણમોત્થણનો પાઠ આ ત્રણેય પ્રતોમાં પ્રક્ષિપ્ત થયો હશે, એવી સંભાવના વધારે જણાય છે. ૧રમી શતાબ્દિમાં થયેલ નવાંગી ટીકાકારના સમયે બંને પ્રકારની પ્રતો ઉપલબ્ધ હતી. જેના કારણે તેમણે જ્ઞાતાસૂત્રમાં ણમોત્થણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org