SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ ભગવદ્ ભાષિત સૂત્ર માનવામાં આવ્યું. અન્ય વિશેષ જાણકારી માટે દશાશ્રુત સ્કંધ સૂત્ર, સારાંશ ખંડ-૪, છેદ શાસ્ત્રમાં જોઈ લેવું. મધ્યકાલીન ઇતિહાસ અને આગમ સાહિત્ય ૧૪૩ આજે આપણી સામે ઇતિહાસને જાણવાની સામગ્રી જે કાંઈ પણ ઉપલબ્ધ છે, તે ઘણી વિશાળ માત્રામાં છે, તેના આધારે અનેક વિદ્વાનોએ પોતાના ચિંતનો પ્રકટ કર્યાં છે. તેમ છતાં મૂળ આધાર એટલો શુદ્ધ અને મજબૂત ન હોવાથી નૂતન વિજ્ઞાનની જેમ આપણો ધાર્મિક ઇતિહાસ પણ નવી શોધો તથા સત્ય સમીક્ષાની સદા અપેક્ષા રાખે છે. આજે જેટલું પણ સાહિત્ય હસ્તલેખનમાં ઉપલબ્ધ છે, તેમાં એક હજાર વર્ષથી વધારે જૂની કોઈપણ પ્રતો મળતી નથી. જે પણ ગ્રંથો ઉપલબ્ધ છે, જેમાં ઐતિહાસિક સામગ્રી કે પટ્ટાવલી વગેરે ઇતિહાસ ઉપલબ્ધ છે, તે બધાં પણ વીર નિર્વાણ ૨૦મી શતાબ્દી પછીના સમયના છે. ખોદકામની સામગ્રી બાબતમાં પણ શ્વેતાંબર, દિગંબર કે અન્ય પંથવાળા એકબીજાની કુશાગ્ર બુદ્ધિ પર આશંકિત છે માટે તે બધા પર પણ કેટલો વિશ્વાસ રાખવો એ વિચારણીય છે. કેમ કે વીર નિર્વાણની પછીનો જે હજાર વર્ષ ઉપરાંતનો સમયગાળો હતો, તેમાં પોત-પોતાના ધર્મને બધી બાજુથી મજબૂત કરવાનું વાતાવરણ ફેલાયેલું હતું. જેમાં ગ્રંથ રચના, ચૈત્ય તથા બિંબ રચના, શિલાલેખ રચના, રાજ સહયોગ, મંત્ર વિધાબળ, ચમત્કાર અને અનૈતિક બળ આદિ પ્રવૃત્તિઓનું પણ આલંબન રહ્યું હતું. આ બધું ઉપલબ્ધ ઇતિહાસની જાણકારીથી જ્ઞાત થાય છે. વીર નિર્વાણની દસમી શતાબ્દી સુધીનો જે કાળ વ્યતીત થયો છે તેમાં કંઈક આગમ રચનાનું સંકલન થયેલું પરંતુ દેવદ્વેિગણની લેખન અવસ્થા સુધીના જે કાંઈ પણ આગમો આજે ઉપલબ્ધ છે, તેમાં હજાર વર્ષ સંબંધી ઇતિહાસ વિષયક માહિતી ન હોવા બરાબર છે, એવું કહેવામાં કાંઈ અતિશયોક્તિ નથી. પટ્ટાવલીઓ તથા ગુરુકુલ, શિષ્ય પરિવાર લેખનની પરંપરા પણ વીર નિર્વાણના દોઢ હજાર વર્ષ પછી જ ચલાવવામાં આવેલી પ્રણાલિકાઓ છે. અર્થાત્ ૧૭મી તથા ૧૮મી શતાબ્દીની છે. નંદી સૂત્રના પ્રારંભમાં ૫૦ ગાથાઓ વડે જે સ્તુતિ કરવામાં આવેલી છે, તે પણ પટ્ટાવલી નથી. શાસનપતિ, સંઘ, ૨૪ તીર્થંકર, ૧૧ ગણધરોનું સ્મરણ તેમાં કરવામાં આવેલ છે. ત્યાર પછી સુધર્મા સ્વામીથી દુષ્યગણિ સુધી વંદન ગુણગ્રામ કરવામાં આવેલ છે. આમાં કોઈ શિષ્ય પરંપરા કે પાટ પરંપરાની કલ્પના કરવાનું અથવા તેને યુગપ્રધાન પટ્ટાવલી કહેવાનું, એક સમસ્યા ઉભી કરવા બરાબર છે. સ્વયં રચનાકારે કોઈ પ્રતિજ્ઞા કે ઉત્થાનિકા કરી નથી કે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy