SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત થયા પછી(૧૩-૧૪મી શતાબ્દીમાં લગભગ) રચવામાં આવી છે, તે વાત ઇતિહાસ થી સ્પષ્ટ છે. તેથી એ પણ સ્પષ્ટ થાય કે મલયગિરિની પછી જ કલ્પસૂત્રનું આ સ્વરૂપ બન્યું અને તેને સભામાં વાંચવાનું ચાલું થયું. તેની સાથે જ તેની કલ્પાંતર વાચ્ય નામની ટીકા પણ થઈ. ૧૪૨ દશાશ્રુતસ્કંધ કાલિક સૂત્ર છે અને કલ્પસૂત્ર ઉત્કાલિક સૂત્ર છે એટલે તેનું વાંચન બપોરે થાય છે અર્થાત્ તેનો આધાર ઉત્કાલિક સૂત્ર પર જ રહ્યો છે નહીં કે કાલિક દશાશ્રુતસ્કંધ સૂત્ર ૫૨. સભામાં વાંચન શરૂ કરનારાઓએ સૂત્રના કાળને ધ્યાનમાં ન રાખ્યો હોય, એ પણ સંભવ લાગતું નથી. આઠસો વર્ષ પછી સંબંધ જોડવાથી આવી ભૂલ થાય તેવું બને ખરૂં અને એટલે જ ચોથા કાલકાચાર્ય અને પ્રથમ ધ્રુવસેન રાજાના પુત્રના મૃત્યુ સમય બાબત સમયની સંગતિ થતી નથી. ઉપરોક્ત અનેક તર્કથી તો ઉલટી અસંગતતા સિદ્ઘ થાય છે. ચુલ્લકલ્પસૂત્ર ઉત્કાલિક સૂત્ર છે, જે સાંડિલ્યના અજ્ઞાત નામવાળા શિષ્ય બનાવ્યું છે. તેમાં તીર્થંકરોનું વર્ણન તથા સ્થવિરાવલિ સાંડિલ્ય સુધી ગધ પાઠમય બનાવેલ હશે. તે બંને વિષયોને ૧૩મી ૧૪મી શતાબ્દીમાં કોઈ આચાર્યે ભેગા કરીને તેનું વ્યાખ્યાનમાં વાંચન શરૂ કર્યું હશે. પાછળથી તે સૂત્રના મહત્વને વધારતાં કાળક્રમે તેમાં નામ સામ્યતાથી દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયન (પ્પો)ને જોડી દેવામાં આવ્યું હશે. મિશ્રણને ગુપ્ત રાખવાના હેતુથી દેવર્કિંગણિ સુધી સ્તુતિ વંદના પાઠની વૃદ્ધિ કરી હશે. તેથી જ તેમાં દેવર્દ્રિગણિને પણ વંદન કરેલ છે અને ૯૮૦ તથા ૯૯૩ના સંવત્સરની અસંગત વિકલ્પવાળી વાત જોડી દીધી હશે. પછી તેને પ્રમાણિક સિદ્ધ કરવા માટે તે ૧૨૦૦ શ્લોક પ્રમાણ આખું મિશ્રિત સૂત્ર પ્રાચીન ભદ્રબાહુના નામથી જોડી દેવાયું હશે અને પછી ભગવાન દ્વારા વારંવાર સભામાં વાંચન વાળો પાઠ પણ ઉપસંહાર રૂપે જોડી દીધો હશે અને તેનું નામ પુત્ત્તત્ત્વ છોડીને કલ્પસૂત્ર રાખી દીધું હશે. કોઈએ તો વળી ૧૪મી શતાબ્દીમાં દશાશ્રુતસ્કંધ સૂત્રની આઠમી દશામાં આખું કલ્પસૂત્ર લખી પણ નાખ્યું. તેના પહેલાંની દશાશ્રુતસ્કંધની કોઈપણ હસ્તપ્રતમાં આવો પાઠ નથી કે ન તો ચૂર્ણિ, નિર્યુક્તિકારની સામે આવો પાઠ! એટલે આ લેખન પણ કોઈ મૂર્તિપૂજકના પોતાના અભ્યસ્ત પ્રક્ષેપ દોષનું પરિણામ થયું. સાર ઃ- ઉક્ત પ્રમાણ ચિંતનથી એટલું સિદ્ધ થાય છે કે મહાન ટીકાકાર શ્રી મલયગિરિની પછી કલ્પસૂત્રની રચના થઈ. પહેલાં ચુલ્લકલ્પ સૂત્રના રૂપમાં વ્યાખ્યાનમાં વાંચન શરૂ થયું પછી અન્ય સામગ્રી જોડીને તેને પર્યુષણાકલ્પ કહેવામાં આવ્યું. પછી નામની સરખામણીએ દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપે તેની ગણના થવા લાગી. અંતમાં તેને પ્રાચીન ભદ્રબાહુ કૃત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy