________________
અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
સમકાલીન ચતુર્થ કાલકાચાર્યે એનું સભામાં વાચન કર્યું, એવું કથન પણ કલ્પના માત્ર છે. કેમ કે આ સૂત્રનો પ્રાર્દુભાવ જ નહોતો થયો.
૧૪૧
ધ્રુવસેન રાજા ત્રણ થયાં છે. જેમાં પ્રથમ ધ્રુવસેન રાજાનો પુત્ર આનંદપુરમાં વિક્રમ સંવત ૫૮૪માં કાળધર્મ પામ્યો. ચતુર્થ કાલકાચાર્ય વિક્રમ સંવત ૫૨૩ સુધી રહ્યાં. કેમ કે દુષમાકાળ શ્રમણ સંઘ સ્તોત્રમાં ભૂતદિન્નની પછી કાલકાચાર્યનું અગિયાર વર્ષ સુધી પાટ પર રહ્યાનું જણાવ્યું છે. એટલે રાજાનો પુત્રશોક દૂર કરવા માટે સભામાં કલ્પસૂત્ર કાલકાચાર્ય દ્વારા વાંચવામાં આવ્યું, એ વાત પણ અસત્ય અને નકામી કલ્પના માત્ર છે.
સૂત્ર લેખન પછીના નિકટ સમયમાં (૪૦-૫૦ વર્ષમાં) આવશ્યક સૂત્ર તથા આચાર સૂત્રોની વ્યાખ્યા રૂપ નિયુક્તિઓની રચના થઈ. પછી તેના ભાષ્ય, ચૂર્ણિ બન્યાં. ત્યાર પછી આઠમી શતાબ્દિમાં હરિભદ્ર સૂરિએ આવશ્યક સૂત્રની ટીકા કરી. ગંધહસ્તીએ અંગ સૂત્રની ટીકા શરૂ કરી. જે પ્રથમ આચારાંગથી આગળ ન વધી શકી. પછી શીલાકાચાય બે અંગ શાસ્ત્રોના ટીકાકાર બન્યા. પછી અભયદેવસૂરિ નવાંગી ટીકાકાર થયા. પછી મલયગિરિ મહાન ઉત્સાહી ટીકાકાર થયા.
જો કલ્પસૂત્રની રચના દેવર્કિંગણિ તથા કાલકાચાર્યના સમયમાં થઈ હોત અને વાચના સભામાં થઈ હોત તો આવા પ્રચલિત સૂત્રની આઠસો વર્ષ સુધીમાં થયેલ મહાન વ્યાખ્યાકારોમાંથી એક પણ વિદ્વાને ટીકા કેમ ન કરી ? એ વ્યાખ્યાકારો તથા વિદ્વાનોએ ક્યાંય પણ પયુર્ષણાકલ્પસૂત્રનું પૃથક્કરણ કે સભામાં વાંચન જેવી વાતનો કોઈ નિર્દેશ પણ કર્યો નથી. આ સૂત્રનો ક્યાંય નામોલ્લેખ નથી.
મહાન ટીકાકાર શ્રી મલયગિરિએ દેવીથી વરદાન પ્રાપ્ત કરીને અનેક સૂત્રોની ટીકાઓ રચી. જો પર્યુષણાકલ્પ પણ કોઈ સ્વતંત્ર સૂત્ર હોત અને વ્યાખ્યાનમાં વાંચવામાં આવતું હોત તો તે સૂત્ર ઉપર ટીકાની રચના કરવાનું પણ મલગિરિ માટે અત્યંત આવશ્યક બન્યું હોત, પરંતુ એવું બન્યું નથી.
પર્યુષણાકલ્પસૂત્રનું સ્વતંત્ર રૂપ જ્યારે બન્યું અને સભામાં વાંચન શરૂ થયું કે થોડા સમય પછી તરત જ તેની વ્યાખ્યાઓ બનવાની શરૂ થઈ. પ્રાથમિક વ્યાખ્યાઓ કલ્પાંતરવાચ્ય કહેવામાં આવી. જે વિક્રમની ચૌદમી શતાબ્દીમાં થઈ. ત્યારપછી તેના પર ટીકાઓ વગેરે બન્યા.
જો કલ્પસૂત્ર દશાશ્રુતસ્કંધનું આઠમા અધ્યયનના રૂપે, આ કલ્પાંતરવાચ્ય કર્તા તથા ટીકાકારોની સામે હોત તો તેની ટીકાની રચનામાં નિર્યુક્તિ વગેરેનો સમાવેશ જરૂર હોત. જેમ કે છેદ સૂત્રોની અને દશવૈકાલિક તથા આવશ્યક સૂત્ર વગેરેની ટીકાઓ, તેની નિયુક્તિઓનો પોતાનામાં સમાવેશ કરતા બની છે. વાસ્તવમાં કલ્પાંતરવાચ્ય(કલ્પસૂત્રની ટીકા) શ્રી મલયગિરિ આચાર્યના દિગવંત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org