________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૧૦) પ્રશ્ન- ‘હે ભગવાન કુગુરુ ક્યારે થશે ? સાડા બારસો વર્ષ વીત્યાં પછી કુગુરુ પ્રગટ થશે. હે ભગવાન કોઈ ગણિ આવશ્યક કાર્યમાં પ્રમાદી બની જાય તો શું કરવું ? ઉત્તર– તેવા ગણિને અવંદનીય ગણવો. નિષ્કારણ ક્ષણભર પણ પ્રમાદ કરે તેને આ પ્રાયશ્ચિત્ત’.
૧૩૮
વિક્રમની આઠમી સદી(વીર નિર્વાણ ૧૨૫૦) જૈન શ્રમણોના શૈથિલ્યનો પ્રધાન સમય હતો. શ્રી ધર્મદાસગણિની ઉપદેશમાળા, હરિભદ્રસૂરિનાં ગ્રંથો તથા મહાનિશીથના અમુક લેખોથી સિદ્ધ થાય છે કે તે સમય શિથિલાચારીઓના પ્રાબલ્યનો સમય હતો.
(૧૧) અધ્યયન–૮ “હે ભગવાન આચાર્યોને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? ઉત્તરએ જ અપરાધમાં ૧૭ ગણું પ્રાયશ્ચિત્ત આવે. જો શીલમાં સ્ખલન થાય તો ત્રણ લાખ ગણું પ્રાયશ્ચિત્ત આવે.”
(૧૨) અધ્યયન બીજામાં દશાવ્યું છે કે ‘સ્ત્રીની યોનિમાં દર સમયે ૯ લાખ સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય જીવ રહે છે. એક જ વખતના મૈથુનમાં વ્યક્તિ તે તમામ જીવોનો નાશક બને છે. બધા કેવળી એ જીવોને દેખે છે.' અને તેની આગળની ગાથામાં કહ્યું છે કે ‘એ જીવ ફક્ત કેવળ જ્ઞાનનો વિષય છે પરંતુ કેવળી તેને જોતા નથી. અવધિજ્ઞાની જાણે છે, પણ દેખતા નથી; મનઃપર્યવજ્ઞાની જાણતા પણ નથી, દેખતા પણ નથી.’
(૧૩) સૂક્ષ્મ પૃથ્વીકાયની કિલામના થઈ હોય તો સર્વે કેવળી તેને અલ્પારંભ કહે છે અને જીવનો વિનાશ સંભવ હોય તો તેને મહારંભ કહે છે.
(૧૪) ત્રીજા અધ્યયનમાં દર્શાવ્યું છે કે જેને રાત-દિવસ ગોખવાં છતાં અડધો શ્લોક પણ યાદ ન રહે તો તેણે શું કરવું જોઈએ ? ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે— તેણે સ્વાધ્યાયીની સેવા કરવી જોઈએ અને ૨૫૦૦ નવકારમંત્રને એકાગ્રચિત્તથી ગોખ્યા કરવા જોઈએ.’
(૧૫) અધ્યયન ચોથામાં દર્શાવ્યું છે કે રત્નદ્વીપના મનુષ્યો દ્વારા જળમનુષ્યોથી અંડગોળક પ્રાપ્ત કરવાની વિધિ બતાવી છે. આ વિધિ પણ બીજા આગમમાં નથી. પછીના ગ્રંથોમાં તેની નકલ થયેલી છે બાકીના વિવરણ માટે પ્રશ્ન વ્યાકરણના વૃદ્ધ વિવરણને જોઈ લેવું”. આવો સંકેત મૂળપાઠમાં જ કરી દેવાયો છે.
(૧૬) અધ્યયન પાંચમાં દર્શાવ્યું છે કે શાસનમાં આચાર્યોની સંખ્યા ૫૫ કરોડ લાખ, ૫૫ કરોડ હજાર, ૫૫ સો કરોડ, ૫૫ કરોડ અર્થાત્ ૫૫,૫૫,૫૫, ૫૫, ૦૦,૦૦, ૦૦૦ ‘થશે’. એવું પણ કોઈ આગમમાં નથી.
(૧૭) આજ અધ્યયનમાં મુનિ, સંઘ, તીર્થ, ગણ પ્રવચન, મોક્ષમાર્ગ, દર્શન-જ્ઞાનચારિત્ર ઘોર ઉગ્ર તપ અને ગચ્છ, આ બધાને એકાર્થક બતાવ્યા છે. ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org