SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીતા | સંખ્યાતા નિર્યુક્તિઓનો હાર્દ > નિયુક્તિઓ દ્વિતીય ભદ્રબાહુ સ્વામી દ્વારા રચાયેલી છે તેમ માનવાથી નવી શંકા ઉદ્ભવે છે કે નંદી સૂત્ર તથા સમવાયાંગ સૂત્રમાં સંવેજ્ઞાનો નિgત્તિો પાઠ આવે છે, તેનો મતલબ શું છે? સમાધાન :- સમવાયાંગ તથા નંદીમાં કથિત નિયુક્તિ શબ્દને કોઈ વ્યવસ્થિત રચેલ ગ્રંથ ન સમજતાં, તે સૂત્રના સંબંધમાં જુદા-જુદા આચાર્યોના અર્થ પ્રતિપાદનની યુક્તિઓ છે, તેમ સમજવું જોઈએ. આપણા આગમો તથા તેના અર્થો જ્યારે મૌખિક પરંપરાથી ચાલતા હતા ત્યારે આગમના અર્થોને બહુશ્રત ભગવંતો અનયોગ પદ્ધતિથી શિષ્યોને સમજાવતા હતા. એ જ અર્થપ્રતિપાદક યુક્તિઓને નંદીસૂત્રમાં નિર્યુક્તિ શબ્દ તરીકે સૂચિત કરેલી છે. એ જ બહુશ્રુત ભગવંતોની મળીને ઘણી બધી અર્થ પ્રતિપાદક યુક્તિઓ, સંખ્યાતા નિર્યુક્તિઓ જેટલી થઈ જાય છે. આ અપેક્ષાએ જ અહીં સંખ્યાતા નિર્યુક્તિ સમજવી. તેને ગ્રંથના રૂપમાં સમજવી યોગ્ય નથી. “આચારાંગ વગેરે પ્રત્યેક અંગસૂત્રો ઉપર સંખ્યાતા નિર્યુક્તિ ગ્રંથ રચાયેલાં છે.” આમ સમજવાથી એવો પ્રશ્ન પણ થાય કે આ સેંકડો હજારો ગ્રંથો કોના રચેલાં છે? અને તે બધા ગયાં ક્યાં? જ્યારે આગમ, લખાણમાં આવ્યા ત્યારે તે ગ્રંથોનું પણ લખાણ થયું હોવું જોઈએ અને ત્યારે તો શ્રુતજ્ઞાનમાં એ ગ્રંથોનો એક જુદો વિભાગ હોવો જોઈએ અને એમ જ હોત તો પાછળથી આચાર્યોએ વ્યાખ્યા ગ્રંથ રચવાની જરૂર જ ન રહેત ! આમ સંખ્યાતા નિર્યુક્તિ ગ્રંથ એક એક સૂત્રના છે તેમ માનવું જરાય ઉચિત નથી. પ્રત્યેક સૂત્રના મૌખિક વ્યાખ્યા કરવાના પ્રકાર સંખ્યાતા થાય તેમ સમજવું જોઈએ અને એજ અપેક્ષાએ સંજ્ઞાનો નિષ્ણુત્તિનો શબ્દ પ્રયોગ છે, તેમ માનવું જોઈએ. નિર્યુક્તિઓની સ્વતંત્ર વ્યાખ્યા ગ્રંથરૂપ રચના અને તેના રચનાકાર, જેની નિર્યુક્તિઓ આજે ૮-૯ ઉપલબ્ધ છે, તે આગમ લેખન તથા નંદીસૂત્રની રચના પછીની છે. અન્યથા નંદીસૂત્રમાં વ્યાખ્યા ગ્રંથનો શ્રુતજ્ઞાનમાં એક સ્વતંત્ર વિભાગ હોત જ ને? કેમ કે દેવર્ધ્વિગણિ તથા તેમના સમયના એક પૂર્વધારીની રચના રૂપ નંદી સૂત્ર પ્રકીર્ણ સૂત્ર આદિને શ્રુતજ્ઞાનમાં કહ્યાં છે તો તેમનાં પહેલાંના વધારે પૂર્વધારીની રચનાઓ રૂપ નિર્યુક્તિઓ વગેરે ઉપલબ્ધ હોત તો તેને પણ શ્રુતજ્ઞાનમાં જુદા વિભાગમાં અવશ્ય આવરી લેવાત, પણ એવું થયું નથી. એટલે નંદીસૂત્ર કથિત નિર્યુક્તિઓ તથા ઉપલબ્ધ નિર્યુક્તિ ગ્રંથમાં ભિન્નતા સમજવી જોઈએ. નિયુક્તિ ગ્રંથ તો એક એક શાસ્ત્ર પર એક જ હોય, તે પણ આજે પ-૭ શાસ્ત્ર પર જ ઉપલબ્ધ છે. જ્યારે નંદી તથા સમવાયાંગ સૂત્રમાં Jain Education International For Private & Personal Use Only ibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy