________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૩૫
સંખ્યાતા નિર્યુક્તિઓ પ્રત્યેક અંગ આગમની કહેલી છે. જેમાંથી આજે પ-૫ પણ ઉપલબ્ધ નથી. તો ઉપલબ્ધ નિર્યુક્તિ વ્યાખ્યા ગ્રંથ અને નંદીસૂત્રમાં જણાવેલ કેટલીય સંખ્યાતા નિર્યુક્તિઓનું તાત્પર્ય જુદું જુદું સમજવું જોઈએ. સાર:- (૧) નિર્યુક્તિ વ્યાખ્યા ગ્રંથ દ્વિતીય ભદ્રબાહુ સ્વામી દ્વારા રચિત ગ્રંથ છે (ર) નંદી સૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં પ્રત્યેક અંગ આગમની સંખ્યાતા નિર્યુક્તિઓ મૌખિક સમજાવેલી, પ્રત્યેક વાચનાચાર્યની વિભિન્ન પદ્ધતિઓને કહેવામાં આવેલ છે. જિનશાસનમાં અનેક વાચનાચાર્ય હોવાથી આ નિયુક્તિઓને સંખ્યાતા કહી છે.
છે
?
છે $ $ મહાનિશીથ સૂત્રમાંથી નો
મહાનિશીથ સૂત્રનો પરિચય કરાવવા માટે તેના મૂળપાઠના વિષયોનું ઉદ્ધરણ આપીને તેના ઉપર કરવામાં આવેલ દેરાવાસી વિદ્વાન મુનિ કલ્યાણ વિજયજીની ટિપ્પણી પણ આ સાથે આપવામાં આવે છે. ઈતિહાસમાં રસ ધરાવનાર પાઠક તેને ધ્યાનથી વાંચી. (૧) “સબળો (શિથિલાચારીઓ)ના સંબંધમાં નથી લખી શકાયું કેમકે ગ્રંથનો વિસ્તાર વધી જવાનો ભય છે, ભગવાને પણ આ પ્રસંગમાં કુશીલાદિકોનું અધિક વર્ણન કર્યું નથી.”
આવા વચનોનો સાર જોતા એટલું ચોક્કસ સમજાય છે કે ઉપલબ્ધ મહાનિશીથ' સૂત્ર નથી બલ્ક એક પ્રબંધ છે. સૂત્રકાર સૂત્રોમાં એવું ક્યારેય ન લખે કે ભગવાને પણ આમ નથી કર્યું. આવું કથન તો મહાનિશીથની અસૌત્રિકતા પ્રમાણિત કરે છે. જે સૂત્ર ગણધર રચિત હોય છે, તેમાં ક્યારેય એવું ન કહ્યું હોય કે ભગવાને પણ વધારે નથી કહ્યું. આથી એટલું ચોક્કસ સાબિત થાય છે કે મહાનિશીથ એક અર્વાચીન ગ્રંથ છે, ગણધરરચિત શાસ્ત્ર નથી.
આ ત્રીજા અધ્યયનના અંતમાં કહ્યું છે કે, “ઘણાં ખરાં મૃતધરોએ ભેગા મળીને અંગ ઉપાંગાત્મકદ્વાદશાંગશ્રુત સમુદ્રમાંથી અંગ ઉપાંગ શ્રુતસ્કંધ અધ્યયન ઉદ્દેશકોનું ચયન કરીને થોડાક સંબંધિત પાઠ લઈને તેને વ્યવસ્થિત કરી લેપબદ્ધ કર્યા છે. પોતના ગાણા નથી ગાયા!” પૃ. ૯૧ (૨) ચોથા અધ્યયનના અંતમાં કહ્યું છે કે- “અહીં ચોથા અધ્યયનમાં કેટલાક સૈદ્ધાંતિક વિદ્વાનો, કતિષય આલાપકો પર શ્રદ્ધા નથી કરતા અને તેમને શ્રદ્ધા ન હોવાથી અમને પણ તેમના પર શ્રદ્ધા નથી થતી, આવું હરિભદ્ર સૂરિ કહે છે. પરંતુ આખું ચોથું અધ્યયન અથવા અન્ય અધ્યયન એવું નથી, અર્થાત્ ચોથા અધ્યયનના જ કેટલાક આલાપક અશ્રદ્ધેય છે. કેમ કે સ્થાનાંગ, સમવાયાંગ જીવાભિગમ પન્નવણા આદિ સૂત્રોમાં આવી વાતો નથી આવી. જેમ કે પ્રતિસંતાપસ્થળ આસ્થિત તદ્ ગુફાવાસી મનુષ્યના રૂપમાં પરમાધર્મિકોનું સાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org