SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ ૧૩૩ કોઈ વ્યક્તિને ભવિષ્ય ભાખવાનું હોય તો તે તેનું કથન કરતી વખતે ભૂતકાળ નો પ્રયોગ તો ન જ કરે પરંતુ ભવિષ્યકાળની ક્રિયાનો પ્રયોગ કરીને પોતાનું જ્ઞાન વ્યક્ત કરે એટલે નિયુક્તિ કર્તાના રૂપમાં જે ભદ્રબાહુ સ્વામીનું નામ પ્રસિદ્ધ છે તે ઘટનાઓની પૂર્વેની વ્યક્તિ ન જ હોઈ શકે, પછીની વ્યક્તિ જ હોઈ શકે. આમ નિર્યુક્તિઓમાં પણ જે જે વિષયોનું વર્ણન છે કે પ્રસંગ છે, તે વર્ણનો પ્રાચીન ભદ્રબાહુ સ્વામી પછી થઈ ગયેલ આચાર્યોના જ હોઈ શકે, કેમ કે ત્યાં પણ ભૂતકાળનો પ્રયોગ થયેલ છે એટલે એ તમામ બાબતો તથા પ્રસંગો પછીના સમયમાં થયેલ બીજા ભદ્રબાહુ સ્વામી જ આ નિર્યુક્તિઓના રચનાકાર છે, તે ધ્રુવ સત્ય સમજવું. તેઓ વરાહમિહિરના ભાઈ હતા અને ભદ્રબાહુ સંહિતાના રચનાકાર પણ હતા. દશાશ્રુતસ્કંધ સૂત્રની નિયુક્તિની પ્રથમ ગાથાથી એટલું સ્પષ્ટ છે કે ૧૪ પૂર્વી પ્રાચીન ભદ્રબાહુ સ્વામીએ નિર્યુક્તિઓની રચના નહોતી કરી પરંતુ તેમણે ત્રણ છેદ સૂત્રો રચ્યાં હતાં. ૧૪ પૂર્વી પ્રથમ ભદ્રબાહુ સ્વામીને નિર્યુક્તિના કર્તા જણાવવા અંગે જે ગેરસમજ થયેલ છે કે તેઓ વરાહમિહિરના ભાઈ હતા અને અન્ય પ્રસંગોના વર્ણનમાં પણ આ ગેરસમજથી થયેલો ગોટાળો છે તેવું સ્પષ્ટ જણાય છે જ. કેમ કે વરાહમિહિરે જે પંચાસિકા' ગ્રંથની રચના કરી છે તેના અંતમાં તે સમયની જે સંવત તારીખ છે, તે જે સમય દર્શાવે છે તે દેવદ્ધિગણિના પછી અને બીજા ભદ્રબાહુ સ્વામીના વખતનો છે અને એ વીર નિર્વાણની અગિયારમી શતાબ્દીનો વખત છે. ઉપસંહાર :- આમ આગમ પ્રમાણોથી, તર્ક વિચારણાઓથી તથા મૂર્તિપૂજક વિદ્વાન મુનિ પુણ્યવિજયજીના મંતવ્યોથી એટલું નિશ્ચિત છે કે નિયુક્તિ કર્તા ભદ્રબાહુ સ્વામી હતા તેમાં કોઈ શંકા નથી પરંતુ તે ૧૪ પૂર્વી પ્રાચીન(પ્રથમ) ભદ્રબાહુ સ્વામી નહતા પરંતુ વરાહમિહિરના ભાઈ દ્વિતીય ભદ્રબાહુસ્વામી હતાં.' આ સત્યને સ્વીકારવાથી ઘણી શંકાઓનું સમાધાન થઈ જાય છે. વળી ચિંતનશીલ વિદ્વાનોએ પરંપરા કે જડ માન્યતાઓમાં ફસાવાના બદલે આ વાતને સમજી સરળતાથી સ્વીકારવી જોઈએ. બાકી પ્રદેશ રાજાએ કરેલ “પરંપરા વ્યામોહમાં ફસાવાથી કે કેશીશ્રમણ દ્વારા આપવામાં આવેલ જવાબમાં નિર્દિષ્ટ લોહ વણિકના સાથી પણ ન બનવું જોઈએ. ટૂંકમાં નિર્યુક્તિકર્તા દ્વિતીય ભદ્રબાહુ સ્વામી છે અને છેદ સૂત્રના કર્તા પ્રથમ(પ્રાચીન) ભદ્રબાહુ સ્વામી છે, એવું દઢતાપૂર્વક માનવામાં જ વિવેક છે. નિર્યુક્તિઓની રચના આગમ લેખન તથા નંદી સૂત્રની રચના પછીના વખતમાં જ થઈ હતી, પહેલાં થઈ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy