________________
૧૩૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
વર્ષ સુધીના પ્રસંગ તથા તે વખતની ઘટનાઓ પણ છે. સારાંશ :- નિર્યુક્તિઓની રચના “ભદ્રબાહુ સ્વામીની છે, એવો જે ઇતિહાસ પ્રસિદ્ધ છે તથા ગ્રંથોમાં વ્યાખ્યાઓમાં ઉલ્લેખિત છે, તેનો કિંચિત માત્ર પણ વિરોધ નથી. રચનાકારનું નામ જે પ્રસિદ્ધ છે, તે સત્ય છે તેને ખોટું ઠરાવવાનું તો યોગ્ય જ નથી. વળી વરાહમિહિરના ભાઈ હોવાનું, ભદ્રબાહુ સંહિતાના રચનાકાર હોવાનું વગેરે પણ નિર્યુક્તિકાર ભદ્રબાહુના જીવનની સાથે જે સંબંધિત પ્રસંગ ઉપલબ્ધ છે, તે પણ નિર્યુક્તિકાર ભદ્રબાહુની સાથે માનવામાં કે સ્વીકારવામાં કોઈ વાંધો નથી. પરંતુ નામ સામ્યતાથી નિયુક્તિકાર ભદ્રબાહુથી ઘણા વર્ષ (૮૮૦) પૂર્વ થયેલ પ્રાચીન ૧૪ પૂર્વી ભદ્રબાહુને માટે, નિર્યુક્તિકર્તાનો સંબંધ જોડી દઈને જે ગોટાળો થયો છે તે સ્ટેજ પણ ઉચિત કે ન્યાય સંગત નથી.
સ્વયંનિર્યુક્તિઓનું જે ક્લેવર(વિષય વર્ણન) છે, તે પણ એ વાતની સાક્ષી પૂરે છે કે નામ સામ્યતાથી ૧૪ પૂર્વી ભદ્રબાહુથી જોડવામાં નિર્યુક્તિકર્તાનો સંબંધ, સ્પષ્ટપણે ખોટો અને ભ્રામક છે. (૧) આવો ગોટાળો શાસ્ત્ર લેખનના સમયમાં નહોતો કેમ કે એ શાસ્ત્રોમાં પ્રાચીન ભદ્રબાહુની દસ નિર્યુક્તિઓનો ક્યાંય ઉલ્લેખ નથી. (૨) નિયુક્તિકર્તા દ્વિતીય ભદ્રબાહુના સમયે પણ આવો ગોટાળો નહોતો, તેમણે તો ત્રણ છેદ સૂત્ર કર્તા પ્રાચીન ભદ્રબાહુ સ્વામીને પ્રથમ ગાથામાં આદિ મંગલમાં વંદન કયો છે. (૩) ચૂર્ણિકર્તાના સમય સુધી તો આ નામ સામ્યતાનો ભ્રામક ગોટાળો શરૂ નહોતો થયો. કેમ કે ચૂર્ણિકારે કોઈપણ ખચકાટ વિના સ્પષ્ટ અર્થ કર્યો છે કે હવે દશાશ્રુતસ્કંધ સૂત્રના નિર્યુક્તિકારે આદિ-મંગળરૂપમાં તે સૂત્ર સહિત ત્રણ છેદસૂત્રના કર્તા પ્રાચીન ભદ્રબાહુસ્વામીને નમસ્કાર કર્યા છે.
આ જ કારણોસર મૂર્તિપૂજક પ્રસિદ્ધ આગમોદ્ધારક વિદ્વાન મુનિશ્રી પુણ્ય વિજયજી મ. સાહેબે આને નામ સામ્યતાવાળો ભ્રામક ગોટાળો કે ગેરસમજ છે તેમ જણાવ્યું છે. આ ગેરસમજનું નિર્યુક્તિ, ભાષ્ય તથા ચૂર્ણિકારોના જમાના સુધી કોઈ અસ્તિત્વ જ નહોતું. પાછળથી ટીકાકારોના જમાનામાં જ્યારે શિથિલાચારનું તથા જડતાનું પ્રમાણ વધ્યું ત્યારે આ ગેરસમજ ભ્રમિત ગોટાળા રૂપમાં ઉત્પન્ન થઈ અથવા તો કદાચ કોઈએ ઈરાદાપૂર્વક આવી ગેરસમજ વહેતી કરી એ હકીકત છે. | ઉપલબ્ધ નિયુક્તિ ગ્રંથોમાં– (૧) વજસ્વામીને સભક્તિ વારંવાર નમસ્કાર કરેલ છે. (૨) સ્થૂલભદ્રના માટે માd શબ્દનો પ્રયોગ છે. (ઉત્તરાધ્યયન નિર્યુક્તિ) (૩) અનેક ઘટનાઓ ઘટિત થશે, તેના વર્ણન દરમ્યાન ભૂતકાળના વાક્યમાં પ્રયોગ પણ એજ સૂર પૂરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org