SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ૧૨૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત છે નિયુક્તિઓના કત દ્વિતીય ભદ્રબાહુ સ્વામી છે તમને ચૌદ પૂર્વી પ્રાચીન ભદ્રબાહુ ન સમજવા] [વિશેષ :- જૈન શાસ્ત્રોના મહાન ઉદ્ધારક સંશોધક સાક્ષર શિરોમણિ મૂર્તિપૂજક સમુદાયના પંડિત રત્ન મુનિ શ્રી પુણ્ય વિજયજી મ. સાહેબે બૃહકલ્પ ભાષ્યની પ્રસ્તાવનામાં ચર્ચા પ્રમાણો દ્વારા એવું સ્પષ્ટ કર્યું છે કે, “નિર્યુક્તિ નામક વ્યાખ્યાઓના કર્તા પ્રથમ (પ્રાચીન) ભદ્રબાહુ સ્વામી નહોતા. એ જ પ્રસ્તાવનાની ચર્ચા પ્રમાણોના થોડા અંશ ખૂબ જ ઉપયોગી હોવાથી ગુજરાતીમાંથી હિન્દીમાં ભાષાનુવાદ તથા ભાવાનુવાદ કરીને અને ફરી ગુજરાતીમાં આપેલા છે. જ્ઞાતવ્ય – પ્રાચીન ભદ્રબાહુ સ્વામી ચૌદ પૂર્વી હતા. તેમણે ત્રણ છેદ સૂત્રો (૧) દશાશ્રુતસ્કંધ (૨) બૃહત્કલ્પ (૩) વ્યવહારની રચના કરી છે. વીર નિર્વાણની બીજી શતાબ્દીમાં તે થયા. દ્વિતીય ભદ્રબાહુ સ્વામી જ્યોતિષવેત્તાના રૂપમાં પ્રસિદ્ધ થયા. તેઓ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની પછી વીર નિર્વાણની અગિયારમી શતાબ્દિમાં થયા, જે વરાહમિહિરના મોટાભાઈ હતા. વરાહી સંહિતા તથા ભદ્રબાહુ સંહિતાના કર્તા પણ તે બંને ભાઈઓ હતા. ભગવતી સૂત્ર અનુસાર તે સમયે પૂર્વનું જ્ઞાન વિછિન્ન થઈ ચૂક્યું હતું. અત્રે આગળ જે નિર્યુક્તિઓના પ્રમાણ આપવામાં આવેલ છે, તે વીર નિર્વાણ ત્રીજી શતાબ્દીથી અગ્યારમી શતાબ્દીની વચ્ચેના છે. પ્રથમ ભદ્રબાહુ સ્વામી બીજી શતાબ્દિ વીરનિર્માણ–૧૭૦માં થયા છે. (૧) દશાશ્રુત સ્કંધ સૂત્રની નિયુક્તિની પ્રથમ ગાથા वंदामि भद्दबाहुं पाईणं, चरिम सगल सुयणाणिं । सुत्तस्स कारगमिसिं, दसासु कप्पे य ववहारे ॥ અર્થ- દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર આ ત્રણે સૂત્રોની રચના કરનારા અંતિમ શ્રુતકેવળી પ્રાચીન ભદ્રબાહુસ્વામીને હું વંદન કરું છું. કોઈપણ વ્યક્તિ પોતાને તો પ્રણામ કરી જ ન શકે એટલે અહીં પ્રથમ નિયુક્તિ ગાથામાં ૧૪ પૂર્વી પ્રાચીન ભદ્રબાહુ સ્વામીને ત્રણે સૂત્રોના કર્તાનું વિશેષણ લગાડીને વંદન કરવામાં આવેલ છે. એટલે ભદ્રબાહુ સ્વામીને માટે પ્રાચીન વિશેષણ તથા ત્રણ સૂત્રોના કર્તાનું વિશેષણ લગાડીને આદિ મંગલરૂપે તેમને વંદન કરનારા શ્રમણ તો દ્વિતીય ભદ્રબાહુ સ્વામી છે. - આ નિર્યુક્તિ ગાથાની ચૂર્ણિ કરતી વખતે ચૂર્ણિકારે પ્રારંભમાં એમ કહ્યું છે કે– હવે ભાવ મંગલ નિર્યુક્તિકાર કહે છે કે તત્વ ભાવ નિષ્પરિવારો માદા અહીં કોઈ બીજી કલ્પનાને પણ સ્થાન રહેતું નથી. કેમ કે ચૂર્ણિ કરનારા Jain Education International itional For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy