SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત નિશીથ સત્રના રચનાકાર:- નિશીથસુત્રના જુદા થવાના કારણે તેના રચનાકારના સંબંધમાંઘણાંવિચારો પ્રચલિત છે જેમકે– (૧) આ સૂત્રવિશાખાગણિ દ્વારા પૂર્વોમાંથી ઉષ્કૃત કરવામાં આવેલ છે. (૨) સમયની માંગ જોઈને આર્યરક્ષિતે આની રચના કરી છે. (૩) ચૌદ પૂર્વી ભદ્રબાહુ સ્વામીએ નિશીથની સાથે સાથે ચારેય છેદ સૂત્રોને પૂર્વોમાંથી ઉદ્ધત કરેલ છે, વગેરે કલ્પનાઓ કરવામાં આવી છે. વિચારણા - (૧) વ્યવહાર સૂત્રમાં આચારપ્રકલ્પ અધ્યયન'નું વર્ણન છે. જેને સાધુ-સાધ્વીઓએ કંઠસ્થ કરવું તેમ કથન પણ છે, એટલે ભદ્રબાહુ સ્વામીની પછી થયેલા વિશાખાગણિ અને આર્યરક્ષિત દ્વારા આચાર પ્રકલ્પની રચના થઈ તેવી કલ્પના આગમથી વિપરીત છે. (૨) આ બંને આચાર્યોમાંથી કોઈએ, પૂર્વશ્રુતથી ઉદ્ધત કરીને રચના કરી તેવું માનવાથી, નિશીથસૂત્રને પૂર્વશ્રુતનો એક અંશ માનવો પડે. વ્યવહારસૂત્રમાં સાધ્વીઓએ એ પ્રકલ્પને કંઠસ્થ કરવું તેવું વિધાન છે, જ્યારે સાધ્વીઓને પૂર્વોનું અધ્યયન કરવાનો નિષેધ છે. એટલે એ બને આચાર્યો દ્વારા પૂર્વોથી ઉદ્ભત કરવાનો વિકલ્પ સત્ય નથી. પરંતુ તે આચાર્યોના પહેલા પણ આ આચારપ્રકલ્પ પૂર્વથી ભિન્ન શ્રત રૂપમાં ઉપલબ્ધ હતું અને સાધુ-સાધ્વીઓ માટે તેની સર્વપ્રથમ વાંચના કિંઠસ્થ કરવાનું આવશ્યક હતું, એ વાત નિશ્ચિત છે. (૩) ભદ્રબાહુ સ્વામીએ ચાર છેદસૂત્રોની રચના નહોતી કરી પરંતુ ત્રણ છેદ સૂત્રોની રચના કરી હતી, જે દશાશ્રુતસ્કંધ સૂત્રની નિયુક્તિની પ્રથમ ગાથાથી સ્પષ્ટ છે. वंदामि भद्दबाहुं पाईणं, चरिम सगल सुयणाणिं । सुत्तस्स कारगमिसिं, दसासु कप्पे य ववहारे ॥१॥ દશાશ્રુતસ્કંધના નિર્યુક્તિ કર્તા દ્વિતીય ભદ્રબાહુ સ્વામીએ પ્રથમ ભદ્રબાહુ સ્વામીને પ્રાચીન ભદ્રબાહુના નામે વંદન કરીને તેને ત્રણ સૂત્રોની રચના કરવાવાળા કહ્યાં છે. - ભદ્રબાહુ સ્વામીએ જો નિશીથ સૂત્રની રચના કરી હોત તો તે વ્યવહારસૂત્રમાં સોળ વખત “આચાર પ્રકલ્પ’નો પ્રયોગ કરવાની જગ્યાએ અથવા અધ્યયન ક્રમના વર્ણનમાં ક્યાંક તો નિશીથ' નામનો ઉલ્લેખ કરે! પરંતુ અધ્યયન ક્રમમાં પણ નિશીથ એ નામ નથી આવતું. આચાર પ્રકલ્પ અને ‘દસા-કપ્પ-વ્યવહાર’નામ આવે છે. એટલે નિશીથ સૂત્રને ભદ્રબાહુની રચના કહેવાનું પણ પ્રમાણ સંગત નથી. ઉપસંહાર – આ બધી વિચારણાઓથી એટલું તો સિદ્ધ થાય છે કે– આ કોઈની રચના નથી પરંતુ આચારાંગના અધ્યયનને કોઈ આશયથી પૃથક કરવામાં આવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy