SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ ૧૫ અધ્યયન નામના આધારે “નિશીથ સૂત્ર” રાખવામાં આવ્યું હતું. આ કારણે નંદી સૂત્રમાં પ્રકલ્પ” કે “આચારપ્રકલ્પ' નામનું કોઈ સૂત્ર કહ્યું નથી અને નંદી સૂત્રની પહેલાં રચાયેલાં સૂત્રોમાં ઘણી જગ્યાએ “આચારપ્રકલ્પ'નું કથન છે પરંતુ ત્યાં નિશીથ સૂત્રનું નામ જ નથી. સમવાયાંગ સૂત્રની ઉપર્યુક્ત ટીકાના અંશમાં ટીકાકારે સ્પષ્ટ કર્યું છે કે આચારનો અર્થ પ્રથમાંગ આચારાંગ સૂત્ર અને પ્રકલ્પનો અર્થ તેનું અધ્યયન વિશેષ. જેનું પ્રસિદ્ધ બીજુ નામ નિશીથ સૂત્ર છે.” આમ આ બંને સૂત્રો મળીને સૂત્રોક્ત સંપૂર્ણ આચાર પ્રકલ્પ સૂત્ર બને છે. “આચાર-પ્રકલ્પ” શબ્દના વૈકલ્પિક અર્થ આ પ્રકારે થાય છે – (૧) આચાર અને પ્રાયશ્ચિત્તોના વિધાન કરવાવાળું સૂત્ર નિશીથ અધ્યયન યુક્ત આચારાંગ સૂત્ર. (૨) આચાર વિધાનોના પ્રાયશ્ચિત્તનું પ્રતીક સૂત્ર = નિશીથ સૂત્ર. (૩) આચાર વિધાનો પછી તે સંબંધી પ્રાયશ્ચિત્તોને કહેવાવાળું અધ્યયન = આચાર પ્રકલ્પ અધ્યયન = નિશીથ અધ્યયન. (૪) આચારાંગથી પૃથક કરવામાં આવેલો વિભાગ કે ખંડ રૂ૫ સૂત્ર અથવા અધ્યયન = આચાર-પ્રકલ્પ અધ્યયન = નિશીથ સૂત્ર. વ્યવહાર સૂત્રમાં પ્રયુક્ત “આચાર-પ્રકલ્પ, આ ચારે વિકલ્પોમાં પ્રથમ વિકલ્પની અપેક્ષાએ સુસંગત લાગે છે. સંખ્યા પ્રધાન ઠાણાંગ અને સમવાયાંગ સૂત્રમાં અનેક અપેક્ષાઓથી અનેક પ્રરૂપણ કરવામાં આવેલા છે. તેને એકાંત અપેક્ષાએ સમજવું અનુચિત થાય છે. જેમ કે નિશીથ સૂત્રના ૨૦ ઉદ્દેશક છે. પરંતુ તેમને વિભિન્ન અપેક્ષાઓથી ત્રણ અથવા પાંચની સંખ્યામાં જ ગણાવ્યા છે. ઠાણાંગ સુત્રમાં પાંચ અનુદ્દઘાતિક કહ્યા છે. તેમ છતાં ત્રણ અનુક્વાતિક પણ કહેલ છે. આ જ રીતે આચારપ્રકલ્પમાં પાંચ વિભાગ પણ કહેલાં છે અને ૨૮ વિભાગ પણ કહેલા છે. આવા અનેક ઉદાહરણો છે. માટે ઓછી સંખ્યાનો આગ્રહ રાખવાના બદલે વધારે સંખ્યાને જ માનવું જોઈએ. સારાંશ એટલો જ કે સંક્ષિપ્ત અપેક્ષાથી ઉપલબ્ધ નિશીથ સૂત્રને બે આગમ અને વ્યાખ્યાઓમાં આચારપ્રકલ્પ કહેલ છે અને વિસ્તૃત તથા પરિપૂર્ણ અપેક્ષાથી ઉપલબ્ધ આચારાંગ અને નિશીથ સૂત્ર બંનેને ભેળવીને તેને આચારપ્રકલ્પ કહેલ છે. નિષ્કર્ષ એ થયો કે આ બંને એક જ સૂત્રના બે ભાગ છે. નંદીસૂત્રની રચનાના સમય સુધીમાં તેનું વિભક્ત થઈ જવું તથા નિશીથ નામકરણ થઈ જવું પણ સંભવ છે. તેના પહેલાં આગમ સ્થળોમાં નિશીથ સૂત્ર નામનું કોઈ અસ્તિત્ત્વ નથી, ફક્ત “આચાર પ્રકલ્પ” અથવા “આચારપ્રકલ્પ અધ્યયન' ના નામથી વિધાન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy