________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
Ð તિથિ નિર્ણય : અભિધાન રાજેન્દ્ર કોષથી
પારાસર સ્મૃતિ આદિમાં :--
आदित्योदय वेलायां या स्तोका पि तिथि र्भवेत् 1 सा संपूर्णा इति मन्तव्या, प्रभूता नोदयं विना ॥
૧૧
અર્થ- સૂર્યોદય સમયે અલ્પસમય માત્ર પણ જે તિથિ હોય તેને જ સંપૂર્ણ તિથિરૂપે માનવી જોઈએ. પરંતુ સૂર્યોદય સમયે જે તિથિ ન હોય તે આખો દિવસ કે વધારે સમય સુધી હોવા છતાં પણ માન્ય ન કરવી. ઉમાસ્વાતિ વાચક પ્રઘોષચૈવ શૂયતે ઃ
क्षये पूर्वी तिथि कार्या, वृद्धौ कार्या तथोत्तरा । एवं पौषधादिना पर्व दिवसा आराध्या इति पर्व कृत्यानि ॥
અર્થ કોઈપણ તિથિ ક્ષય થાય ત્યારે તે તિથિના કાર્ય પૂર્વની તિથિના દિવસે કરવા જોઈએ. કોઈપણ તિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજા દિવસે તે તિથિના કાર્ય કરવા જોઈએ. આ પ્રમાણે માનીને જ પૌષધ આદિ દ્વારા પર્વ દિવસોની આરાધના કરવી જોઈએ.
–
उमा स्वाति वाचक वचन प्रमाण्याद् वृद्धौ सत्यां स्वल्पापि अग्रेतना तिथिः प्रमाण्यम् । અર્થ– ઉમા સ્વાતિ આચાર્યના વચનને પ્રમાણ કરીને કોઈ તિથિ વધે ત્યારે બીજે દિવસે અલ્પ સમય જ તે તિથિ હોય તો પણ બીજા દિવસે જ પર્વતિથિ માનવી જોઈએ.- અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ-૪ ‘તિહિ’ શબ્દ.
સંવત્સરી વિચારણા નિબંધ વિષે મન્તવ્ય શ્રી જીતમલજી ચોપડા, અજમેર
જૈન સમાજનું એક મહાન પર્વ છે સંવત્સરી. સંવત્સરી પર્વની વિશેષતા છેકે હૃદયોની અનેકતાને એકતામાં પરિવર્તિત કરવી. હૃદયોની એકતાની પહેલાં સમાજની એકતા પણ નિતાંત આવશ્યક છે. તેથી કોઈપણ રીતે સમગ્ર સમાજની સંવત્સરી એક દિવસે થાય તે માટે હાર્દિક લગન સાથે પ્રયત્ન કરવો તે પ્રત્યેક સાચા જૈનનું કર્તવ્ય છે.
શાસ્ત્રોમાં સંવત્સરીના દિવસનો કે તિથિનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી તો પણ પ્રાચીન પરંપરા ભાદરવા સુદ પાંચમની જ હતી. તેમાં બધા સંપ્રદાયો સંમત છે. શ્રદ્ધેય આગમ મનીષી શ્રી તિલોકમુનિજીએ કોઈ સ્વાર્થ કે અહમ્ વિના સંવત્સરીપર્વ પર સ્પષ્ટ, નિષ્પક્ષ તેમજ સત્ય વિચારો દર્શાવી પોતાની વાત સંવાદરૂપે રજૂ કરી છે. આ સંવાદમાં આગમ તથા સામાજિક દષ્ટિએ વિચારણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org