________________
૧૧૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમનવનીત
જિજ્ઞેશ:– મહિનો વધે ત્યારે પર્વ બીજા મહિનામાં શા માટે કરાય છે? દિનેશ :- મહિનો વધે ત્યારે પ્રથમ મહિનો ગૌણ-નગણ્ય-નપુંસક માસ ગણાય છે. તેમાં કોઈ પર્વો થતાં નથી. બીજા મહિનાને જ વાસ્તવિક મનાય છે. જિજ્ઞેશ – ધર્મકાર્ય તો પહેલાં જ કરવા જોઈએને પછી શા માટે? દિનેશ:– કોઈપણ કાર્યનો જે નિશ્ચિત દિવસ હોય તેથી પહેલાં-પહેલાં કરતાં જવાથી અવ્યવસ્થા થાય છે. જ્યારે ચોમાસી, મહાવીર જયંતિ, અખાત્રીજ આદિને પહેલા મહિનામાં નથી કરતાં તો માત્ર સંવત્સરી માટે જ કેમ એમ કરવું? જ્યારે તેના માટે તો “એક નિશ્ચિત દિવસે જ કરવી, પરિવર્તન ન કરવું એવી આગમ આજ્ઞા છે તથા તેમાં પરિવર્તન કરવાનું ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત પણ નિશીથ સૂત્રમાં કહેલ છે. તેથી જો ધર્મકાર્ય પહેલાં કરવાનો વિકલ્પ મહત્ત્વશીલ હોત તો ઉપરોકત બધા પર્વ પણ મહિના વધે ત્યારે પ્રથમ માસમાં કરવા જોઈતા હતા, પરંતુ તેમ થતું નથી. તેથી તે કથન મહત્ત્વશીલ નથી. જિજ્ઞેશ – આ પાછલી ચર્ચાનો સાર શું છે? દિનેશ – કોઈપણ મહિનો કે તિથિ વધે તો પણ સંવત્સરી પર્વની નિશ્ચિત તિથિ ભાદરવા સુદ પાંચમનું પરિવર્તન કરાય નહીં. પ્રતિક્રમણના સમયે ઘડીપળ જોવાની મુંઝવણમાં પડવું નહિ. પ્રસિદ્ધ તિથિએ પર્વ દિવસના ઉપવાસ, પૌષધ આદિ વ્રત, નિયમ કરવા જોઈએ. જેવી રીતે અન્ય મહિનાના અન્ય ધાર્મિક પર્વ કરવાના નિર્ણય લેવાય છે, તે જ રીતે સરળતાપૂર્વક સંવત્સરી પર્વનો પણ નિર્ણય કરવો જોઈએ.
જે ક્ષેત્રમાં અને સમાજમાં આપણે રહીએ છીએ, તે સમાજની એકતા, શાંતિ, સમાધિ જેવી રીતે જળવાય રહે; પ્રેમ, વાત્સલ્યતા જેમ વધે; એ દિવસે આપણે સંવત્સરી પર્વની આરાધના કરવી જોઈએ. સંપૂર્ણ જૈન સમાજને પ્રસિદ્ધ પાંચમે જ સંવત્સરી કરવાની પ્રબળ પ્રેરણા મળે, એવો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. જેથી સમગ્ર જૈન સમાજની સ્થાયી એકતા તથા જિનાજ્ઞાની સારી આરાધના થઈ શકે.
* જિન શાસન એકતા : સંવત્સરી વિચારણા સંવાદ સંપૂર્ણ * શ્રેષ્ઠ મંતવ્ય જો કે આપણી પરંપરા અસ્ત તિથિની રહેલ છે પરંતુ તેનાથી બહુ જ અવ્યવસ્થા થઈ ગઈ છે. કયારેક ચોથ, કયારેક પાંચમ, કયારેક ચૌદશ, કયારેક પૂનમ એમ પ્રત્યેક પર્વમાં દુવિધા ફેલાઈ ગઈ છે. અત્યારે સમાજ વિસ્તૃત થઈ ચૂકયો છે. વિકાસશીલ પણ બધા સ્થાયિત્વ ઇચ્છે છે. તેથી બધા સ્થાનકવાસી સમાજે એક મત થઈ ઉદયતિથિનો સ્વીકાર કરી લેવો જોઈએ. જે. મૂર્તિપૂજક જૈન ઉદયતિથિના આધારે ચોથની સંવત્સરી નિશ્ચિતરૂપે કરે છે. શ્વે.સ્થા. તેરાપંથી જૈન પણ ઉદયના આધારે પાંચમ કરી લે છે. દરેક જૈન સમાજ સ્થાયી તિથિની માન્યતા રાખે છે. માત્ર સ્થાનકવાસીઓમાંજ આ દુવિધા છે– કયારેક ચોથ, કયારેક પાંચમ! આ સ્થિતિ બંધ થવી જોઈએ. મનન કરવું જોઈએ. – શ્ર. સં. મહામંત્રીશ્રી સૌભાગ્ય મલજી મ.સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org