SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ અર્થાત્ પર્યુષણમાં પાખી બીજા દિવસે, ત્રીજા દિવસે કે ચોથા દિવસે આવે તેમાં કોઈ પણ આગમથી વિરોધ નથી. ૧૧૫ જિજ્ઞેશ :- ઉક્ત ચર્ચા પ્રમાણે શું પાખી આદિનો નિર્ણય પણ અસ્ત-તિથિના ઘડી-પલથી ન કરાય ? - ઃ : દિનેશ – પાખી આદિ પર્વદિન પણ સાધુ માટે ઉપવાસ વ્રત નિયમાદિની મુખ્યતાએ જ હોય છે. તેથી પક્ષનો છેલ્લો દિવસ અમાસ-પૂનમ જ્યારે પંચાંગ પ્રમાણે હોય અર્થાત્ પ્રસિદ્ધ અમાસ-પૂનમના દિવસે જ પાખી પર્વ સ્વીકારવું જોઈએ. જિજ્ઞેશ :– અમાસ કે પૂનમના ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે શું કરવું ? દિનેશ ઃ જે રીતે અન્ય આઠમ આદિ પર્વ તિથિઓના ક્ષય થવા પર તેના વ્રતાદિ કરવાના વ્યવહાર હોય છે, તે જ રીતે પાખી પર્વને માટે પણ સમજવું. ધ્યાન એ રાખવું કે પાખીના બીજે દિવસે પછીનો પક્ષ આવી જવો જોઈએ. કારણ કે પાખી પર્વનો મતલબ જ એ છે કે પક્ષના અંતિમ દિવસની આરાધના કરવી. જિજ્ઞેશ ઃ— જે વર્ષે બે ભાદરવા મહિના હોય તેમાં સંવત્સરી ક્યારે કરવી ? દિનેશ ઃ– જ્યારે અન્ય મહિના વધે છે ત્યારે તે મહિનામાં આવતા પર્યો જે રીતે કરાય છે તે જ રીતે આમાં કરવું જોઈએ. : જિજ્ઞેશ :– બીજા મહિના વધે ત્યારે કયા પર્વો ક્યારે કરાય છે ? - - દિનેશ :– બે અષાઢ હોય ત્યારે ચોમાસી પાખી બીજા અષાઢમાં કરાય છે. બે શ્રાવણ હોય ત્યારે રક્ષાબંધન બીજા શ્રાવણમાં કરાય છે. બે ભાદરવા હોય ત્યારે ઋષિ પંચમી બીજા ભાદરવામાં હોય છે. બે કારતક હોય ત્યારે કારતક ચોમાસી પાખી બીજા કારતકમાં મનાવાય છે. બે ફાગણ હોય ત્યારે ફાગણ ચોમાસી બીજા ફાગણમાં કરાય છે. બે ચૈત્ર હોય ત્યારે મહાવીર જયંતિ તથા આયંબિત ઓળી બીજા ચૈત્રમાં કરાય છે. બે વૈશાખ હોય તો અખાત્રીજ બીજા વૈશાખમાં કરાય છે. તદનુસાર બે ભાદરવા હોય ત્યારે સંવત્સરી બીજા ભાદરવામાં જ કરવી જોઈએ. જિજ્ઞેશ :~ બે શ્રાવણ હોય તો સંવત્સરી ક્યારે કરવી જોઈએ ? દિનેશ ઃ- સંવત્સરી ભાદરવા મહિનાનું પર્વ છે. શ્રાવણ બે હોય કે એક, સંવત્સરી માટે તો ભાદરવા સુદ પાંચમ જ નિશ્ચિત તિથિ છે અને નિશ્ચિત તિથિનું પરિવર્તન કરવાનું નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત છે. તેથી તેમાં પરિવર્તન કરવાને અનાગમિક સમજવું જોઈએ. જિજ્ઞેશ ઃશાસ્ત્રમાં તો અષાઢી ચોમાસીથી પચાસમા દિવસે સંવત્સરી હોવાનું કહેલ છે ને ? દિનેશ ઃ- એ તો એક કલ્પિત કલ્પના છે. ૫૦ કે ૪૯ દિવસની કોઈ સંખ્યા શાસ્ત્રમાં નથી. તે માત્ર કલ્પિત વાત છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy