________________
| ૧૧૪
૧૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
ઉપવાસ કરીને પ્રસિદ્ધ પાંચમનો ઉપવાસ ન કરવો એ સ્પષ્ટરૂપે શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન છે. જિજ્ઞેશ :- પર્વદિવસોના આરાધનાકાર્ય પ્રસિદ્ધ તિથિએ ન કરીને અસ્તતિથિએ તથા ઘડી-પળથી કરવા જોઈએ ? દિનેશ :- આ કલ્પના આગમ સંમત પણ નથી અને વ્યવહાર સંગત પણ નથી. કારણ કે આગમમાં પર્વ તિથિઓ છ બતાવેલ છે. બે આઠમ, બે ચૌદશ, અમાસ અને પૂનમ. તથા બે પાંચમ, બે અગિયારસ અને બે બીજ એમ પણ પર્વતિથિઓ જૈન સમાજમાં માન્ય છે. આ બધી પર્વતિથિઓ એ ઉપવાસ-પૌષધ તથા અન્ય વિવિધ ત્યાગ નિયમ શ્રમણવર્ગ તથા શ્રમણોપાસક વર્ગમાં હોય છે. તે બધા પર્વ તિથિઓની વ્રત આરાધના પ્રસિદ્ધ તિથિએ જ કરે છે, અસ્ત તિથિએ નહીં, એ સત્ય હકીકત છે. તેથી અસ્તતિથિએ પર્વતિથિની વ્રત આરાધનાની કલ્પનામાં સત્યતા કે વાસ્તવિકતા નથી અને ઘડીપળથી પર્વતિથિની આરાધનાની વાત પણ પૂર્ણતઃ વ્યવહાર વિરુદ્ધ તથા આગમવિરુદ્ધ છે. અર્થાત્ પાંચમ, આઠમ, ચૌદશ વગેરે જ્યારે જે ઘડી-પલથી શરૂ થઈને જે ઘડી-પળમાં પૂર્ણ થાય તે (દિવસના) મધ્યકાલીન સમયમાં તે તિથિના વ્રત, નિયમ, ઉપવાસ, પૌષધ-વ્રત આદિ કરવા મૂર્ખતાપૂર્ણ જ થશે.
જેમ કે– પાંચમના ઘડીપલ દિવસના બે વાગે શરૂ થાય અને બીજે દિવસે ૧૨ વાગે પૂર્ણ થાય તો ઉપવાસ, બ્રહ્મચર્ય પાલન, લીલોતરી ત્યાગ પૌષધ, મૌનવ્રત આદિ કઈ રીતે કરશે? એવા ઘડીપલની તિથિના ઉપવાસ આદિ નિંદાપાત્ર થશે.
તેથી અસ્ત તિથિ અને ઘડી-પલથી પર્વતિથિની વ્રતઆરાધના ન કરતાં, પ્રસિદ્ધ તિથિએ જ કરવા જોઈએ. જિજ્ઞેશ – પાંચમનો ક્ષય કે વૃદ્ધિ હોય તો શું કરવું જોઈએ? દિનેશ – આગમોક્ત અન્ય પર્વતિથિઓના વૃદ્ધિ ક્ષય થતાં જે નિર્ણય લેવાય છે અર્થાત્ તે તિથિના વ્રત-નિયમ એવં ઉપવાસ આદિ કરાય છે, તેવી રીતે જ ભાદરવા સુદ પાંચમના વૃદ્ધિ કે ક્ષય થતાં નિર્ણય કરવો જોઈએ. જિજ્ઞેશ – પર્યુષણમાં અઠ્ઠાઈ કયા દિવસે આવવી જોઈએ? દિનેશ – આગમમાં માત્ર સંવત્સરીના એક દિવસનો જ ઉલ્લેખ તથા તત્સંબંધી વિધાન છે. તેથી તેનો યોગ્ય નિર્ણય કરવો જ પર્યાપ્ત છે. પછી તેના હિસાબે સાત દિવસ પહેલાં કોઈપણ તિથિએ અઠ્ઠાઈ કરવામાં કોઈ શાસ્ત્રનો વિરોધ નથી. જિજ્ઞેશ – પર્યુષણમાં પાણી આદિ કયા દિવસે આવવા જોઈએ ? દિનશે – તેનો પણ સંવત્સરીના દિવસથી કોઈ પ્રતિબંધ ન સમજવો જોઈએ. અન્ય પાખીના નિર્ણય અનુસાર આ પાણીનો પણ નિર્ણય કરી લેવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org