SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ ૧૧૩ દિનેશ :- નહીં; તેને તો પંચાંગની પાંચમના જ બધા ઉપવાસ કરવા જોઈએ. જિગ્નેશ – ઘડી-પળથી તથા અસ્ત તિથિથી સંવત્સરી કરનારા જ્યારે ચોથની સંવત્સરી કરે તો પાંચમનો ઉપવાસ ક્યારે કરશે ? દિનેશ – તે વર્ષના ર૩ઉપવાસ તો પંચાંગ પ્રમાણે પાંચમના કરશે અને ભાદરવા સુદ પાંચમનો ઉપવાસ તે ચોથની સંવત્સરીએ કરશે તથા પાંચમના પારણા કરશે અથવા તો પાંચમનો છઠ્ઠ કરી લેશે. જિજ્ઞેશ – પાંચમનો કોઈને બ્રહ્મચર્ય પાલનનો નિયમ હોય તથા લીલોતરીનો ત્યાગ હોય તો તે શું કરશે? દિનેશ – ઘડી-પળથી ચોથની સંવત્સરી કરનારા એ બંને નિયમોનું ચોથની સંવત્સરીએ પણ પાલન કરશે તથા બીજે દિવસે પંચાંગ પ્રમાણે પાંચમને પણ પાલન કરશે. જિજ્ઞેશ – તેઓને સંવત્સરીની પાંચમી જુદી અને ત્યાગ-પ્રત્યાખ્યાન આદિની પાંચમ જુદી એમ જુદું જુદું કરવું સંગત છે? દિનેશ – ઉપરોકત પ્રમાણો અનુસાર બધા ધાર્મિક વ્રત, નિયમ, ઉપવાસ આદિ કરવારૂપ પર્વ દિવસની તિથિમાં પંચાંગની તિથિ જ સ્વીકારવી ઉચિત છે અને એમ કરવાથી ઉપરોકત દર્શાવેલી કોઈ અસંગતતા થતી નથી. જિજ્ઞેશ – આ વાર્તાલાપનો સારાંશ શું છે? દિનેશ:– સંવત્સરીનું મુખ્ય કર્તવ્ય સાધુને ચૌવીહારો ઉપવાસ નિશીથ સૂત્રમાં બતાવેલ છે. અન્ય કર્તવ્ય પણ તેમાં છે. પરંતુ પ્રતિક્રમણની મુખ્યતા નથી. તેથી સંવત્સરીની પાંચમની તિથિ ઉપવાસની અપેક્ષાએ જ સમજવી જોઈએ. તેથી પ્રતિકમણના સમયને માટે ઘડી-પળ જોઈને ક્યારેક ચોથ અને કયારેક પાંચમની એમ અસ્થિર તિથિની સંવત્સરી કરવાને બદલે પંચાંગ મુજબની સ્થિર તિથિએ જ સંવત્સરી આરાધના ઉપવાસ દ્વારા કરવી જોઈએ. જિશ – એવું કરવાથી છઠ્ઠની ઘડીઓમાં પ્રતિક્રમણ થશેને? દિનેશ – તેમાં કોઈ મુશ્કેલી નથી. કોઈપણ શાસ્ત્રથી વિરોધ નથી. પરંતુ ઉપવાસ તો સદા પાંચમનો જ થશે, જેથી આગમ આજ્ઞાની આરાધના થશે. ઉપવાસ આદિરૂપ નિશીથ સૂત્રની આજ્ઞા એક નિશ્ચિત તિથિની અપેક્ષાએ છે અને તે તિથિ ભાદરવા સુદ પાંચમ સર્વ માન્ય અને પ્રાચીન છે. પ્રતિક્રમણ સમયે પાંચમ જોવાવાળા શ્રમણ શાસ્ત્રાજ્ઞાવાળા પાંચમનો ઉપવાસ કયારેક ચોથનો કરે છે, જેનું નિશીથ ઉદ્દેશક-૧૦, સૂત્ર–૩૭માં ગુરુ ચોમાસી પ્રાચશ્ચિત્ત કહેલ છે. પરંતુ છઠ્ઠની ઘડીઓમાં પ્રતિક્રમણ થાય તો કોઈપણ શાસ્ત્રપાઠથી પ્રાયશ્ચિત્ત આવતું નથી કે કોઈ શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. પ્રસિદ્ધ ચોથનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy