SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત છે. અન્ય અવ્યવહારિક તિથિએ ઉક્ત કાર્ય કરવાથી આગમ આજ્ઞા ભંગ કરવાનો દોષ લાગે છે તથા અન્ય પણ અનેક દોષો લાગે છે– અભિ રા. કોષ ભાગ-૩ ‘તિહિ'. જિલ્લશ – ઘડી-પળ જોઈને જ પર્વતિથિનો નિર્ણય કરવાની પરંપરા જે ચાલી રહી છે તેને છોડી દેવી શું ઉચિત છે? દિનેશ – પરંપરાઓ તો ઘણી બનતી રહે છે તથા બદલતી રહે છે. કોઈપણ એવો સમુદાય નથી કે જે કહી શકે કે અમારા સમુદાયમાં ૫૦-૧૦૦ વર્ષમાં કોઈપણ પરંપરા બદલી નથી. તેથી પરંપરાનો તર્ક કે આગ્રહ મહત્ત્વનો નથી. જિજ્ઞેશ :- શું પરંપરાઓનું કોઈ મહત્ત્વ જ નથી? કોઈપણ પરંપરા બદલી શકે છે? દિનેશ – (૧) કોઈપણ પરંપરા કોઈપણ આગમથી વિપરીત હોય તો ખ્યાલમાં આવતાં જ તેનું પરિવર્તન કરવું સર્વથા ઉચિત છે. તેનો આગ્રહ રાખવો સર્વથા અનુચિત છે. (૨) કોઈ પરંપરાના સંબંધમાં આગમમાં સંમતિ કે વિરોધ ન હોય તો તેમાં ક્ષેત્રકાળની અપેક્ષા હાનિલાભ તથા સમાજની શાંતિ, એકતા આદિનો વિચાર કરી નિર્ણય કરવો જોઈએ. (૩) જે પરંપરા આગમ સંમત છે, આગમ આજ્ઞા તથા ભગવદજ્ઞારૂપે છે તેનું પરિવર્તન કરવું કે તેના પરિવર્તનનો નવો સિદ્ધાંત બનાવવો એ જિન શાસનનો મહાન અપરાધ છે. એનો અધિકાર કોઈને નથી. વ્યક્તિગત કે થોડા સમય માટે પરિસ્થિતિ વશ તે પરંપરામાં અપવાદ સેવન કરે અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે, તે આગમ સંમત છે. જિજ્ઞેશ:– સંવત્સરીના આ પ્રકરણમાં પરંપરામાં કહેલ ત્રણ વિકલ્પોમાં કયો વિકલ્પ ઉપસ્થિત છે? દિનેશ :– નિશીથસૂત્રના પ્રમાણોથી સંવત્સરીપર્વમાં ઉપવાસની મુખ્યતા હોવાથી ઘડી-પલ જોવાની પરંપરા પ્રથમ વિકલ્પમાં આવે છે. તે પ્રમાણે તેમણે સંવત્સરીનો ભાદરવા સુદ પાંચમનો ઉપવાસ, પ્રચલિત તેમજ પંચાગની પાંચમ પ્રમાણે જ કરવો જોઈએ અને ભ્રાંતિથી ચાલતી પરંપરાનો ત્યાગ કરવો જોઈએ. આગમાધાર રહિત પ્રતિક્રમણની પ્રમુખતાવાળી પરંપરા બીજા વિકલ્પમાં આવે છે તે પ્રમાણે પણ સમાજની એકતા તથા હાનિ-લાભનો વિચાર કરી પરિવર્તન કરવું સંભવે છે. તેથી પ્રતિક્રમણને માટે ઘડી-પળ જોવાની ચાલતી પરંપરાનું પરિવર્તન કરવામાં કોઈપણ દોષ થાય નહીં. જિજ્ઞેશ – કોઈને પ્રત્યેક પાંચમનો, વર્ષમાં ૨૪ ઉપવાસનો નિયમ હોય તો શું તેને ઘડી પળની પાંચમ કે અસ્ત તિથિની પાંચમ જોવી જોઈએ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy