________________
અનુભવ અર્ક ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
:
ચોથના દિવસે ૪ વાગે પાંચમની ઘડી ચાલુ થઈને બીજે દિવસે ત્રણ વાગે સમાપ્ત થઈ જાય, ત્યારે ઘડી-પળની પાંચમ કરવાવાળા ચોથના ૪ વાગ્યા સુધી ખાશે અને પાંચમના ૩ વાગ્યા પછી પારણું કરી લેશે. આમ જૈનાગમ મુજબ ચોથનો પણ તેનો ઉપવાસ નહીં થાય અને પાંચમનો પણ નહીં થાય. તેથી ઉપવાસ તો પંચાંગમાં લખેલી તિથિ પ્રમાણે જ કરવો યોગ્ય છે. તે પંચાંગની તિથિ નિશ્ચિત હોય છે. ઘડી-પળ મુજબ ઉપવાસ કરવાને તો જૈન શું જૈનેતર સમાજ પણ માન્ય કરતા નથી.
જિજ્ઞેશ ઃ શું અસ્તતિથિના આગ્રહવાળા આટલી સ્પષ્ટ પ્રમાણયુક્ત વાતને સમજી શકતા નથી ?
—
૧૧૧
ઃ
-
દિનેશ :– પ્રતિક્રમણ અને ઉપવાસમાંથી આગમમાં ઉપવાસનું મહત્ત્વ છે, એ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી તેઓ પ્રતિક્રમણની પ્રમુખતામાં ગુંચવાયા રહેવાને કારણે આ વાતને સહજ સમજી શકતા નથી તથા સ્વીકારી પણ શકતા નથી. જિજ્ઞેશ :– આગમમાં કે ગ્રંથોમાં ઉદય-અસ્ત સંબંધી કંઈ પણ કથન છે ? દિનેશ :– ૩ર આગમો કે ૪૫ આગમોમાં ૬ પર્વ તિથિઓનો તથા ચાતુર્માસી સંવત્સરી પર્વનો નિર્દેશ છે. પરંતુ ઉદય-અસ્ત, ઘડી-પલ આદિના હિસાબનો નિર્દેશ જરા પણ નથી. પ્રાચીન જૈનગ્રંથોમાં ઉદય તિથિને જ પર્વકૃત્યો માટે સ્વીકારેલ છે અર્થાત પ્રચલિત વ્યવહારિક તિથિના દિવસે જ પર્વો મનાવવાની પ્રેરણા કરેલ છે તેમજ તેનું જ ઔચિત્ય બતાવેલ છે.
જિજ્ઞેશ :- જૈનગ્રંથના તે વાક્યાંશો અર્થ સહિત સમજાવો.
-
દિનેશ :-- ધર્મ વિષુ(પ્ર) તિથિરૂપા તિથિદેવ ગ્રાહ્યા । તિથિશ્વ પ્રાત: प्रत्याख्यान वेलायां या स्यात् सा प्रमाणम् । सूर्योदयानुसारेणेव लोकेऽपि दिवसादि व्यवहारात् । आहुरपिગાથાવાડમાસિય વરસે, પર્શ્વીય પંચ૬મીસુ ।
ताओ तिहिओ जासं, उदेइ सूरो न अण्णाओ ॥१॥
पूआ पच्चक्खाणं पडिक्कमणं तह य नियम गहणं च । जीए उदेइ सूरो, तीए तिहिए उ कायव्वं ॥२॥
उदयम्म जा तिहि सा पमाणं, इयराए कीरमाणीए । आणाभंग अणवत्था मिच्छत्त विराहणं पावे ॥३॥
ભાવાર્થ :- ધર્મકાર્યોમાં જે વ્યવહારિક તિથિ હોય છે તે જ સ્વીકારવી જોઈએ. ચાતુર્માસી, સંવત્સરી, પાંચમ, આઠમ, પાખી વગેરે એ જ તિથિઓ હોય છે કે જેમાં સૂર્ય ઉદય થાય છે, અન્ય તિથિ નહીં. પૂજા, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, નિયમ ગ્રહણ આદિ ઉદય તિથિ(વ્યવહારિક તિથિ) અનુસાર કરવી જ પ્રમાણિક થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org