SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમનવનીતા ગણતરી થતી નથી. તે દશાશ્રુત સ્કંધના આઠમા અધ્યયનના નામે અન્ય અનેક ઉચિત અનુચિત મિશ્રણોથી બનેલ સૂત્ર છે. આ કલ્પસૂત્રનું પ્રથમ સૂત્ર સંવત્સરી વિષયક છે જે તર્ક સંગત પણ નથી, આગમ વિપરીત પણ છે. આ વિષયની અન્ય વિસ્તૃત જાણકારી છેદશાસ્ત્ર, સારાંશ ખંડ-૪ના પરિશિષ્ટમાં જોઈ લેવી. જિગ્નેશ :– સ્થાનકવાસી, તેરાપંથી તથા દિગંબર એ ત્રણે ય જૈન ફિરકા પાંચમનો સ્વીકાર કરનારા હોવા છતાં પણ તેઓ ક્યારેક ચોથની અને ક્યારેક પાંચમની સંવત્સરી કરતાં જોવા મળે છે. સ્થાનકવાસી સમાજનાં સમુદાયો પણ એક જ વર્ષમાં કોઈ ચોથની તો કોઈ પાંચમની સંવત્સરી મનાવતાં હોય છે તથા સંવત્સરી પર્વની એકતા અનેકતાના નામે આ પાંચમ પક્ષવાળામાં પણ પરસ્પર વિવાદ કેમ થાય છે? દિનેશ – તેમાં બે વિભાગ છે. એક વિભાગ પ્રતિક્રમણ સમયે પાંચમના ઘડી-પળ હોવાનો આગ્રહ રાખે છે. બીજો વિભાગ પંચાંગમાં લખેલી પાંચમનો સ્વીકાર કરે છે; એ જ વિવાદ અને વિભેદનું મુખ્ય કારણ છે. જીશ :- આ બંને વિભાગોમાં કોણ કઈ બાજુ છે? દિનેશ :- શ્વેતાંબર તેરાપંથ, કેટલાક સ્થાનકવાસી તથા પ્રાય: દિગંબરનું એક સંમિલિત સંગઠન છે. જે પંચાંગમાં લખેલી પાંચમે સંવત્સરી કરવાના નિર્ણયમાં સંકલ્પ બદ્ધ છે. આ પહેલો વિભાગ છે. બીજા વિભાગમાં બાકીના સ્થાનકવાસીના કેટલાક સંપ્રદાયો છે. તે અસ્ત તિથિની પ્રમુખતા મુજબ પર્વ કરે છે. તેને પોતાની પ્રાચીન પરંપરા સમજે છે તથા પ્રતિક્રમણના સમયે ઘડીઓ પળોમાં પાંચમ આવવાનું ધ્યાન રાખે છે. એ કારણે આ સમુદાયો ક્યારેક પંચાંગમાં લખેલ ચોથની સંવત્સરી કરે છે, ક્યારેક પંચાંગમાં લખેલી પાંચમની સંવત્સરી કરે છે. જિજ્ઞેશ – પ્રતિક્રમણ સમયે ઘડી-પળ પાંચમના જોવા ઉચિત છે? દિનેશ – ઉપર બતાવેલ છે કે શ્રમણોને માટે સંવત્સરીનું આગમિક મહત્વ ઉપવાસ આદિકર્તવ્યોને માટે છે, પ્રતિક્રમણ માટે નહિ. આગમમાં સંવત્સરી પ્રતિક્રમણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત ન કહેતાં ઉપવાસ ન કરવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. તેથી પાંચમના ઘડપલને પ્રતિક્રમણ માટે શોધવા ઉચિત નથી. ઉપવાસને યોગ્ય પાંચમનો દિવસ કયો છે, તે શોધવું અને વિચારવું જોઈએ. જિજ્ઞેશ :- શાસ્ત્રમાં સંવત્સરીનો ઉપવાસ કરવાનું પ્રમુખ કર્તવ્ય છે તો શું તેને પાંચમના ઘડી-પળે કરવાનું ધ્યાન રાખવું જોઈએ? શા માટે? દિનેશ :– ઘડી-પળની પાંચમ જોઈને ઉપવાસ કરવો સંભવ પણ નથી અને એવો ઉપવાસ જૈન માન્યતાથી વિપરીત અને હાસ્યાસ્પદ થાય છે. કારણ કે જો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy