SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ - સંપાદકીય | 5 તત્ત્વજ્ઞાનમાં ઇતિહાસનો વિષય પણ એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. IF આજે સાહિત્યનો સંગ્રહ આજે વિશાળરૂપે ઉપલબ્ધ છે. જેમાં મૌલિક આગમ! સાહિત્ય આચારાંગ આદિ અનેક સૂત્ર છે. જે તીર્થંકર-ગણધરથી માંડીને પરંપરાથી ક્રમશઃ આજ દિન સુધી પ્રાપ્ત થતું રહ્યું છે. અન્ય સાહિત્ય પણ વિભિન્નના રૂપે પાછળથી આચાર્યોએ સંકલિત સંપાદિત કરેલ છે. મૌલિક આગમોમાંથી Iઇતિહાસનો મુખ્ય વિષય દષ્ટિવાદ નામના બારમા અંગમાં હોય છે તથા ત્રુટકIE રૂપમાં અનેક આગમોમાં પણ છૂટું છવાયો જોવા મળે છે. I. દષ્ટિવાદનો વિચ્છેદ વીર નિર્વાણના ૧000 વર્ષ પછી લગભગ થઈ ગયો! હતો. આગમ આદિના લેખનની પ્રણાલી પણ લગભગ એજ સમય આસપાસ શરૂ થઈ હતી. જીવન વૃત્તાંત લખવાની કે આચાર્યોની (ગુરુની) પરંપરાગત આ પટ્ટાવલી આદિ લખવાની, વગેરે કાર્યોની એ વખતે શરૂઆત થઈ ન હતી. એ Iઉપક્રમ તેરમી શતાબ્દી આસપાસ શરૂ થયેલ. II. આજે નંદીસૂત્રમાં જે પ્રાચીન શ્રમણોના નામ ગુણ વગેરે જોવા મળે છે તેને પણ પ્રસિદ્ધ થઈ ગયેલ કાલિક શ્રુતાનુયોગ ધારણ કરનારા મહાપુરુષોના ! || સ્મરણ કિર્તન, વંદન માત્ર છે, ક્રમિક ઈતિહાસ પરંપરા નથી. કલ્પસૂત્રમાં જે કંઈ પટ્ટાવલીનું રૂપ મળે છે તે પણ વિકૃત રૂપમાં છે અને સ્વયં એ સૂત્ર તથા તેના બધા વિષયો મૌલિક કે પ્રમાણિક નથી. આ સૂત્રની રચના તથા તેના} રચનાકાળની પણ કેટલીય કલ્પનાઓ છે. આ તો બારમી-તેરમી શતાબ્દીનું જેમ-તેમ કરીને જોડીને તેમજ સંકલિત કરેલ એક કલ્પિતસૂત્ર છે. એટલે તેમાં પ્રાપ્ત થતી પટ્ટાવલીઓનું પણ વાસ્તવિક મહત્વ નથી. બારમી-તેરમી શતાબ્દીમાં ઇતિહાસ પરંપરા પટ્ટાવલી વગેરે વિષયો પર IBગ્રંથ તૈયાર થવા લાગ્યા. ત્યારે તેમાં કેટલાય તત્ત્વ આગમોમાંથી, ગ્રંથોમાંથી, કથાનકોથી, કિંવદંતિઓમાંથી, પરંપરાથી તથા વિકૃત પરંપરાથી પ્રાપ્ત થયા અને તેમાંથી જ ઇતિહાસના ગ્રંથો તૈયાર કરવામાં આવ્યા. કેમ કે તેટલા સમય સુધીમાં વીર નિર્વાણને સત્તરસો, અઢારસો વર્ષથઈ ચૂક્યા હતા. આના કારણે અર્થાત્ ઘટનાઓ તથા તેના લેખન કાળ વચ્ચે સેંકડો વર્ષોનું અંતર પડવાથી, વિકૃત સ્મૃતિઓ અને વિકૃત પરંપરાઓનું તથા ભ્રમિત પરંપરાઓનું તેમજ મન કલ્પિત કલ્પનાઓનું સંકલન, લેખન-ગુંથણ થઈ જવું, સ્વાભાવિક છે Iછતાંય કાલાંતરે આવા ગ્રંથો કે આવી રચનાઓ પ્રતિ અંધશ્રદ્ધા અને આગ્રહ -~~-થી! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy