SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્ક ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ :: ધર્મ અને મોક્ષ પ્રાપ્ય હોય તો ચક્રવર્તીઓ નરકે શા માટે જાય ? અને પૈસાદારોએ સાધુપણું શા માટે સહેવું ? તેઓ તો પૈસાથી મંદિર બાંધીને આરામથી મોક્ષે જઈ શકે ને ? (૩) ગૌતમસ્વામીની સાથે ૧,૫૦૦ સાધુને કેવળજ્ઞાન થયું તેમ કહ્યું છે જ્યારે ભગવાનના કેવળી સાધુની સંપદા ૭૦૦ ની જણાવી છે ! ગણધરોના શિષ્યોને પણ ભગવાનની સંપદામાં ગણવામાં આવે ત્યારે ૧૪,૦૦૦ સાધુ થાય. (૪) કલ્પસૂત્રમાં જૂઓ તો તેમાં કલ્પનાઓ અને ખોટી માન્યતાઓનું પૂર જણાય છે. એક છેદસૂત્રના એક અધ્યયનના નામે આટલા બધા ગોટાળા કરવા, તે તો ભયંકર અપરાધ જ ગણાય અને શાસ્ત્રોના નામે ગોટાળા કરનારાઓ નિર્યુક્તિ, ભાષ્યોમાં મરજી પ્રમાણે વાતો રચે તેમાં શી નવાઈ? વાસ્તવમાં પર્યુષણા કલ્પસૂત્રના સ્વતંત્ર અસ્તિત્ત્વનું આચાર્ય મલયગિરિના વખત સુધી નામોનિશાન ન હતું ! પ્રશ્ન ઃ− કેટલાય પ્રમાણિક ગ્રંથોમાં મૂર્તિપૂજા, મંદિરનું વર્ણન તો છે જ ને ? ઉત્તર ઃ- નંદી સૂત્રમાં કહેલ શ્રુતજ્ઞાન રૂપ ૭૨ શાસ્ત્રોમાં ક્યાંય પણ શ્રાવક સાધુ દ્વારા નિર્મિત મૂર્તિ અથવા મૂર્તિપૂજા કે મંદિર નિર્માણનો ઉલ્લેખ નથી અને કોઈ આચાર શાસ્ત્રમાં પણ આ સંબંધી વિધાન નથી. આ ૭ર શાસ્ત્રો સિવાયના અન્ય કોઈપણ ગ્રંથ કે વ્યાખ્યા, નિર્યુક્તિ, ભાષ્ય વગેરે છે તે બધા નંદીસૂત્ર પછી બન્યાં તે નિશ્ચિત છે, કેમ કે તે બધાં સ્વતંત્ર ગ્રંથ રૂપમાં બનાવેલાં છે. નંદીસૂત્ર કર્તાને એક પૂર્વનું જ્ઞાન હતું તેમણે એક પૂર્વધરો દ્વારા રચિત અનેક શાસ્ત્રોને શ્રુતમાં ગણેલ છે અને ૭ર નામો પછી અંત કરતાં કહ્યું છે કે ભગવાનના શાસનમાં જેટલા બુદ્ધિમંત સાધુઓ હોય તેટલાં પ્રકીર્ણક શ્રુત જાણવા. પરંતુ નિર્યુક્તિ ભાષ્ય ટીકા વગેરેને કોઈ શ્રુત સંખ્યામાં નથી કહ્યાં અને હિમવંત સ્થવિરાવલી વગેરેને પણ શ્રુતમાં નથી કહ્યાં એટલે કે બધી પછીની રચનાઓ છે, તે સ્પષ્ટ છે. નહિ તો દેવર્કિંગણ દ્વારા પૂર્વધરોની રચનાઓને શ્રુતમાં ન ગણવાનું કોઈ કારણ ન હતું. પોતાની રચનાને પણ શ્રુતમાં ગણી છે. ૧૦૫ નિર્યુક્તિઓમાં ચૌદપૂર્વી ભદ્રબાહુને તથા વજસ્વામી વગેરેને નમસ્કાર કરેલ છે. નિર્યુક્તિની ચૂર્ણિ કરનારા જિનદાસગણિ પણ એજ કહે છે કે અહીં પ્રથમ ગાથામાં નિર્યુક્તિકાર મહારાજ સૂત્રકર્તા શ્રી ચૌદપૂર્વી ભદ્રબાહુને પ્રણામ કરે છે. શાસ્ત્રોદ્વારક પંડિતરત્ન શ્રી પુણ્યવિજયજી લખે છે, કે નિર્યુક્તિઓની રચનાના સંબંધમાં પ્રચલિત ગોટાળો ચૂર્ણિકારના સમયમાં ન હતો. એ તો તેરમી, ચૌદમી શતાબ્દીમાં નામ સામ્યતાથી શરૂ થયેલ ગોટાળો છે. જે ઇતિહાસની વિકૃતિઓના પ્રચારથી ઉત્પન્ન થયેલ છે. પ્રશ્ન :- જિનદાસ ગણિનો સમય ક્યો છે ? ઉત્તર ઃ– વીર નિર્વાણ બારમી, તેરમી શતાબ્દીનો મનાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy