SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત સુંદર વિધાન હોય અને ખંડનનો અભાવ હોય એ વાત જ આ શાસ્ત્રોની પ્રાચીનતાને સિદ્ધ કરી દે છે. જ્યારે દિગંબર શાસ્ત્રોમાં વસ્ત્રનો નિષેધ તથા ખંડન પણ છે તેમજ ક્યાંય વસ્ત્રની પ્રશંસા જોવા મળે પણ નહીં. એ જ તેમની અર્વાચીનતા સ્પષ્ટ સિદ્ધ કરે છે. ૧૦૪ કોઈપણ છદ્મસ્થ પોતાના દ્વારા નવનિર્મિત શાસ્ત્રોમાં પોતાના આગ્રહ તથા નિર્ણયને નિશ્ચિત્ત જ સ્થાન આપે છે, આવી છદ્મસ્થતા પણ દિગંબર શાસ્ત્રોમાં છે પરંતુ શ્વેતાંબર શાસ્ત્રોમાં તેવું નથી. એટલે આપણા શાસ્ત્રો તીર્થંકર પ્રણીત મૌલિક છે, છદ્મસ્થકૃત નથી. આ શાસ્ત્રોમાં ખૂબ જ સમાનભાવોથી અચેલ તથા સચેલ બંને પ્રકારનું વર્ણન છે. પ્રશ્ન :- સ્ત્રીલિંગ સિદ્ધનો અર્થ સ્ત્રીનો મોક્ષ સમજવાને બદલે કોઇ પુરુષ સ્ત્રીનો વેશ પહેરે તો તેની અપેક્ષાએ તેને સ્ત્રીલિંગ સિદ્ધ સમજવું. ? ઉત્તર :– સૂતરનો એક તાંતણો પણ કોઈની પાસે હોય તો તેની મુક્તિ અટકી જાય છે, તો સ્ત્રીના વેશ યુક્ત પુરુષને મોક્ષે મોકલાય ? આ વાત જ મૂર્ખામીવાળી છે. પ્રશ્ન :– ભાવની અપેક્ષાએ સ્ત્રીવેદ હોય તો મોક્ષે જાય તેને સ્ત્રીલિંગ સિદ્ઘ માની શકાય? ઃ ઉત્તર :– આવું વિચારવું તે પણ ખોટું છે. કોઈપણ ભાવ-વેદ હોય ત્યાં સુધી મુક્તિ થઈ શકતી નથી. ભાવની અપેક્ષાએ અવેદીને જ મુક્તિ મળી શકે છે. જિનમંદિર આગમમાં પ્રક્ષેપ વિચારણા મ પ્રશ્ન :– અન્ય મતના શાસ્ત્રોમાં પણ જિનમંદિરના કથનો છે એટલે મંદિર પૂજા ઘણી પ્રાચીન છે ? ઉત્તર :– અન્ય મતના શાસ્ત્રોનો રચના સમય પણ આગમ લેખન કાળ શરૂ થયા પછીનો જ જાણવો અને તે કાળમાં બધા લોકો પોતાના શાસ્ત્રોમાં જે ફાવ્યું તે લખતા હતા તેથી તેવા શાસ્ત્રો બન્યા છે. એટલે અન્ય મતના શાસ્ત્રોનું મહત્વ આપણા ગ્રંથોની સરખામણીમાં ઓછું જ સમજવું જોઈએ. એ મધ્યકાલીન યુગમાં કેટલીય અયુક્ત વાતો ગ્રંથોમાં જોડી દીધી છે અને તક મળે ત્યારે પૂર્વાચાર્યોની રચનાઓમાં પણ બેધડક પ્રક્ષેપ કરવાની સત્તા રાખવામાં આવી છે. પ્રશ્ન :~ આ બાબતનું ઉદાહરણ આપશો ? ઉત્તર :– (૧) રાવણે તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તે ચોથી નરકમાં ગયો, તેવું કહ્યું છે જે આગમથી તથા કર્મગ્રંથથી વિપરીત છે. (૨) એક તીર્થ પર પગ મૂકવાથી મોક્ષ મળે અથવા એક મંદિર બનાવવાથી મોક્ષ મળે તેમ હોય, એટલે પૈસાથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy