SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઊ જ્ઞાન-ગોષ્ઠી : માસિક ધર્મ સંબંધી વિચારણા ક કેવલ મુનિ ! આપ માસિક ધર્મને અસ્વાધ્યાય માનો છો ? હા જી, અમે માસિક ધર્મને અસ્વાધ્યાય માનીએ છીએ. ધુરંધર વિજય :- તમો શ્રાવિકાઓને સામાયિકનો નિયમ કરાવો છો ત્યારે શું ત્રણ દિવસનો આગાર રખાવો છો ? ધુરંધર વિજય કૈવલ મુનિ -- મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત -- કેવલ સુનિ :- નહીં જી ! સામાયિક અને સ્વાધ્યાયનો કોઈ સંબંધ જ નથી. સાધ્વીજી કોઈ પણ આગાર વગર જીવનભરની સામાયિકના પચ્ચક્ખાણ કરી શકે જ છે. સામાયિકનો અર્થ છે ૧૮ પાપનો ત્યાગ કરવો. એક મુહૂર્તની કે જીવનભરની સામાયિક લીધા પછી માસિક ધર્મ વગેરે કોઈપણ અસ્વાધ્યાય હોય તો પણ તેનાથી સામાયિક ભંગ થવાનું કોઈ કારણ નથી. દા.ત. પંડિતજી ! આપ અસ્વાધ્યાય-સ્વાધ્યાયનો શો અર્થ જણાવો છો ? પંડિત ન્યાયચંદ્રજી :- મસ્થળ વંવામિ ! અભિધાન રાજેન્દ્ર કોષ પ્રથમ ભાગ પૃષ્ટ–૮૨૭માં બતાવ્યું છે કે સત્શાસ્ત્રનું અધ્યયન કરવું એ જ સ્વાધ્યાય છે. તે અધ્યયન જ્યારે, જ્યાં ન કરવાનું હોય તે હેતુ અસ્વાધ્યાય કહેવાય છે. રક્ત નીકળતું હોય ત્યારે વગેરે.. આવા અસ્વાધ્યાય ૩ર કહ્યાં છે. તે સમયે સૂત્રના મૂળપાઠનું અધ્યયન, ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. માટે હે મુનિવરો ! અસ્વાધ્યાયનો સંબંધ ફક્ત મૂળપાઠના ઉચ્ચારણ સાથે છે. નિત્ય નિયમ, ધાર્મિક ક્રિયા, પાપ-ત્યાગ, તપસ્યા વગેરે કાર્યોનો અસ્વાધ્યાય સાથે કોઈ સંબંધ નથી. પ્રતિક્રમણરૂપ નિત્ય નિયમનો પણ ૩ર અસ્વાધ્યાય સાથે કોઈ સંબંધ નથી. ગાજ-વીજ હોય, સૂર્ય ગ્રહણ હોય કે ચૈત્રી પૂનમ કે એકમ હોય કે સંધ્યાકાળ (લાલ દિશા) હોય, નિત્ય નિયમમાં ઉપયોગી આવશ્યક સૂત્ર, આગમ હોવા છતાં પણ તેના ઉચ્ચારણ બાબતે કોઈ નિષેધ નથી. અર્થાત્ ૩૨ અસ્વાધ્યાયમાં પણ પ્રતિક્રમણ તો કરી જ શકાય છે. એટલે માસિક ધર્મના સમયે સામાયિક, પ્રતિક્રમણ, વ્રત-નિયમ, પ્રત્યાખ્યાન, પૌષધ વગેરેનો નિષેધ મનઃકલ્પિત છે, આગમ સંમત નથી. ધુરંધર વિજય ઃ– આગમના મૂળપાઠોના અધ્યયનની પણ અસજ્ઝાય કેમ થાય છે ? આગમ તો સ્વયં મંગલરૂપ હોય છે, તેમને પણ અસ્વાધ્યાયના સમયે વાંચે તો શો દોષ લાગે ? શાસ્ત્રમાં જે અસ્વાધ્યાય કહ્યું છે તેનું હાર્દ શું છે ? પંડિત ન્યાયચંદ્રજી :- મન્થેણ વંદામિ ! તીર્થંકર ભગવાન દ્વારા પ્રરૂપિત ભાવોને એક વિશિષ્ટ ભાષામાં ગૂંથણી કરવાથી તે શાસ્ત્ર કહેવાય છે. સૂત્ર હંમેશાં કોઈ એક વિશિષ્ટ ભાષામાં રચવામાં આવે છે ત્યારે જ તે કંઠસ્થ પરંપરામાં શુદ્ધ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy