________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૧૦૧
ચાલી શકે છે. વ્યાખ્યાન, વિચારણા, અર્થ, ભાવાર્થ સમજાવવું એ પ્રાયઃ જનસાધારણની ભાષામાં હોય છે.
તદનસાર ભગવાન દ્વારા પ્રરૂપિત ભાવોને ગણધર એક વિશિષ્ટ ભાષામાં ગૂંથણી કરે છે. ગણધર એના માટે દેવોની ભાષાને પસંદ કરે છે અર્થાત્ દેવવાણી રૂપ અર્ધમાગધી ભાષામાં આગમોની રચના કરે છે. આ પ્રકારે આપણા આગમોની મૌલિક ભાષા(અર્ધમાગધી) દેવોની ભાષા છે.
દેવોમાં કેટલાક હલકા-કુતૂહલપ્રિય તથા મિથ્યાત્વી દેવો પણ હોય છે. તેમના કુતુહલનો કે ઉડતા કરવાનો સમય પણ નિયત હોય છે. જેમ પાઠશાળાઓમાં બાળકોને રમત-ગમત વગેરે પ્રવૃતિનો સમય ચોક્કસ હોય છે, તેમ તે તે દેવોના કુતૂહલના સમયમાં દેવવાણીવાળા આ શાસ્ત્રોના ઉચ્ચારણમાં ભૂલ થઈ જાય તો આ દેવો કુતૂહલ કે રોષ પ્રકટ કરી શકે છે. તેથી સ્વાધ્યાયના નિમિત્તે આવી આપત્તિ ન આવે, એટલા માટે તે તે સમયને ૩ર પ્રકારના અસ્વાધ્યાયમાં મૂકીને નિષેધ કરવામાં આવ્યો છે. રુધિર, પરૂ આદિની અસ્વાધ્યાય આત્મ(સ્વ) અસ્વાધ્યાય કહેલ છે. આ પોતાની વ્યક્તિગત અસ્વાધ્યાય ત્રણ દિવસ કે અનેક દિવસ નિરંતર રહી શકે છે. આ કારણે વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭ તથા નિશીથ, સૂત્ર ઉદ્દેશક–૧૯માં પરસ્પર સાધુ-સાધ્વીઓએ માસિકધર્મ કાળમાં પણ સૂત્રાર્થ વાંચણી દેવાનું વિધાન કર્યું છે. સાથે-સાથે માસિકધર્મ કાળમાં સ્વયં એકલા બેસીને સ્વાધ્યાય કરવાનો નિષેધ પણ કર્યો છે. નિર્યુક્તિ ભાષ્યમાં પોતાના લોહી પરૂના વિષયમાં શુદ્ધિ કરીને તથા વસ્ત્રપટ લગાવીને પરસ્પર વાંચના દેવાની સ્પષ્ટ વિધિ બતાવી છે.
આ જ પ્રકારે સૂત્રોના માસિકધર્મ સંબંધી અસ્વાધ્યાયમાં પણ આવશ્યક સૂત્રના પાઠોના(નવકાર મંત્ર વગેરે) ઉચ્ચારણ કરવાનું તથા અન્ય આગમોની વાંચન દેવાનું આગમ અને ભાષ્યોથી સિદ્ધ થાય છે. ત્યારે અસ્વાધ્યાયનો જ્યાં કિંચિત પણ સંબંધ નથી, તેવી ધાર્મિક ક્રિયાઓનો નિષેધ કરવો કદાપિ ઉચિત નથી.
શુચિ પ્રધાન સમાજની નજીક રહેવાથી વીતરાગ ધર્મમાં વિકૃતિ આવી ગઈ છે કે ધાર્મિક ક્રિયાઓ પણ ન કરવી પરંતુ આપણો ધર્મ વિનયમૂલ ધર્મ છે, શુચિમૂલકનથી. આગમમાં તો સાત દિવસની ચૌવિહારી તપસ્યા કરનારા નિરંતર કાયોત્સર્ગમાં લીન રહેનારા પડિમાધારી સાધુને સ્વમૂત્રપાન કરવાનું વિધાન પણ કરવામાં આવ્યું છે. આચારાંગ સૂત્રમાં ગૃહસ્થોને શુચિધર્મી કહીને ભિક્ષુઓને મોયસમાચારીવાળા કહ્યાં છે. અર્થાત આવશ્યકતા પડે તો તે સ્વમૂત્રનો પ્રયોગ કરે તેવા કહ્યાં છે. તેઓ શુચિ ધર્મ ન હોઈ શકે.
રાત્રિમાં સાધુઓએ આહાર-પાણી બધા જ પદાર્થોને ન રાખવાનું કહ્યું છે, (ત્યાગવાનું કહ્યું છે), કદાચ રાખતો નિશીથ સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org