SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દનો પ્રયોગ કર્યો છે. પુણ્ય નિષેધનો આશય ત્યાં નથી એમ સમજવું. (૨) ભિક્ષા માટે જનારશ્રમણને દાતા કોઈ શ્રમણતપસ્વી સ્થવિરના નામથી વ્યક્તિગત ખાદ્ય પદાર્થ આપે તો તે શ્રમણ સુધી પહોંચાડવું આવશ્યક હોય છે. કદાચ તે શ્રમણ ન મળે તો તેખાદ્ય પદાર્થખાવો અથવા બીજાને આપવોન કલ્પ. યોગ્ય સ્થડિલભૂમિમાં પરઠવી દેવો જોઈએ. એ પ્રકારે પાત્ર આદિ ઉપકરણનાં માટે પણ સમજી લેવું. (૩) શ્રમણ ક્યાંય પણ કોઈઅકૃત્યસ્થાનનું દોષનું સેવન કરે અને તેની આલોચના પ્રતિક્રમણ કરવાનો દઢ સંકલ્પ કરે તેમજ આલોચના સાંભળનારાની પાસે પહોંચવાનો સંકલ્પ પણ કરે, પરંતુ કોઈપણ પ્રકારની અંતરાયના કારણે આલોચના ન કરી શકે, તો પણ તે આરાધકથાય છે. અર્થાત કોઈનું પણ આયુષ્ય પૂર્ણ થઈ જાય અથવા વાચા બંધથઈજાયતોપણસંકલ્પ,તત્પરતા અને પ્રયત્નપ્રારંભવગેરેથીતેને આલોચનાનુ ફળ મળે છે. જે રીતે અગ્નિમાં નાખેલ તંતુ બળી ગયો અને રંગમાં નાખેલતંતુરંગાઈ ગયો કહેવાય છે. એ પ્રકારે તે આરાધક કહેવાય છે. (૪) દારિક શરીરવાળાથી બધા જીવોને ૩ અથવા ૪ અથવા પક્રિયા લાગે છે; વૈક્રિય શરીરવાળાથી ૩ અથવા ૪ ક્રિયા લાગે છે, પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી. સમુચ્ચય જીવ અને મનુષ્ય કદાચ(ક્યારેક) અક્રિય પણ હોય છે. આહારક તૈજસ કાર્મણ શરીરની અપેક્ષા ક્રિયા વૈક્રિય શરીરની સમાન છે. અર્થાત ત્રણ અથવા ચાર ક્રિયા લાગે છે, પાંચમી ક્રિયા લાગતી નથી. ઉદેશકઃ ૦ (૧) ગૃહસ્થ દ્વારા અપાતી ભિક્ષા પાત્રમાં પડતા પહેલાં પણ સાધુની હોય છે. “આપતા–અપાઈગઈ આસિદ્ધાંતથી એ સ્પષ્ટ છે. માટે વચ્ચે જ કોઈ લઈલે તો તે સાધુની જ લીધી ગણાય છે, ગૃહસ્થની નહીં. પૃથ્વી આદિપર પ્રયોજન હોવાથી જ શ્રમણ યતનાપૂર્વક ચાલે છે જેથી તે વિરાધક હોતા નથી. અયતનાથી અથવા નિપ્રયોજન ચાલનારાવિરાધક અને અસંયત કહેવાય છે. રાજગૃહી તરફ જનારાને પણ રાજગૃહ ગયા કહેવામાં આવે છે. “નથી ગયો એમ માનવાથી ક્યારે પણ નહી પહોંચે. ગતિ પ્રપાત–પ્રયોગ ગતિ આદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૧૬માં પ્રયોગ પદમાં છે. તેના માટે જુઓ સારાંશ ખંડ–. | ઉદ્દેશક : ૮ (૧)પ્રત્યેનીક વિરોધી કેટલાય પ્રકારનાં હોય છે– (૧)આચાર્ય,ઉપાધ્યાય, સ્થવિર આદિની અપેક્ષાએ ગુરુપ્રત્યેનીક હોય છે. (૨) આ લોક પરલોકની અપેક્ષાએ ગતિ પ્રત્યેનીક હોય છે. (૩) કુલ, ગણ, સંઘની અપેક્ષાએ સમૂહ પ્રત્યેનીક હોય છે. (૪) તપસ્વી, ગ્લાન, નવદીક્ષિતની અપેક્ષાએ અનુકંપા પ્રત્યેનીક હોય છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy