________________
વિશેષઃ- કોણિકરાજાનો વિજય થયા બાદહાર, હાથી અને વિહલ્લકુમાર તથા ચેડારાજા અને તેમના રાજ્ય સંબંધી વર્ણન સૂત્રમાં નથી. તે વર્ણન કથા ગ્રંથમાં છે. વિહલ્લકુમારનું વર્ણન અનુત્તરોપપાતિક સૂત્રમાં છે તzસાર તે દીક્ષા લઈને અનુત્તર વિમાનમાં ગયા છે.
ઉદ્દેશક : ૧૦
-
-
(૧) કાલોદાઈની પ્રવ્રજ્યા – રાજગૃહી નગરીમાં ગુણશીલ ઉદ્યાનની નજીકમાં અન્યતીર્થિકોના આશ્રમ હતા. ત્યાં કાલોદાયી આદિ અનેક સંન્યાસી રહેતા હતા. એકવાર તેઓમાં પરસ્પરમાં ચર્ચા ચાલી કે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર પંચાસ્તિકાય બતાવે છે. જેમાં ચાર અરૂપી અને એક રૂપી કહે છે. ચાર અજીવ અને એક જીવ છે, એમ કહે છે. આ એમનું કહેવું કયા આધારે માની શકાય?
જોગાનુજોગ ગૌતમસ્વામી પારણા પ્રસંગે ગૌચરી માટે એ તરફ નીકળ્યા. માર્ગમાં ચાલતાં ગૌતમસ્વામીની નજીક આવીને તેમણે પોતાનાં પ્રશ્ન પૂછયાં. ગૌતમસ્વામીએ કહ્યું કે- અમે અસ્તિભાવને જ અતિભાવ કહીએ છીએ. નાસ્તિભાવને જ નાસ્તિભાવ કહીએ છીએ. એનાથી વિપરીત અમે કહેતા નથી. માટે આપ આપનાં જ્ઞાનથી વિચાર કરો.
કાલોદાયી નામના સન્યાસી, સ્કંધક સન્યાસીની જેમ જ પોતે ભગવાનની પાસે આવ્યા. પ્રભુએ સ્વયં તેમની શંકાને રજૂ કરી સમાધાન કર્યું. તેમાં રૂપી, અરૂપી, જીવ, અજીવ, અસ્તિકાયોનું સ્પષ્ટીકરણ કર્યું.
- ત્યારબાદ તેણે પ્રતિપ્રશ્ન પૂછ્યા. ભગવાને ઉત્તરમાં કહ્યું કે ધર્માસ્તિકાય આદિચાર પર કોઈ બેસવા, સૂવા, આદિની ક્રિયા કરી શકતા નથી. કેવલ પુદ્ગલાસ્તિકાય પર આ બધી ક્રિયાઓ કરી શકાય છે, કેમ કે તે રૂપી છે.
હિંસારૂ૫ પાપકર્મજીવને જીવથી થાય છે, અજીવથી નહીં. કાલોદાયી બોધ પામતા ત્યાંજ (પ્રભુ પાસે) સંયમ સ્વીકારી અગિયાર અંગોનું અધ્યયન કર્યું. બાકી સંયમ આરાધનાનું વર્ણન કાલસ્યવેસિક પુત્ર અણગારનાં સમાન છે.
પાપકર્મ કરવા સમયે સુખકર લાગે છે. પરિણામમાં દુઃખકર અને અશુભરૂપ હોય છે. ધર્માચરણ કરવુંકષ્ટપ્રદહોય છે. પરંતુ તેનું પરિણામ સુંદર અને સુખદ હોય છે.
અગ્નિ બાળવાથી પૃથ્વીકાય આદિ પાંચનો અધિક આરંભ થાય છે. અગ્નિકાયનોઅલ્પ આરંભ થાય છે. અગ્નિકાયને બુઝાવવાથી અગ્નિકાયનોઅધિક આરંભ થાય છે અને શેષકાયનો અલ્પ આરંભ થાય છે. તેજોલેશ્યાથી છૂટેલ પુદ્ગલ અચેત હોય છે અને તે પ્રકાશિત પણ હોય છે.
|| શતક છ/૧૦ સંપૂર્ણ |
ભિગવતી સૂત્ર: શતક
|
| ૮૯ |
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org