SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કોણિક રાજાના ૧૦ ભાઈ યુદ્ધમાં મૃત્યુ પામ્યા, ત્યારે કોણિકે પોતાના પૂર્વ ભવના બે મિત્ર જે વર્તમાનમાં ચમરેન્દ્ર અને શક્રેન્દ્ર છે, અમતપની આરાધના કરી તેનું સ્મરણ કર્યું. બન્ને દેવેન્દ્ર ઉપસ્થિત થયા. અક્રમ માટે યુદ્ધ ત્રણ દિવસ સ્થગિત રાખવામાં આવ્યું. ત્યારબાદ શક્રેન્દ્રની સહાયતાથી મહાશિલાકંટક સંગ્રામ થયો. જેમાં કોણિકના સૈનિક ઘાસ, પત્ર, કાષ્ઠ, કાંકરા કાંઈપણફેંકે તેનાથી ચેડારાજાની સેના મહાશિલા પડવાનો અનુભવ કરતી હતી. ચેડારાજાના બાણકોણિકને ન લાગે એટલા માટે શક્રેન્દ્ર પોતે વજ્રમય કવચથી રક્ષા કરી રહેલો હતો. આ યુદ્ધમાં ૮૪ લાખ નો જનસંહાર થયો. ચેડારાજાનો પરાજય થયો. બીજા દિવસે ફરી યુદ્ધ થયું તેનું નામ રથમૂસલ સંગ્રામ હતું. તેમાં એક રથ, ઘોડા અને સારથિ વગરનો અર્થાત્ યાંત્રિક રથ ચાલતો હતો. જેની આગળ એક મૂસલ ફરતું હતું, તે જ જનસંહાર કરતું હતું. આ યુદ્ધમાં ચમરેન્દ્ર અને શક્રેન્દ્ર બન્નેની ઉપસ્થિતિ રહી અર્થાત્ બન્નેનીમદદ રહી.આમાં પણ ચેડારાજાનો પરાજય થયો. આ યુદ્ધમાં૯૬લાખનો જનસંહાર થયો. બન્ને યુદ્ધમાં કુલ એક કરોડ એંસી લાખનો જનસંહાર થયો. યુદ્ધમાં મરી ગયેલા તમામ જીવ પ્રાયઃ નરક તિર્યંચમાં ગયા. એક જીવ દેવગતિમાં અને એક મનુષ્યગતિમાં ઉત્પન્ન થયો. દસ હજાર જીવ એક સાથે એક માછલીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ચમરેન્દ્ર કોણિકનો તાપસ પર્યાયનો સાથી હતો અને શક્રેન્દ્ર પૂર્વભવનો મિત્ર હતો. એટલા માટે મદદ કરી. ભવિત્તવ્યતા(હોનાહાર)નું પણ એવી જ રીતે નિર્માણ થયેલ. ત્રણે ભગવાન મહાવીરનાં ભક્ત હતા અને પ્રતિપક્ષી, ચેડા આદિ અનેક રાજા પણ ભગવાન મહાવીર સ્વામીનાં વ્રતધારી શ્રમણોપાસક હતા. યુદ્ધમાં મરનારા દેવગતિ પામે છે આ કિવદંતિ સત્ય નથી, પ્રાયઃ દુર્ગતિગામી જ થાય છે. કોઈક જીવ દેવગતિમાં જાય છે. આ સંગ્રામમાં વરુણ નાગનતુઆ શ્રાવક પણ આવ્યા હતા. તે નિરંતર બેલે-બેલે(છઠના પારણે છઠ) પારણા કરતા હતા. તે દિવસે તેણે છઠને બદલે અક્રમના પચ્ચક્ખાણ કર્યા હતા. યુદ્ધમાં તેને કપાળમાં બાણ લાગેલ, મૃત્યુ સમય નજીક જાણીને રથ ફેરવી અને એકાંતમાં જઈને આજીવન સંથારો ગ્રહણ કરી બાણ કાઢ્યું, બાણ નીકળવાથી સખ્ત વેદનાની સાથે આયુષ્ય પૂર્ણ થયું. તે દેવલોકમાં ઉત્પન્ન થયા. તેના આ પંડિતમરણથી દેવોએ ફૂલોની વૃષ્ટિ આદિ કરી અને દિવ્ય ગીત ધ્વનિ કર્યો. આ જોઈને ઘણાં લોકો એવું કહેવા લાગ્યા કે યુદ્ધમાં મરનારાની સદ્ગતિ થાય છે. આવું કથન લોકમાં પ્રચલિત થઈ જાય છે. શ્રમણોપાસક વરુણનાગનતુઆ પહેલા દેવલોકમાં ચાર પલ્યોપમની આયુષ્યવાળા દેવ બન્યા છે. ત્યાંથી એક મનુષ્યનો ભવ કરીને મહાવિદેહક્ષેત્રથી મોક્ષમાં જશે. આ શ્રમણોપાસકનો એક મિત્ર પણ યુદ્ધમાં આવ્યો હતો. ધર્મ તત્ત્વને તેણે સારી રીતે સમજવા ક્યારે ય પ્રયત્ન કરેલ નહીં. યુદ્ધમાં બાણ લાગવાથી તે પણ એકાંતમાં ગયો અને મિત્ર શ્રમણોપાસકના ધર્મ ક્રિયાની શ્રદ્ધા કરતાં તેણે સંક્ષિપ્તમાં પચ્ચક્ખાણ કર્યા કે મારા મિત્ર શ્રાવકે જે પચ્ચક્ખાણ કર્યા તે હું પણ ધારણ કરું છું. આ પ્રકારની શ્રદ્ધા સરળતાનાં આચરણથી તે મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થયો. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy