________________
-
મનુષ્યનો વધ્યો-ઘટયો આહાર, હાડકા, માંસ, ચર્મઆદિપશુ-પક્ષી ખાઈને રહેશે તે પણ પ્રાયઃ મરીને નરક તિર્યંચમાં જશે.
ઉદ્દેશક : ૭ (૧) સંવૃત અણગાર-પ્રત્યેક પ્રવૃત્તિઓ ચાલવા-બેસવા આદિયતનાથી કરનારા અણગાર અને પૂર્ણ રીતે ભગવાનની આજ્ઞા અનુસાર સંયમ આરાધના કરનારા અણગાર ક્રોધ, માન, માયા, લોભનોવિચ્છેદ કરે છે, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. (ર) કામ = વિકારભાવ, ભોગ = વિષય, કામભોગ = વિષયવિકાર આ પ્રચલિત અર્થ છે. આગમમાં કાન અને આંખના વિષય શબ્દ અને રૂપને કામ કહેલ છે. નાક, જીભ અને શરીરના વિષયરૂપ ગંધ, રસ અને સ્પર્શને ભોગ કહેલ છે. કામથી કેવલ ઈચ્છા-મનની તૃપ્તિ થાય છે. ભોગથી શરીરની પણ તૃપ્તિ થાય છે. કામ-ભોગના પદાર્થ સચિત્ત અચિત્ત બન્ને પ્રકારના હોય છે. પરંતુ કામ-ભોગ જીવોને જ હોય છે. અજીવોને નથી હોતા.
ચૌરેન્દ્રિય પંચેન્દ્રિયકામી-ભોગીબહોય છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઈન્દ્રિય કેવલ ભોગી જ હોય છે. જેથી કામી-ભોગી બધાથી અલ્પ છે, નો કામી નોભોગી અનંતગુણા છે, તેનાથી ભોગી અનંતગુણા છે. (૩) શક્તિ હોવા છતાએ કામ-ભોગનો ત્યાગ કરવાથી મહાનિર્જરા થાય છે અથવા કર્મોનો અંત આવે છે. જેથી જીવદેવલોકમાં અથવા મોક્ષમાં જાય છે. (૪) અસની જીવ ઈચ્છા અને જ્ઞાનના અભાવમાં વેદના વેદે છે અને ઇચ્છા અને જ્ઞાન હોવા છતાં પણ સાધનોની પ્રાપ્તિન થવાથી અનિચ્છાપૂર્વક અકામ વેદનાવેદે છે. ઇચ્છિત સુખ ભોગવી શક્તા નથી.
ઉદેશક : ૮ (૧) કીડી અને હાથીનો આત્મા સમાન હોય છે. વિશેષ જાણકારી માટે જુઓ– રાજપ્રશ્રીય સૂત્ર સારાંશ ખંડ-૧, (ર) કરેલ પાપકર્મ બધાં જીવો માટે દુઃખદ છે. તેનો ક્ષય થવાથી જ દુઃખનો અંત અને સુખની પ્રાપ્તિ થાય છે. (૩) નરકમાં દસ પ્રકારની વેદના હોય છે. ૧. ઠંડી ૨. ગરમી૩. ભૂખ૪.તરસ ૫. ચર૬. પરાધીનતા ૭. જ્વર(તાવ) ૮. દાહબળતરા) ૯. ભય ૧૦. શોક. (૪) હાથી અને કંથવાને અવતની ક્રિયા સમાન લાગે છે.
ઉદેશક : ૯ (૧) મહાશિલા કંટક રથમૂસલ સંગ્રામ – કોણિક અને ચેડા રાજાના યુદ્ધનું વર્ણન ઉપાંગ સૂત્રના નિરયાવલિકા વર્ગમાં છે. સારાંશ ખંડ-૧માં જુઓ. ભગવતી સૂત્રઃ શતક
=
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org