________________
-
-
-
-
ઉદ્દેશક : ર. (૧) જેણે જીવ-અજીવ, ત્ર-સ્થાવર પ્રાણીઓને સરખી રીતે જાણી લીધા છે, તેના પચ્ચખાણ સુપચ્ચખાણ છે અને પોતાને પ્રત્યાખ્યાની કહેવું પણ તેનું સત્ય હોય છે. તે જ પંડિત અને સંવૃત હોય છે. (૨) પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રત, રાત્રિ ભોજન ત્યાગ આ મૂળ ગુણ પચ્ચખાણ છે. અન્ય તપ અભિગ્રહનિયમ આદિ અને સ્વાધ્યાયાદિ, શ્રાવકનાદિશિવત આદિ, મારણાંતિક સંખના, આ બધાં ઉત્તરગુણ પચ્ચખાણ છે. (૩) દસ પચ્ચકખાણ – (૧) સકારણ સમયથી પહેલાં કરવા (૨)સમય વીત્યા બાદ કરવા (૩) નિરંતર કરવા (૪) નિયત સમયે કરવા (૫) સમયે આગારનો ઉપયોગ કરવો (૬) આગાર સેવન ન કરવું (૭) દત્તી પરિમાણ કરવું (૮) સંપૂર્ણ આહારત્યાગ કરવો (૯) સંકેત પચ્ચખાણ-ગંઠી, મુઠ્ઠી આદિપચ્ચક્કાણ કરવા (૧૦) પોરસી આદિ અદ્ધા(કાલમર્યાદાવાળા) પચ્ચખાણ કરવા
રદંડકના જીવ અપચ્ચકખાણી હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય દેશ પ્રત્યાખ્યાની હોય છે. મનુષ્ય સર્વ પ્રત્યાખ્યાની અને દેશપ્રત્યાખ્યાની બન્ને હોઈ શકે છે. એમાં પણ મૂલ ગુણ પ્રત્યાખ્યાની અલ્પ હોય છે અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અધિક હોય છે. (૪) જીવ દ્રવ્યથી શાશ્વત છે. ભાવથી(પર્યાયથી) અશાશ્વત છે.
ઉદ્દેશકઃ ૩-૫ (૧) વર્ષાઋતુમાં વનસ્પતિજીવ બહુ આહારી હોય છે. શિયાળા અને ઉનાળામાં ક્રમશઃ અલ્પાહારી હોય છે. ગરમીમાં કેટલીક વનસ્પતિઓ નવપલ્લવિત થાય છે અને ફૂલે-ફળે છે. તે સમયે ત્યાં ઉષ્ણયોનિક જીવ અધિક ઉત્પન્ન થાય છે. (ર) મૂળ કંદ તેમજ બીજ આદિમાં મૂલનો, કંદનો તેમજ બીજનો જીવ રહે છે. છતાં પણ મૂળનો જીવ પૃથ્વીથી સંલગ્ન હોય છે. કંદનો જીવ મૂળથી સંલગ્ન હોય છે અને ક્રમશઃબીજનો જીવફળનાજીવથી પ્રતિબદ્ધહોય છે. તેથી આહારગ્રહણ પરંપરાથી થતો રહે છે. (૩) વેદન કર્મનું થાય છે. નિર્જરા અકર્મની થાય છે, કેમ કે વેદન પછી કર્મસ્થિતિ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે તેને અકર્મ કહેવાય છે. વેદનનો સમય પહેલા હોય છે તે(પછી) અનંતર સમયમાં નિર્જરા થાય છે. (૪) ચારે ગતિ શાશ્વત છે. એક જીવની અપેક્ષાએ અથવા પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. બધા જીવોની અપેક્ષાએ અને દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. (૫)જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિનાબીજાતિર્યંચ ઉદ્દેશકની અહીંભલામણ છે અને પ્રજ્ઞાપનાનાં સંયતપદની ભલામણ છે. જેના માટે જુઓ સારાંશ ખંડ-૬. ભગવતી સૂત્રઃ શતક
૮૫
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org