________________
S
--
રૂપમાં, એક કે અનેક ગંધ, રસ, સ્પર્શમાં પરિણમન કરી શકે છે. એક વર્ણાદિને બીજા વર્ણાદિમાં અથવા વિરોધી સ્પર્શ આદિમાં પરિણમિત કરી શકે છે. (૩) અવિશુદ્ધ લેશી દેવવિર્ભાગજ્ઞાની દેવ. અસમ્મોહત અનુપયોગવંત. વિશુદ્ધલેશી દેવઉપયોગવંત હોય તો દેવદેવીને જાણે જુએ. કાંઈક ઉપયોગવંત અને કાંઈક અનુપયોગવંત આવી અવસ્થા હોય તો પણ અવધિજ્ઞાની જાણી લે છે. વિર્ભાગજ્ઞાની સાચારૂપમાં જાણતા નથી.
ઉદ્દેશક : ૧૦. (૧) જીવનાં સુખ-દુઃખને કોઈ કાઢીને બતાવી શક્તા નથી. જે રીતે નાકમાં ગયેલ ગંધના પુગલોને કોઈકાઢીને બતાવી શકતા નથી. (૨) જીવ અને ચેતના પરસ્પરમાં નિયમિત હોય છે. જીવ અને પ્રાણમાં પરસ્પરમાં ભજના છે. સિદ્ધોમાં દ્રવ્ય પ્રાણ નથી. નૈરયિક આદિનું જીવ થવું નિયમ છે. જીવનું નૈરયિક આદિ થવું ભજના છે. ભવસિદ્ધિકમાંનૈરયિક હોવાની ભજનાઅને નૈરયિકમાં ભવસિદ્ધિકહોવાની ભજના છે. (૩) નૈરયિક એકાતેદુમ્બરૂપ વેદના વેદે છે. દેવ એકાંતે સુખરૂપ વેદના વેદે છે. તિર્યંચમનુષ્ય વિમાત્રાથી બને વેદના વેદે છે. (૪) બધા જીવ આત્માવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે, અનંતરાવગાઢ અને પરંપરાવગાઢ પુદ્ગલોનો નથી કરતા. અપેક્ષાથી અવગાઢમાં અનંતરાવગાઢનો આહાર કરે છે. (૫) કેવલીને અપરિમિત જ્ઞાન હોય છે અને તે ઈન્દ્રિયોથી નથી પણ કેવલજ્ઞાનથી પરિમિત અપરિમિત સર્વ પદાર્થોને જાણે છે.
ને શતક /૧૦ સંપૂર્ણ છે
શતક-૭ : ઉદ્દેશક-૧ (૧) પરભવમાં જનાર જીવ ત્રણ સમય સુધી આહારક અથવા અનાહારક હોય છે. ત્યારબાદ આહારક હોય છે. અર્થાત્ એકેન્દ્રિયમાંત્રણ સમય અને શેષદંડકમાં બે સમય આહારક અથવા અનાહારક હોય છે. ત્રસમાં ત્રીજા સમયથી બધાં આહારક હોય છે. (ર) આહારકના પહેલા સમયે જીવ સર્વ અલ્પાહારી હોય છે અને મૃત્યુના ચરમ સમયે પણ જીવ સર્વ અલ્પાહારી હોય છે. (૩) ત્રણ સકોરા(કોડિયા) (૧) ઉંધુ (ર) સીધુ (૩) ઉંધુ રાખવાથી જે આકાર હોય છે તે લોકનો સ્થૂલરૂપથી આકાર છે. (૪) શ્રમણ બિરાજિત ઉપાશ્રયમાં સામાયિકની સાધનામાં જોડાયેલ શ્રાવકને ઐર્યાપથિકી ક્રિયા હોતી નથી પરંતુ સાંપરાયિકક્રિયા હોય છે. કેમ કે કષાય પૂર્ણતઃ
ભગવતી સૂત્રઃ શતક-૭
|
| ૮૩ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org