________________
નવમા વિમાનમાં રિષ્ટ દેવ છે.
પહેલા બીજા લોકાંતિકનાં સાત મુખ્ય દેવ, ૭૦૦ પરિવારના દેવ છે. ત્રીજા-ચોથા લોકાંતિકના ચૌદ મુખ્ય દેવ, ૧૪ હજાર પરિવારના દેવ છે. પાંચમાં છઠ્ઠાનાં સાત મુખ્ય દેવ, ૭૦૦૦ પરિવારના દેવ છે. સાતમા, આઠમા, નવમા લોકાંતિકના નવ મુખ્ય દેવ, ૯૦૦ પરિવારના દેવ છે.
લોકાંતિક વિમાન વાયુ પ્રતિષ્ઠિત છે અર્થાત્ વાયુના આધાર પર રહેલ છે. લોકાંતિક દેવોની ઉંમર આઠ સાગરોપમ કહેવાયેલ છે. આ વિમાનોથી લોકાંત અસંખ્ય યોજન દૂર છે.
ઉદ્દેશક ઃ ૬
(૧) ચોવીશ દંડકમાં કેટલાક જીવ મૃત્યુ સમયે મારણાંતિક સમુદ્દાત કરે છે, કેટલાક સમુદ્દાત કરતા નથી. સમુદ્દાત કરનારા બીજીવાર તે સ્થાનમાં પહોંચ્યા પછી આહારાદિ કરે છે. સમુદ્દાત ન કરનારા પહેલી વખતે તે સ્થાન પર પહોંચી અને આહારાદિ કરે છે.
પાંચ સ્થાવર છએ દિશામાં ઉત્કૃષ્ટ લોકાંત સુધી જાય છે. જઘન્ય અંગુલનાં અસંખ્યાતમાં ભાગ સુધી જાય છે.
એક પ્રદેશી શ્રેણી છોડીને અર્થાત્ લોકાંત સુધી એક સીધી પંક્તિથી જાય છે, વચ્ચે આત્મ પ્રદેશોની પહોળાઈમાં વધઘટ થતી નથી. તાત્પર્ય એ છે કે એક સરખી પહોળાઈની શ્રેણીથી છએ દિશાઓમાં લોકાંત સુધી એકેન્દ્રિય જીવો જાય છે.
ઉદ્દેશક :
(૧) ચોખા, ઘઉં, જવ, જુવાર આદિ ધાન્ય કોઈ સ્થાનમાં વાસણમાં સુરક્ષિત બંધ કરી રાખેલ હોય, તેની ઉંમર જઘન્ય અંતર્મુહૂર્તની હોય છે, ઉત્કૃષ્ટ ત્રણ વર્ષની હોય છે.ત્યારબાદ તે ધાન્યની સચેત યોનિ નાશ થઈજાય છે. તે બધા અચેત થઈ જાય છે.ચણા, મસુર, તલ, મગ, અડદ, કુલત્થ આદિની પાંચ વર્ષની ઉત્કૃષ્ટ ઉંમર હોય છે. અળસી, કુસંબ, સણ, સરસવ, મૂલગ આદિ બીજોની ઉત્કૃષ્ટ ઉંમર સાત વર્ષની હોય છે.
(૨) સ્વસ્થ વ્યક્તિના ૩૭૭૩ શ્વાસોચ્છવાસનું એક મુહૂર્ત હોય છે. સંખ્યાત આવલિકાનો એક શ્વાસોશ્વાસ હોય છે. શેષ સંખ્યાત કાલની ગણના અને સંખ્યાતા, અસંખ્યાતા કાલની ઉપમા ગણના અનુયોગ દ્વાર સૂત્રના સમાન સમજવી, જુઓ સારાંશ ખંડ–૭. સંખ્યાતાની ગણના શીર્ષ પ્રહેલિકા સુધી છે. જેમાં ૧૯૪ અંકની સંખ્યા હોય છે. જેમ કે–૭૫,૮૨,૬૩,૨૫,૩૦,૭૩,૦૧, ૦૨,૪૧,૧૫,૭૯,૭૩,૫૬, ૯૯,૭૫,૬૯, ૬૪,૦૬,૨૧,૮૯,૬૬,૮૪,૮૦,૮૦, ૧૮,૩૨,૯૬. આ ૫૪ આંકડા
ભગવતી સૂત્રઃ શતક-૬
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org