________________
અવસ્થાન કાલથી અર્ધી છે. જઘન્ય સ્થિતિ સર્વત્ર એક સમયની છે.
ઉદ્દેશક : ૯
(૧) રાજગૃહ નામના નગરમાં રહેલ બધા જીવ અજીવ અથવા બધા ચિત્ત અચિત્ત મિશ્ર દ્રવ્ય મળીને રાજગૃહનગર કહેવાય છે.
(૨) શુભ પુદ્ગલોથી અને શુભ પુદ્ગલોનાં પરિણમનથી દિવસમાં પ્રકાશ થાય છે અને અશુભ પુદ્ગલોનાં પરિણમનથી રાત્રિમાં અંધકાર થાય છે.
(૩) નારકી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને અશુભ પુદ્ગલ પરિણમનનો સંયોગ હોવાથી અંધકાર થાય છે. ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્યનાં બન્ને પ્રકારનાં પુદ્ગલ પરિણમન સંયોગ હોવાથી અંધકાર પ્રકાશ બન્ને હોય છે. દેવોને શુભ પુદ્ગલ પરિણમન સંયોગ હોવાથી કેવલ પ્રકાશ જ હોય છે.
(૪) સમય આવલિકા મુહુર્ત આદિનું જ્ઞાન મનુષ્યને જ હોય છે. મનુષ્યક્ષેત્રમાં જ કાલ જ્ઞાન છે. શેષ બધા દંડકોમાં કાલ વર્તન છે. પરન્તુ કાલ માપનું જ્ઞાન નથી. દેવોને પણ મુહૂર્ત, દિવસ, મહિના, વર્ષ આદિ વ્યતીત થવાનું જ્ઞાન નથી. કાલ વ્યતીત અવશ્ય થાય છે. તિર્યંચોને રાત-દિવસની જાણકારી તો હોય છે. પરન્તુ મુહૂર્ત, સમય,મહીના, વર્ષ ઉત્સર્પિણી અવસર્પિણી આદિના હિસાબનું જ્ઞાન તેમને પણ હોતું નથી.
(૫) તીર્થંકર પરીક્ષાઃ– એકવાર પાર્શ્વનાથ ભગવાનના શાસનના સ્થવિર શ્રમણ, ભગવાન મહાવીર સ્વામી પાસે આવી યથાસ્થાને ઉભા રહી ભગવાનને પૂછવા લાગ્યા કે ભંતે ! આ અસંખ્ય લોકમાં અનંત રાત-દિવસ વ્યતીત થયા અને વ્યતીત થશે ?
ભગવાને હે આર્યો ! સંબોધનપૂર્વક પાર્શ્વનાથ ભગવાનનો નિર્દેશ કરતાં લોક સંસ્થાનનુંવર્ણન કર્યું. તેમાં અનંત જીવ અને અજીવ રહેલ છે. અસંખ્ય પ્રદેશાત્મક લોક હોવાથી અપેક્ષાએ લોકનું અસંખ્ય વિશેષણ છે. અનંત જીવ અજીવ દ્રવ્યો પર કાળ વર્તે છે. જેથી ત્રણે કાળમાં અનંત રાત-દિવસ વ્યતીત થતાં કહેવાય છે. આ કારણે અસંખ્ય લોકમાં અનંત રાત્રિઓ વ્યતીત થઈ કહેવાય છે.
જીવો અને અજીવોથી આ લોક ઓળખાય છે. એટલા માટે લોક એવું નામ છે. અલોકમાં જીવ અજીવ હોતા નથી. તેથી તે અલોક કહેવાય છે.
જુદી રીતે પૂછાયેલા પ્રશ્નનો સીધો અને સરલ ઉત્તર પામીને સ્થવિરોએ
ભગવતી સૂત્રઃ શતક-૫
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org