SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભજના અને વિક્રેતાને સૂક્ષ્મરૂપ ક્રિયાઓ લાગે છે. કિંમત મળી ગયા પછી વિક્રેતાને તે ધન નિમિત્તે ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાત્વની ક્રિયા સર્વત્ર વિકલ્પથી લાગે છે. વસ્તુથી હવે તેનો કોઈ સંબંધ નથી રહેતો જો ક્રેતા કે વિક્રેતા સમ્યગ્દષ્ટિ હોય તો તેને મિથ્યાત્વની ક્રિયા લાગતી નથી. માટે સર્વત્ર વિકલ્પથી એમ કહ્યું છે. (૫) અગ્નિ બળે છે ત્યારે મહાક્રિયા લાગે છે અને જ્યારે બુઝાય છે ત્યારે અલ્પઅલ્પ ક્રિયા લાગે છે અને જ્યારે સાવ બુઝાઈ જાય છે ત્યારે ક્રિયા લાગતી નથી. (૬) ધનુષ, બાણ વગેરે સાધનો જે જીવોનાં શરીરમાંથી બને છે તેઓને હિંસકના જેટલી જ(સંખ્યાની અપેક્ષા) પાંચ ક્રિયા લાગે છે. જ્યારે બાણ પોતાના ભારથી સ્વયં નીચે પડે છે ત્યારે કેવળ બાણના પૂર્વજીવોને પાંચ ક્રિયા અને બાકીના બધાને અને હિંસકને પણ ચાર ક્રિયા લાગે છે. (૭) ચાર-પાંચસો યોજન પ્રમાણ મનુષ્યલોક ક્યાંય પણ ઠસાઠસ ભરેલો નથી. પરંતુ એક સ્થાન પર નરકક્ષેત્ર ૪૦૦-૫૦૦ યોજન સુધી નૈરયિકોથી ઠસોઠસ ભરેલો છે. (૮) આધાકર્મ આદિ દોષમાં કોઈ પાપ નથી એવું વિચારીને કેબોલીને અથવા તેવા આહારનું સેવન કરીને તેની આલોચના પ્રાયશ્ચિત્ત નહીં કરવાથી તે સાધકની વિરાધના થાય છે. આલોચના પ્રાયશ્ચિત્ત કરી લેવાથી તેની આરાધના થઈ શકે છે. (૯) આચાર્યઅને ઉપાધ્યાય ગણ પ્રત્યેનાં પોતાનાં કર્તવ્યોનું યથાર્થ રીતે પાલન કરવાથી આ ભવમાં કે બીજાભવમાં અથવા ત્રીજા ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે. જે બીજા ઉપરજૂઠા આક્ષેપો કરે છે તે તેવા જ કર્મોનું ઉપાર્જન કરે છે. અર્થાત્ ફરીથી તેના ઉપર પણ જૂઠા આક્ષેપો આવવાની સ્થિતિ બને છે. ભલે પછી કોઈ આચાર્ય હોય કે સામાન્ય સાધુ હોય અથવા શ્રાવક હોય, તે બધાને તેવુંજ ભોગવવું પડે છે. ઉદ્દેશક : ૭ (૧) કંપમાન(અસ્થિરસ્વભાવી) અકંપમાન(સ્થિરસ્વભાવી) પુદ્ગલનાદભાંગા છે. યથા–૧.સંપૂર્ણ કંપમાન, ર. સંપૂર્ણ અકંપમાન, ૩. એક દેશ કંપમાન, એકદેશ અકપમાન, ૪. એક દેશ કંપમાન, અનેક દેશ અકપમાન, ૫. અનેક દેશકંપમાન, એક દેશ અકપમાન, ૬. અનેક દેશ કંપમાન, અનેક દેશ અકપમાન. પહેલો, બીજો ભાંગો પરમાણુ આદિ બધામાં હોઈ શકે છે. ત્રીજો ભાંગો ઢિપ્રદેશી સ્કંધ આદિમાં હોઈ શકે છે. ચોથો, પાંચમો ભાંગો ત્રણ પ્રદેશી આદિમાં હોઈશકેછે. છઠ્ઠો ભાંગો ચાર પ્રદેશી આદિમાં હોય છે. ઓછા પ્રદેશી ઔધોમાં પ્રાપ્ત થનારા ભાંગા વધારે પ્રદેશવાળા સ્કંધોમાં થઈ શકે છે. તેથી પાંચ પ્રદેશથી અનંત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીતા www.jainelibrary.org ક Jain Education International For Private & Personal use only
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy